અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

(1)સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્‍યક્ષશ્રી આઇ. કે. જાડેજાનો પ્રવાસ કાર્યક્રમ..(२)રાજય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકીનો પ્રવાસ ક

(1)સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના અધ્‍યક્ષશ્રી આઇ. કે. જાડેજાનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્‍દ્રનગર
સ્‍વર્ણિમ ગુજરાત ૫૦ મુદ્દા અમલીકરણ સમિતિના કાર્યવાહક અધ્‍યક્ષશ્રી આઇ. કે. જાડેજા તા.૧૬ મી જૂન-૨૦૧૧ને ગુરૂવાર ના રોજ કન્‍યા કેળવણી મહોત્‍સવ તથા શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત સવારે ૮-૦૦ કલાકે વઢવાણ તાલુકાના કારીયાણી ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ત્‍યારબાદ સવારે ૯-૪૫ કલાકે વડોદ, ૧૧-૩૦ કલાકે બલદાણા, બપોરે ૨-૦૦ કલાકે ગોમટા અને ૩-૪૫ કલાકે ખારવા ખાતે કાર્યક્રમમાં હાજરી આપી સાંજે ૫-૦૦ કલાકે સુરેન્‍દ્રનગર જવા રવાના થશે, રાત્રી રોકાણ સુરેન્‍દ્રનગર ખાતે કરશે.
કાર્યવાહક અધ્‍યક્ષશ્રી જાડેજા તા. ૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારના રોજ સવારે ૮-૦૦ કલાકે મુળી તાલુકાના સરલા ખાતે ઉપસ્‍થિત રહેશે ત્‍યારબાદ સવારે ૯-૪૫ કલાકે કળમાદ, ૧૧-૩૦ કલાકે કુંતલપુર, બપોરે ૨-૦૦ કલાકે વડધ્રા અને ૩-૪૫ કલાકે વેલાળા(ધ્રા) ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે. સાંજે ૫-૦૦ કલાકે વેલાળા(ધ્રા)થી સુરેન્‍દ્રનગર જવા રવાના થઇ રાત્રી રોકાણ સુરેન્‍દ્રનગર ખાતે કરશે
કાર્યવાહક અધ્‍યક્ષશ્રી જાડેજા તા. ૧૮ મી જૂન-૨૦૧૧ને શનિવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે ચોટીલા તાલુકાના કુંઢડા ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે ત્‍યારબાદ સવારે ૯-૪૫ કલાકે હિરાસર, ૧૧-૩૦ કલાકે અકાળા, બપોરે ૨-૦૦ કલાકે પિયાવા અને બપોરે ૩-૪૫ કલાકે મોકાસર ખાતે કાર્યક્રમમાં હાજરી આપશે સાંજે ૫-૦૦ કલાકે મોકાસરથી રાજકોટ જવા રવાના થશે.



(2)રાજય કક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકીનો પ્રવાસ કાર્યક્રમ
સુરેન્‍દ્રનગર
ગુજરાતના પશુપાલન, મત્‍સ્‍યોદ્યોગ અને ગૌ સંવર્ધન વિભાગના રાજયકક્ષાના મંત્રીશ્રી પરસોત્તમભાઇ સોલંકી તા.૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારે રાત્રે ૯-૦૦ કલાકે સુરેન્‍દ્રનગર જિલ્‍લાના હળવદ ખાતે રૂદ્રરાજ સોશ્‍યલગૃપ આયોજીત મહેશકુમાર કાર્યક્રમમાં વિનોબા ક્રિકેટ ગ્રાઉન્‍ડ ખાતે હાજરી આપશે. કાર્યક્રમ પૂર્ણ થયે તેઓશ્રી અનુકુળતાએ ભાવનગર જવા રવાના થશે.

ટિપ્પણીઓ નથી: