અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

બાળ શ્રમિકોના સામાજિક અને આર્થિક પુર્નવસન માટે આઈએલઓ કન્વરીંગ પ્રોજેકટ અંગે સેમિનાર યોજાયો નિર્દોષ તરછોડાયેલા બાળક માટે સંવેદના સાથે ફરજો અદા કરવી પડશે

બાળ શ્રમિકોના સામાજિક અને આર્થિક પુર્નવસન માટે આઈએલઓ કન્વરીંગ પ્રોજેકટ
અંગે સેમિનાર યોજાયો
નિર્દોષ તરછોડાયેલા બાળક માટે સંવેદના સાથે ફરજો અદા કરવી પડશે
મહિલા પોલીસ સ્ટેશનોએ સંવેદના સહ સંસ્થા સાથે સંકલન રાખી કામ કરશે તો
ધણાં સારાં પરિણામો હાંસલ કરી શકાશે - ડીસીપી ક્રાઈમ શ્રી એચ.એસ.પટેલ

વડોદરા
વડોદરા જિલ્લાના અધિક કલેકટરશ્રીના નેજા હેઠળ કાર્યાન્વિત નેશનલ ચાઈલ્ડ
લેબર પ્રોજેકટ સોસાયટી અને ચાઈલ્ડ ક્રાલ્ચીસ ઈન્ટરવેન્શન સેન્ટર (બાળ
નિરોગી પરિયોજના) વડોદરા શહેરના સંયુકત ઉપક્રમે આઈએલએ કન્વરીંગ પ્રોજેકટ
દ્વારા બાળ શ્રમિકોના સામાજિક તથા આર્થિક પુનઃવસનના હેતુથી હોટલ જળસાગર
સયાજીગંજ વડોદરા ખાતે એક દિવસ પરિસંવાદનું આયોજન થયું હતું.
આ સેમિનારમાં વડોદરા શહેર ક્રાઈમ બ્રાન્ચના ડી.સી.પી. શ્રી એચ.એસ.પટેલે
તરછોડાયેલા, અનાથ, ગરીબ નિર્દોષ બાળકોના પુનઃવસન માટેના સંવેદના સહ
પ્રોજેકટને બિરદાવતાં જણાવ્યું હતું કે આ કામગીરી સાથે સંકળાયેલા તમામ
વિભાગે દરેક માનવ વ્યવહાર સહજ સંવેદના સાથે પોતાની ફરજો અદા કરે તો આવા
બાળકો હૂંફ સાથે ખીલીને આત્મ સન્માનભેર જીવનજીવી દેશના ૮સાચા નાગરિકો બની
શકશે. અને આ એક પુણ્યનું કામ છે. સેવાભાવી સંસ્થાઓ આ કામગીરીમાં
નિષ્ઠાપૂર્વકની ફરજો અદા કરી આવા બાળકોને સમાજમાં સ્થાન અપાવવાની કામગીરી
કરે છે. ત્યારે મહિલા પોલીસ સ્ટેશનો પણ આ સ્વૈચ્છિક સંસ્થાઓ સાથે સંકલન
કરી પોતાની ફરજો અદા કરશે તો ધણાં સારાં પરિણામો હાંસલ કરી શકાશે.
વડોદરા નાયબ શ્રમ કમિશનરશ્રી કે.ઓ.શાહે પ્રાસંગોચિત પ્રવચન કરતાં
જણાવ્યું કે બાળ શ્રમિકોને પુનઃવસન માટે સરકાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓ કામ
કરે છે. પરંતુ આ કામગીરીમાં દરેક નાગરિક જોતરાયતો સમાજનું ઉત્ત્થાનનું
કાર્યકરી શકાય.
બાળ શ્રમિક અંગે યોજાયેલી કાર્યશાળામાં ડૉ. લીનાબેન મહેતાએ ચાઈલ્ડ
ટ્રાફિકિંગ અંગેના નિયમો અને અધિનિયમ અંગે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું
કે, ચાઈલ્ડ ટ્રાફિકિંગનો માત્ર બાળ વેશ્યાવૃત્તિ પૂરતો સંકુચિત અર્થ ન
કરતા બાળકોના અપહરણ, ચાઈલ્ડ પોનોગ્રાફી, ભીક્ષાવૃત્તિમાં જોતરવા, સહિત
સેક્સ ટુરિઝમમાં બાળકો સાથે થતા દુવ્યવહાર તેમજ બાળકોના અંગોના ગેરકાદેસર
રીતે કાઢી લઇ અન્યને પ્રત્યારોપણ કરવા જેવા અનેક ગુનાઓનો સમાવેશ થાય છે.
બાળકોના અપહરણના કિસ્સાઓમાં ઈર્ષા અને વડીલોપાર્જિત મિલકતને કારણે બનતા
હોવાનું જણાવતા કુટુંબની જ વ્યકિત દ્વારા બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું
કૃત્યો અંગેની માહિતી આપી હતી. ડૉ. મહેતાએ આ અંગે જુવેનાઈલ એકટના વિવિધ
સેકશન અંગે પણ વિગતો આપી હતી.
આ કાર્યક્રમમાં પ્રોજેકટ ડાયરેકટર કુ.અલ્પા ગોડીયાએ આઈએલઓ પ્રોજેકટ વિશે
વિસ્તૃત જાણકારી આપી હતી. ડૉ. કૌશિક રાવલે ચાઈલ્ડ લેબર એકટ વિશે જાણકારી
આપચીહતી. એ.સી.પી. શ્રી એમ.એચ.પટેલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પરિસંવાદમાં જુદા જુદા વિભાગના અધિકારીઓ-કર્મચારીઓ, સ્વૈચ્છિક સંસ્થાના
પ્રતિનિધિઓ, મહિલા પોલીસ સ્ટેશનના કર્મયોગીઓ, પોલીસ અધિકારીઓ વગેરેએ ભાગ
લઈ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

ટિપ્પણીઓ નથી: