જામનગર-
માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત કામગીરી માટે ગુજરાત રાજયના મુખ્ય માહિતી કમિશ્નરની નિયુકતી કરવામાં આવી છે. આ માટેની કામગીરી અર્થે માંગવાની થતી માહિતી કે પત્રવ્યવહાર કરવા અરજદારોએ મુખ્ય માહિતી કમીશ્નર ગુજરાત રાજય માહિતી આયોગ, ૧ લો માળ, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો ભવન, સેકટર-૧૮ ગાંધીનગર-૩૮૨૦૧૦ ની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે.
ભારત સરકારે લોકશાહી શાસન વ્યવસ્થામાં નાગરિકો પોતાના હકકો અને ફરજો પ્રત્યે જાગ્રત બની ન્યાય મેળવે શાસનમાં પારદર્શિતા આવે અને ભ્રષ્ટાચારને નિયંત્રિત રાખી શકાય તેવા હેતુથી મુખ્ય માહિતી કમિશ્નરશ્રીની કચેરી કાર્યરત કરાઇ છે.
જયારે રાજય સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓના પ્રચાર-પ્રસાર માટે માહિતી કમિશ્નરશ્રીની કચેરી કાર્યરત છે. યોજનાકીય પ્રચાર પ્રસાર સબંધે માહિતી કમીશ્નરશ્રીની કચેરી, બ્લોક નં.૭/૨ જો માળ, ડો. જીવરાજ મહેતા ભવન ગાંધીનગર ખાતે પત્રવ્યવહાર કરવાનો હોય છે. જયારે માહિતી અધિકાર અધિનિયમ અંતર્ગત માંગવાની થતી માહિતીની કામગીરી આ કચેરીમાં થતી નથી. સબંધિતોએ તેના માટે સેકટર-૧૮ માં આવેલી અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર બ્યુરો, ગાંધીનગર ખાતેની માહિતી આયોગની કચેરીનો સંપર્ક કરવાનો રહે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો