અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

વન અને પર્યાવરણ રાજયમંત્રીશ્રી કિરીટસિંહ રાણાનો પ્રવાસ કાર્યક્રમ

સુરેન્‍દ્રનગર - ગુજરાતના વન અને પર્યાવરણ રાજય મંત્રીશ્રી કિરીટસિંહ રાણા કન્‍યા કેળવણી મહોત્‍સવ અને શાળા પ્રવેશોત્‍સવ કાર્યક્રમ અંતર્ગત તા. ૧૬ મી જૂન-૨૦૧૧ને ગુરૂવારે સવારે ૮-૦૦ કલાકે ધ્રાંગધ્રા તાલુકાના ઇસદ્રા, ૯-૪૫ કલાકે વાવડી, ૧૧-૩૦ કલાકે માલવણ અને બપોરે ૨-૦૦ કલાકે જેસડા ખાતે પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં હાજરી આપી રાત્રી રોકાણ હળવદ ખાતે કરશે.
મંત્રીશ્રી રાણા તા. ૧૭ મી જૂન-૨૦૧૧ ને શુક્રવારે સવારે ૮-૦૦ કલાકે હળવદ તાલુકાના ઢવાણા, ૯-૪૫ કલાકે શકિતનગર, ૧૧-૩૦ કલાકે સુખપર, બપોરે ૨-૦૦ કલાકે દેવીપુર(સુ.) અને ત્‍યારબાદ ૩-૪૫ કલાકે કવાડીયા ખાતે કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. તેઓશ્રી રાત્રી રોકાણ પાટડી ખાતે કરશે.
મંત્રીશ્રી કિરીટસિંહ રાણા તા. ૧૮ મી જુન-૨૦૧૧ને શનિવાર ના રોજ સવારે ૮-૦૦ કલાકે પાટડી તાલુકાના માલણપુર, ૯-૪૫ કલાકે કોચાડા, ૧૧-૩૦ કલાકે બામણવા તથા બપોરે ૨-૦૦ કલાકે સુરજપુરા ખાતે પ્રવેશોત્‍સવ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી અનુકુળતાએ લીંબડી તાલુકાના ભલગામડા ખાતે જવા રવાના થશે.

ટિપ્પણીઓ નથી: