અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય અષાઢી એકમ સુધી દિવસમાં ત્રણ વખત આરતી થશે

અંબાજી મંદિરમાં આરતી અને દર્શનનો સમય
અષાઢી એકમ સુધી દિવસમાં ત્રણ વખત આરતી થશે

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે કે,
વૈશાખ સુદ-૩(ત્રીજ) મંગળવાર તા.૨૪/૪/૨૦૧૨ ના રોજથી અષાઢી એકમ
તા.૨૦/૬/૨૦૧૨ સુધી આરતી તથા દર્શનનો સમય નીચે મુજબનો રહેશે. જેની જાહેર
જનતાએ નોંધ લેવા વિનંતી છે.
સવારે આરતી-૭ થી ૭.૩૦, સવારે દર્શન- ૭.૩૦ થી ૧૦.૪૫, બપોરની પૂજા- ૧૦.૪૫
થી ૧૨.૩૦, આરતી બપોરે- ૧૨.૩૦ થી ૧.૦૦, બપોરે દર્શન -૧.૦૦ થી ૧૬.૩૦, સાયન
પૂજા- ૧૬.૩૦ થી ૧૯.૦૦, સાંજે આરતી- ૧૯.૦૦ થી ૧૯.૩૦ અને સાંજે દર્શન-
૧૯.૩૦ થી ૨૧.૧૫ કલાકે કરી શકાશે. તા. ૨૪/૪/૨૦૧૨ થી તા. ૨૦/૬/૨૦૧૨ સુધી
અન્નકુટ થઇ શકશે નહીં જેની નોંધ લેવા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: