અધિક કલેકટરશ્રી બનાસકાંઠા દ્વારા જણાવ્યા મુજબ નિર્મળ ગુજરાત શૌચાલય યોજના અંતર્ગત નગરપાલિકા વિસ્તારોમાં વ્યકિતગત શૌચાલયોના બાંધકામ માટે સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના તા. ૨૨/૧૨/૨૦૦૮ ના ઠરાવથી સ્વૈચ્છિક સંસ્થાઓની નિયુકિત કરવામાં આવેલ છે. જે અંતર્ગત નબળી કામગીરી ધરાવતી નીચેની નગરપાલિકામાં કામ કરતી સ્વૈચ્છિક સંસ્થાઓને નબળી કામગીરીના કારણોસર ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ, ગાંધીનગરના તા. ૧૩/૪/૧૧ ના દફતરી હુકમથી કાળી યાદી બ્લેકલીસ્ટ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
ઉપરોકત સંસ્થાને બ્લેકલીસ્ટમાં મુકવાનો નિર્ણય થયેલ હોઇ આ સ્વૈચ્છિક સંસ્થાઓને હાલમાં સોંપવામાં આવેલ કામગીરીમાંથી તાત્કાલિક અસરથી ફારેગ કરવામાં આવેલ છે. તેમજ ભવિષ્યમાં પણ બીજા આદેશો ન થાય ત્યાં સુધી સરકારશ્રીના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ હસ્તકની સ્વૈછિક સંસ્થાઓ મારફત થતી/થનાર કોઇ પણ પ્રકારની કામગીરી માટે પાત્ર ગણાશે નહિ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો