રૂા.૩૧.૨૫ કરોડની સાધન સહાયનું વિતરણ
ગુજરાતના સર્વાંગી વિકાસની સાથે ગરીબ કલ્યાણ મેળા દ્વારા ગરીબોને
ગરીબીમાંથી મુકત કરવાનો રાજય સરકારે દ્દઢ નિર્ધાર કર્યો છે - સંસદીય
સચિવશ્રી યોગશભાઈ પટેલ
વડોદરા ૨૧ એપ્રિલ, ૨૦૧૨ (શનિવાર) વડોદરા જિલ્લાના છેવાડાના આદિવાસી
તાલુકા જેતપુરના રતનપુર ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ ગરીબ કલ્યાણ મેળામાં
પ્રવાસન દેવસ્થાન, યાત્રાધામ વિકાસ, બિનનિવાસી ગુજરાતી પ્રભાગના સંસદીય
સચિવ શ્રી યોગેશભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે ૧૦૬૨૬ ગરીબ
લાભાર્થીઓને રૂા. ૩૧.૨૫ કરોડની માતબર સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં બાયસેગ ઉપગ્રહ પ્રસારણ સેવા દ્વારા રાજયના
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે ગરીબ કલ્યાણ મેળાનો મૂળભૂત ઉદ્ેશ ગરીબોને
ગરીબીમાંથી મુકત કરવાનો છે. આ માટે રાજય સરકાર ગરીબના દ્વાર સુધી પહોંચી
જરૂરિયાતમંદોને સાધન-સહાય આપી આર્થિક રીતે પગભર કરવાનો નિર્ધાર કર્યો છે.
ત્યારે લાભાર્થીએ પણ જાગૃતતા કેળવી બે ડગ ભરવાં પડશે. તો જ રાજય સરકારનું
ધ્યેય પાર પડશે અને ગુજરાતને ગરીબીના કલંકમાંથી મુકત કરી શકાશે. તેવા
દ્દઢ આહ્વાયન સાથે તેમને છેવાડાના આદિવાસી ગરીબ લોકો માટેની પોતાની
સંવેદના વ્યકત કરી વિવિધ યોજનાઓની પરિણામલક્ષી જાણકારી આપી હતી.
આ પ્રસંગે સંસદીય સચિવશ્રી યોગેશભાઈ પટેલે આદિવાસી વિસ્તાર અને લોકોના
વિકાસ માટે રાજય સરકારે કરેલા પ્રયાસોની વિસ્તૃત જાણકારી આપતાં જણાવ્યું
હતું કે રાજયના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી રાજયના ગરીબ
દલિત-આદિવાસી માટે સતત ચિંતિત છે. તેથી જ તેમને છેવાડાના ગરીબ - આદિવાસી
વિસ્તારના વિકાસ માટે રૂા. ૨૩.૫૦ હજાર કરોડની વનબંધુ કલ્યાણ યોજના પાંચ
વર્ષ માટે અમલિત કરી અને ખર્ચ કરી નાખ્યો અને આગામી પાંચ વર્ષ માટે રૂા.
૪૦ હજાર કરોડનું જંગી આયોજન કરવામાં આવ્યું છે. ૦ થી ૧૬ ના લાભાર્થીઓનો
પ્લોટો આવાસ આપવાની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરી છે. ૧૭ થી ૨૦ના
લાભાર્થીઓને પણ પ્લોટો આપવાનું ચાલુ છે. શાળા આરોગ્ય તપાસણી દ્વારા
શાળામાં ભણતા બાળકોના મોટા રોગો માટે રાજય સરકાર ૧૦૦ ટકા ખર્ચ કરે છે.
૧૦૮ની યોજના દ્વારા ગરીબોને તાત્કાલિક સારવાર મળી જાય છે ચિરંજીવી યોજના,
જનની સુરક્ષા યોજના, બાળ સખા યોજના વગેરે થકી ગરીબ-માતા-બાળક-કિશોરીઓની
આરોગ્યલક્ષી કાળજી રખાય છે. રાજયમાં શુદ્ધ પીવાનું પાણી પુરું પડાય છે,
ત્યારે લોકોએ પણ જાગૃત થવું પડશે અને રાજયના વિકાસમાં જોતરાવું પડશે, એમ
સંસદીય સચિવશ્રીએ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામસિંહભાઇ રાઠવાએ આ વિસ્તારના વિકાસ માટે રાજય
સરકારે કરેલા પ્રયાસોની આંકડાકીય જાણકારી આપતાં સ્વાગત પ્રવચન કર્યું
હતું. જયારે આભારવિધિ તાલુકા પંચાયત પ્રમુખશ્રી છત્રસિંહ રાઠવાએ કરી હતી.
શિક્ષક કલાકારોની ટીમે ગુજરાતના વિકાસ અને અમારે ગરીબ નથી રહેવું સંદર્ભે
જ્ઞાન-ગમ્મત સાથે સુંદર નાટક રજૂ કર્યું હતું.
બોરકંડાના શ્રી સીતારામ સખી મંડળ તથા ઉટકોઈ જગદંબા સખી મંડળે મિશન
મંગલમ્ યોજનાના સફળ પ્રતિભાવો આપ્યા હતા.
આ કાર્યક્રમમાં વુડા ચેરમેનશ્રી એન.વી.પટેલ, જિલ્લા પંચાયત ઉપપ્રમુખશ્રી
કનુભાઈ રાઠવા, વન વિકાસ નિગમના ચેરમેનશ્રી કે.ટી.ભીલ, એસ.ટી. નિગમના
ડીરેકટરશ્રી જશુભાઈ ભીલ, કલેકટરશ્રી વિનોદ રાવ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી
રાકેશ શંકર, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ, અધિકારીઓ સરપંચશ્રીઓ, ગ્રામજનો
લાભાર્થીઓ વગેરે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો