અનુયાયીઓ

બુધવાર, 15 જૂન, 2011

મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન સહિત મંત્રીઓ અને રાજયના પોલીસ તથા વન વિભાગનાં વડા જિલ્લાની શાળાઓમાં જશે ૨૯૩૬૫ બાળકોનો શાળા પ્રવેશ કરાવવાન

વડોદરા, તા.૧૬ થી ૧૮મી જુન, ર૦૧૧ના ત્રણ દિવસ દરમિયાન વડોદરા જિલ્લાની ૨૩૧૭ શાળાઓમાં ૧૫૨૧૦ કન્યાઓ અને ૧૪૧૫૫ કુમારો મળીને ૨૯૩૬૫ બાળકોને કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ હેઠળ પ્રાથમિક શાળાઓનાં પહેલાં ધોરણમાં પ્રવેશ અપાવવાનું આયોજન ધડી કાઢવામાં આવ્યું છે. તેના એટીવીટી હેઠળની તાલુકા ટીમોએ ૧૧૫ રૂટસ ધડી કાઢયા છે અને પ્રત્યેક મહાનુભાવ સવારના સત્રમાં ત્રણ અને બપોર પછીના સત્રમાં બે શાળાઓ મળીને ત્રણ દિવસમાં કુલ ૧૫ શાળાઓમાં ભૂલકાંને આવકારે તેવું આયોજન કરવામાં આવ્યું છે. આ માહિતી આપતાં જિલ્લા કલેકટર શ્રી વિજય નહેરાએ જણાવ્યું હતું કે, રાઇટુ એજયુકેશન એકટ હેઠળ હવે પ્રત્યેક શાળાસ્તરે શાળા પ્રબંધન સમિતિ - સ્કુલ મેનેજમેન્ટ કમિટિઓની રચના કરવામાં આવી છે. આ મહોત્સવ દરમિયાન આ કમિટિઓને પણ કાર્યાન્વિત કરવામાં આવશે.
આ નવમા શાળા પ્રવેશોત્સવનું વડોદરા જિલ્લામાં નેતૃત્વ મહિલા અને બાળ વિકાસ તેમજ મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કરશે તેવી માહિતી આપતાં શ્રી નહેરાએ વધુમાં જણાવ્યું હતું કે, તેઓ અનુક્રમે પાદરા, ડભોઇ અને સાવલીની પ્રાથમિક શાળાઓમાં જશે. આ ઉપરાંત પ્રવાસન રાજયમંત્રી શ્રી જીતુભાઇ સુખડીયા કરજણ, પાદરા અને નસવાડી તાલુકાના ગામોમાં, સંસદિય સચિવ શ્રી યોગેશભાઇ પટેલ ડભોઇ, સંખેડા અને શિનોર તાલુકાના ગામોમાં, સાંસદ શ્રી બાળકૃષ્ણ શુકલ કવાંટ, નસવાડી અને સાવલી તાલુકાના ગામોમાં ભૂલકાંઓને પ્રવેશ અપાવશે. આ ઉપરાંત વુડા અધ્યક્ષ શ્રી નારણભાઇ પટેલ, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષશ્રી કનુભાઇ મિસ્ત્રી, ગુજરાત વન વિકાસ નિગમના અધ્યક્ષશ્રી કે.ટી.ભીલ તેમજ રાજય પરિવહન નિગમના સદસ્યશ્રી જશુભાઇ ભીલ ભૂલકાંઓને પ્રવેશ અપાવવા જિલ્લાઓના ગામડાઓ ખૂંદશે.
કન્યા કેળવણી મહોત્સવના ભાગરૂપે રાજયના પોલીસ વડાશ્રી ચિતરંજનસિંધ તેમજ વન વિભાગના અગ્ર મુખ્ય વન સંરક્ષક શ્રી પ્રદિપ ખન્ના સહિત અગ્ર સચિવશ્રી ટી.એસ.રંધાવા, જિલ્લાના પ્રભારી સચિવશ્રી ગુરૂપ્રસાદ મહાપાત્ર, જીએસએફસીના એમ.ડી. શ્રી હરિભાઇ પટેલ, રાજયના ૦૬ મુખ્ય વન સંરક્ષકશ્રીઓ સહિત રાજય વહીવટ તંત્રના આધાર સ્થંભ સમાન ઉચ્ચાધિકારીઓ જિલ્લાના દૂરદરાજના ગામડાઓની પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ યોજશે.
રાજય સરકારે તમામ પ્રાથમિક શાળાઓમાં દશ કોમ્પ્યુટર્સ સહિતની લેબ બનાવવાનો નિર્ણય લીધો છે. જેનો વડોદરા જિલ્લામાં પણ અમલ કરવામાં આવશે તેવી માહિતી આપતા શ્રી નહેરાએ જણાવ્યુ હતું કે, પ્રાથમિક શાળાઓમાં ૫૫ બાળકો દીઠ એક શિક્ષકનું પ્રમાણ હવે ધટાડીને ૩૦ બાળકો દીઠ એક શિક્ષકનું કરવામાં આવ્યું છે. ગયા વર્ષે જિલ્લાની ર૫ર પ્રાથમિક શાળાઓમાં આઠમા ધોરણનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વર્ષે વધુ ૨૫૬ પ્રાથમિક શાળાઓમાં આઠમું ધોરણ શરૂ કરાશે. ધો.૬ થી ૮ના અપર પ્રાયમરી સેકશનમાં સ્નાતક અને બીએડ થયેલા શિક્ષકો ભણાવશે. કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવોની હારમાળાને કારણે જિલ્લાના આદિવાસી ક્ષેત્રોમાં પણ વાલીઓ બાળકોને શાળામાં પ્રવેશ અપાવવા જાગૃત થયા છે. લગભગ ૧૦૦ ટકા નામાંકનનું લક્ષ્ય સિધ્ધ થવાની સાથે ડ્રોપ આઉટ રેટ ૩૫ થી ૩૬ ટકાથી ધટીને ૨.૫ ટકા જેટલો નીચો લાવી શકાયો છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જીતેન્દ્રભાઇ જોશીએ જણાવ્યુ હતું કે, કેળવણીનું અને મહિલા સાક્ષરતાનું પ્રમાણ ધણું ઓછું છે તેવા વિસ્તારોની તેમજ બીપીએલ પરિવારોની ૫૦૩૦ શાળા પ્રવેશ કરનારી કન્યાઓને વિઘાલક્ષ્મી બોન્ડસ આપવામાં આવશે. દરેક ગામમાં શાળા પ્રવેશોત્સવના દિવસે દિકરી દિવસ ઉજવવામાં આવશે.

ટિપ્પણીઓ નથી: