પ્રસિધ્ધ યાત્રધામ અંબાજી ખાતે આગામી ભાદરવી મહામેળાના આયોજન અંગે કલેકટર શ્રી આર.જે.પટેલના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ હતી. બેઠકમાં કલેકટરશ્રીએ જણાવ્યું કે,ગત વર્ષે મેળા પ્રસંગે ૨૭ લાખ જેટલા યાત્રિકો દર્શનાર્થે આવ્યાં હતાં. આ વર્ષે યાત્રિકોની સંખ્યા ૩૫ લાખ સુધી જવાની ધારણા છે. તે ધ્યાનમાં લઇને સુદ્રઢ આયોજન કરવું.
મેળા પ્રસંગે દર્શન વ્યવસ્થા,પીવાનું પાણી,રહેવા-જમવા તથા વિસામાની સગવડ ઉપરાંત વીજળી, આરોગ્ય, સફાઇ, પગરખા કેન્દ્ર, ટોયલેટ, પાર્કિંગ, પરિવહન, સુરક્ષા વ્યવસ્થા વગેરે અંગે સારું આયોજન કરવા જણાવ્યું હતું.
આ પ્રસંગે પોલીસ અધીક્ષક શ્રી હરિકૃષ્ણ પટેલ, અધિક કલેકટર શ્રી મહેશ પટેલ, નાયબ કલેકટર શ્રી એમ.એચ.પટેલ, વહીવટદાર શ્રી ગિરીશ પટેલ તથા અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો