અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

કલેકટરશ્રી જે.બી.વોરાના અધ્યક્ષસ્થાને સંકલન સમિતિની બેઠક યોજાઇ

પાલનપુર કલેકટરશ્રીની કચેરી ખાતે કલેકટરશ્રી જે.બી.વોરાના અધ્યક્ષસ્થાને
સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં રસ્તા, પાણી, વીજળી, કુપોષણ,
જળસંચય, ટ્રાફિક, વગેરે વિષયોની ચર્ચા કરવામાં આવી હતી. આ પ્રસંગે
કલેકટરશ્રી જે.બી.વોરાએ અધિકારીઓને સુચના આપતા જણાવ્યું કે, પાણીનો
કરકસરપૂર્વક ઉપયોગ થાય અને વધુમાં વધુ ખેડુતો ટપક અને ફુવારા પદ્ધતિ
અપનાવે તેવા પ્રયાસો કરવા જોઇએ. તેમણે કહ્યું કે, આ જિલ્લામાં
કરકસરપૂર્વક પાણીનો ઉપયોગ કરવામાં આવે તો ખેતી અને પશુપાલન દ્વારા
સમૃધ્ધિમાં વધારો કરી શકાય તેમ છે. નગરપાલિકા વિસ્તારમાં લોકોને સમયસર
પાણી મળે તે માટે અધિકારીઓને સુચના આપી હતી.
બેઠકમાં ધારાસભ્ય શ્રી ગોંવિદભાઇ પ્રજાપતિએ પ્રજાના પ્રશ્નો રજુ કર્યા
હતાં. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી બી.જે.ભટ્ટ, નિવાસી અધિક
કલેકટર શ્રી સુધીર પટેલ, અધિક કલેકટર શ્રી મહેશ પટેલ અને અધિકારીઓ ઉપસ્થિ
ત રહ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી: