રોજગાર કચેરી સંચાલિત સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ તાલીમ વર્ગમાં
પ્રવેશ ઉપલબ્ધ ઃ તાત્કાલિક અરજી કરો
વડોદરા
રોજગાર કચેરી, વડોદરા દ્વારા સંરક્ષણ સેવાઓમાં જોડાવા માંગતા સાહસિક અને
તંદુરસ્ત, અપરણિત યુવાનો માટે સ્વામી વિવેકાનંદ પૂર્વ સંરક્ષણ નિવાસી
તાલીમ વર્ગ શરૂ કરવામાં આવશે. આ તાલીમ વર્ગમાં થલ, જલ અને વાયુસેના, અર્ધ
લશ્કરી અને પોલીસ દળોની ભરતી કસોટીઓને ધ્યાનમાં રાખીને શારીરિક/માનસિક
અને પરીક્ષાલક્ષી તાલીમ વિનામૂલ્યે આપવામાં આવશે. તેમાં ધોરણ દસ અને બાર
પાસની શૈક્ષણિક લાયકાતો ધરાવતા અને ધો.૧૦ માટે ૧૭.૫ વર્ષથી ૨૦ વર્ષ અને
ધો.૧૨ માટે ૧૭.૫ વર્ષથી ૨૨ વર્ષની વયમર્યાદામાં આવતા યુવકો દાખલ થઇ શકશે.
પ્રવેશ ઇચ્છુકોએ રોજગાર નોંધણી કાર્ડ (નોંધણી કરાવી ના હોય તો કરાવી
લેવી), એસએસસી તેમજ એચએસસી પરીક્ષાઓના અસલ પ્રમાણપત્ર તેમજ પ્રમાણિત નકલ,
જો એનસીસી પ્રમાણપત્ર ધરાવતા હોય તો તેની અસલ અને પ્રમાણિત નકલ, તાજેતરના
પાસપોર્ટ સાઇઝના ૦૨ રંગીન ફોટો અને ડોમીસાઇલ સર્ટિફિકેટની અસલ અને
પ્રમાણિત નકલ સાથે તા.૨૩/૦૪/૨૦૧૨ સુધીમાં જિલ્લા રોજગાર કચેરી, સી-પ
બ્લોક, નર્મદા ભવન, વડોદરાને અરજીઓ પહોંચતી કરવી. પ્રવેશ મેળવનારને
નિવાસ, ભોજન અને નિર્ધારિત સ્ટાઇપેન્ડ સરકાર દ્વારા આપવામાં આવશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો