પાંચ અને ત્રણ વર્ષના બાળકોનું વિદ્યામંદિરોમાં ભવ્ય સ્વાગત કરાશે.
ઉચ્ચ પદાધિકારીઓની હાજરીમાં અઢી હજારથી વધુ બાળકો પહેલા ધોરણમાં હોંશભેર પ્રવેશ મેળવશે.
જામનગર, તા ૧૫ જૂન – કલ્યાણપુર તાલુકામાં તા. ૧૬ થી ૧૮ જુન સુધી શાળા પ્રવેશોત્સવ દરમિયાન ૨૫૫૨ કુમાર અને ૧૨૬૫ કન્યાઓનો સમાવેશ થાય છે. બાળકોને વાજતે ગાજતે સુમધુર સંગીતમય વાતાવરણમાં રાજય-જિલ્લા કક્ષાના ઉચ્ચ પદાધિકારીઓની ઉપસ્થિતિમાં પ્રવેશ અપાશે.
આ પ્રવેશોત્સવ દરમિયાન ૫૭૦ કુમાર અને ૬૪૭ કન્યા મળીને ૧૨૧૭ ત્રણ વર્ષના ભુલકાંઓને પણ નંદઘર(આંગણવાડી)માં પ્રવેશ અપાશે.
ગાંધીનગરની સી.આઇ.ડી. ક્રાઇમ બ્રાન્ચના ડી.આઇ.જી.શ્રી એસ.એસ.ત્રિવેદી, જામનગરના સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી, જીલ્લા પંચાયતના નાયબ જીલ્લા વિકાસ અધિકારીશ્રી, માર્ગમકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી તથા ઉંડ કેનાલ વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રી અલગ-અલગ પાંચ રૂટોનું નેતૃત્વ સંભાળશે. સરપંચશ્રીઓ તથા તાલુકા પંચાયતના પદાધિકારીઓ તથા લોક પ્રતિનિધિઓ આ પ્રવેશોત્સવને સફળ બનાવવા સંકલિત જહેમત ઉઠાવી રહયા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો