અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

દ્વારકા તાલુકાના બે હજાર જેટલા ભૂલકાઓ વાજતે ગાજતે ભણવાનું શરૂ કરશે.

પહેલા ધોરણમાં ૧૯૦૪ બાળકો શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન પ્રવેશ મેળવશે.
જામનગર, તા ૧૫ જૂન – દ્વારકા તાલુકાના બે હજાર જેટલા ભૂલકાઓ વાજતે-ગાજતે ભણવાનું શરૂ કરશે. તાલુકામાં શાળાપ્રવેશોત્‍સવ માટે આઠ રૂટ પાડવામાં આવ્‍યા છે. જેમાં રાજય નાણાપંચના ચેરમેનશ્રી ભરતભાઇ ગાદીવાલા, ઇન્‍ડસ્‍ટ્રીયલ એકસટેન્‍શન બ્‍યુરો, ગાંધીનગરના શ્રી મુકેશકુમાર(આઇ.એ.એસ.), ક્ષાર અંકુશ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી સહિતના અધિકારી, પદાધિકારીઓ નેતૃત્‍વ સંભાળશે. દ્વારકાના પ્રાન્‍ત અધિકારીશ્રી કે.આર.શાહ, મામલતદાર તથા ટી.ડી.ઓ. સહિતના અધિકારી, પદાધિકારીઓ શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં જોડાશે. શાળા પ્રવેશોત્‍સવ દરમિયાન ત્રણ વર્ષની ઉંમરના બાળકોને આંગણવાડીમાં અને પાંચ વર્ષની ઉંમરના બાળકોને પહેલા ધોરણમાં ઉત્‍સવભર્યા વાતાવરણમાં પ્રવેશ અપાશે.

ટિપ્પણીઓ નથી: