અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

બનાસકાંઠા જીલ્‍લામાં નબળી કામગીરી માટે સ્‍વૈચ્‍છીક સંસ્‍થાઓને બ્‍લેક લિસ્‍ટ કરાઇ.

અધિક કલેકટરશ્રી બનાસકાંઠા દ્વારા જણાવ્‍યા મુજબ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંતર્ગત નગરપાલિકા વિસ્‍તારોમાં વ્‍યકિતગત શૌચાલયોના બાંધકામ માટે સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૨૨/૧૨/૨૦૦૮ ના ઠરાવથી સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓની નિયુકિત કરવામાં આવેલ છે. જે અંતર્ગત નબળી કામગીરી ધરાવતી નીચેની નગરપાલિકામાં કામ કરતી સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને નબળી કામગીરીના કારણોસર ગુજરાત મ્‍યુનિસિપલ ફાઇનાન્‍સ બોર્ડ, ગાંધીનગરના તા. ૧૩/૪/૧૧ ના દફતરી હુકમથી કાળી યાદી બ્‍લેકલીસ્‍ટ કરવા આદેશ કરવામાં આવ્‍યો છે.
ઉપરોકત સંસ્‍થાને બ્‍લેકલીસ્‍ટમાં મુકવાનો નિર્ણય થયેલ હોઇ આ સ્‍વૈચ્‍છિક સંસ્‍થાઓને હાલમાં સોંપવામાં આવેલ કામગીરીમાંથી તાત્‍કાલિક અસરથી ફારેગ કરવામાં આવેલ છે. તેમજ ભવિષ્‍યમાં પણ બીજા આદેશો ન થાય ત્‍યાં સુધી સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્‍તકની સ્‍વૈછિક સંસ્‍થાઓ મારફત થતી/થનાર કોઇ પણ પ્રકારની કામગીરી માટે પાત્ર ગણાશે નહિ.

ટિપ્પણીઓ નથી: