વડોદરા:
કેન્દ્રના રેલવે રાજય મંત્રીશ્રી ભરતસિંહ સોલંકી ગુજરાતના પ્રવાસે આવી રહયાં છે. તેમના પ્રવાસ કાર્યક્રમ અનુસાર મંત્રીશ્રી સોલંકી તા. ૧૫/૬/૧૧ના બોરસદ ખાતે બેઠક યોજશે. બોરસદથી સાંજના ૬.૦૦ કલાકે મહેસાણા જવા રવાના થશે. મહેસાણાના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરશે. તા. ૧૬/૬/૨૦૧૧ના દિને મહેસાણાથી સવારના ૭.૦૦ કલાકે રસ્તા માર્ગે રાધનપુર પહોંચશે. રાધનપુર ખાતે ૯.૩૦ કલાકે આયોજીત કાર્યક્રમમાં ભાગ લેશે. રાધનપુરથી ૧૨.૦૦ કલાકે નિકળી પાટણ આવશે. જયાં ૧૪.૦૦ કલાકે યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપશે. પાટણથી ૧૬.૦૦ કલાકે રવાના થઇ મહેસાણા આવશે, જયાં ૧૭.૦૦ કલાકે આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. મહેસાણાથી ૧૮.૦૦ કલાકે રવાના થઇ ૨૦.૦૦ કલાકે બોરસદ મુકામે આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો