૩૬૪૫ ગરીબ લાભાર્થીઓને રૂ. ૧૩૮૩.૫૭ લાખની સાધન-સહાયનું વિતરણ
પાટણ જિલ્લાબના રાધનપુર ખાતે આદર્શ વિદ્યાલયના પટાંગણમાં સામાજીક,
શૈક્ષણિક અને પછાત વર્ગોનું કલ્યાાણ વિભાગના રાજય મંત્રીશ્રી વાસણભાઇ
આહીરના અધ્યક્ષસ્થાાને ગરીબ કલ્યાવણ મેળો યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીના
હસ્તેધ રાધનપુર શહેર અને આજુબાજુ ગામોના ૩૬૪૫ ગરીબ લાભાર્થીઓને રૂ.
૧૩૮૩.૫૭ લાખની સાધન-સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મુખ્યભમંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વિડીયો કોન્ફષરન્સુના
માધ્યમથી લાભાર્થીઓને સંબોધતાં જણાવ્યું હતું કે, ગરીબ કલ્યાિણ મેળો
સાચા અર્થમાં ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવાનો છે. તમારા હક્કનું છે જેના
પર તમારો અધિકાર છે. ગરીબ લાભાર્થીઓ સંકલ્પ કરો કે, મારે આ ગરીબાઇમાંથી
બહાર નીકળવું છે તો જ સાચા અર્થમાં સાધન-સહાય કીટ મદદરૂપ બનશે. ગરીબી દૂર
કરવી હશે તો શિક્ષણ મેળવવું પડશે અને ઘરમાંથી બિમારી દૂર કરવી પડશે. આજ
સુધીમાં રાજય સરકાર દ્વારા ૬૫૦ ગરીબ કલ્યા ણ મેળા યોજાયા અને ૫૮ લાખ
કરતાં વધુ લાભાર્થીઓને સાધન-સહાયની કીટ હાથોહાથ પહોંચાડવામાં આવી છે.
મુખ્યરમંત્રીશ્રીએ લાભાર્થીઓને વ્યસસનો અને કુટેવોથી દૂર રહેવા જણાવ્યુંા
હતું. ગુજરાતને બિમારીમાંથી બહાર લાવવા માટે ગામડાઓમાં અને શહેરોમાં
નર્મદાના શુધ્ધ પીવાના પાણી પહોંચાડવામાં આવ્યાા છે. આ પ્રસંગે
મુખ્યદમંત્રીશ્રીએ રાજય સરકાર દ્વારા ગરીબ લાભાર્થીઓ માટે વિવિધ યોજનાઓની
જાણકારી આપી હતી, તેનો મહત્તમ લાભ લેવા જણાવ્યુંર હતું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો