અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

આજી-૪ સિંચાઇ યોજના અંગે ચેતવણી

જામનગર, તા ૧૫ જૂન – કાર્યપાલક ઇજનેરશ્રી ઉંડ નહેર વિભાગ જીલ્‍લા સેવા સદન-૪, જામનગરની યાદી જણાવે છે કે આજી-૪ જળસંપતિ યોજનામાં આગામી ચોમાસા-૨૦૧૧ દરમિયાન તબકકાવાર ભરવાનું આયોજન છે. તો આ યોજનામાં સંપાદન હેઠળ આવેલ જમીનમાં વાવેતર કરવું નહીં તથા ડુબાણ વિસ્‍તારમાં આવતા જીરાગઢ, તારાણા, પીઠડ, બોડકા અને જશાપર ગ્રામજનોએ ડુબાણ વિસ્‍તારમાં અવર-જવર કરતી વખતે સાવચેતી રાખવી જેથી સંભવિત જાનહાની તેમજ નુકશાની નિવારી શકાય.
વધુમાં આ યોજનામાં તબકકાવાર વધારાના પાણીની આવક ગમે ત્‍યારે થશે તો તેનો નિકાલ છલતીબંધ પરથી કરવામાં આવશે. જેથી યોજનાના નિચવાસના ગામો મોરાણા, હીરાપર, બાલંભા, રણજીતપર, મેઘપર, શામપર, જામસર, માણામોરા અને ભીમકટા ગામના લોકોએ ચોમાસા દરમિયાન નદીના પટમાં ચકાસીને સાવચેત રહીને અવર-જવર કરવા તેમજ નદીના પટમાં પશુઓ વગેરે લઇ જવા નહીં. જેથી સબંધીત જાનહાની તથા નુકશાની નિવારી શકાય. ઉપરોકત બાબતોનું પાલન કરવામાં કસુર થયેથી જે કાંઇ નુકશાની કે જાનહાની થાય તો તેની કોઇ પણ જાતની જવાબદારી સરકારશ્રીની રહેશે નહીં. જેની લાગતા વળગતાએ નોંધ લેવા કાર્યપાલક ઇજનેર, ઉંડ નહેર વિભાગ, જામનગરની એક યાદીમાં જણાવેલ છે.

ટિપ્પણીઓ નથી: