ઓલપાડ ખાતે ૨,૧૦૬ જરૂરીયાતમંદોને ૫ કરોડ ૧૯ લાખની સાધન સહાય અર્પણ કરતા
કુટીર ઉદ્યોગ રાજયમંત્રી
સૂરતઃ
ગઈકાલે તા.૨૦મીના રોજ સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકાના 'તાલુકા ગરીબ કલ્યાાણ
મેળા'માં ૨,૧૦૬ જરૂરીયાતમંદોને વિવિધ યોજનાઓ હેઠળ ૫ કરોડ ૧૯ લાખની માતબર
રકમની સાધન સહાય કુટીર ઉદ્યોગ રાજયમંત્રીશ્રી રણજીતભાઈ ગીલીટવાલાના હસ્તે
અર્પણ કરાઈ હતી.
ઓલપાડ તાલુકાની મહાદેવ શાષાી વિદ્યાલયના પટાગણમાં ઉપસ્થિ ત જનમેદનીને
સંબોધતા શ્રી ગીલીટવાલાએ જણાવ્યુંે હતું કે, ગરીબી સામે લડવાની હિમ્મનત
ગરીબમાં આવે તે રીતે સરકારની બધી જ યોજનાઓને સંકલિત કરીને મદદરૂપ થવાનું
માધ્યગમ ગરીબ કલ્યા્ણ મેળાએ પુરૂ પાડયું છે. વચેટીયાઓને નાબૂદ કરીને
જરૂરતમંદોને તેમના હક્કો સામે ચાલીને અર્પણ કરી ગરીબોની બેલી આ રાજય
સરકાર તેમના ભલા માટે ખડે પગે ઉભી રહી છે. નોંધારાનો આધાર બની રાજય
સરકારે છેલ્લા વર્ષોમાં ૫૮ લાખ લાભાર્થીઓને આઠ હજાર કરોડથી વધારેના લાભો
હાથોહાથ આપ્યાા છે. વંચિતોના કલ્યામણ માટે સતત ચિંતન કરતા મુખ્ય
મંત્રીશ્રીએ આગામી સમયમાં વનબંધુઓના વિકાસ માટે રૂા.૪૦ હજાર કરોડ
વાપરવાનું આયોજન કર્યું છે. વનવાસીઓને રસ્તાા,પાણી, શિક્ષણ અને આરોગ્યકની
સેવાઓ આપવા રાજય સરકાર કટિબધ્ધર રહી હોવાનું તેમણે કહ્યું હતું.
રાજય સરકાર દ્વારા નિરંતર અનેકવિધ પ્રજાકલ્યાોણલક્ષી યોજનાઓ વિકાસ
કાર્યક્રમો અમલમાં મૂકવામાં આવી રહ્યા છે. દૂર અંતરિયાળ વિસ્તાોરો સુધી
યોજનાઓના લાભ સરળતાથી પહોંચે તેવા હેતુસર અભિયાન હાથ ધરી ગરીબ માનવી
પોતાના હક્કોથી વંચિત ન રહી જાય તે માટે ગરીબ કલ્યાંણ મેળાઓ યોજી ગરીબોને
આત્મીનિર્ભર બનાવાના પ્રયાસો હાથ ધર્યા હોવાનું શ્રી ગીલીટવાલાએ કહ્યું
હતું.
આ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી અશ્વિનભાઈ પટેલે કહ્યું કે, ભૂતકાળની
સરકારોમાં પારદર્શીતાનો અભાવ હતો. જેના કારણે સાધન સહાય ગરીબો સુધી
પહોંચતા પહેલા વચેટિયાઓ સુધી પહોંચી જતી હતી. આજે રાજય સરકારના સુદ્દઠ
આયોજનના કારણે ગરીબોને મળતી સહાય મહાનુભાવોના હસ્તેચ હાથોહાથ મળતી થઈ છે.
લાભાર્થીઓને પોતાને મળેલી સહાયનો યોગ્યા ઉપયોગ કરીને પગભર બનવાનું પ્રેરક
સૂચન તેમણે કર્યું હતું.
આ પ્રસંગે મુખ્યયમંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ વિડીયો કોન્ફ રન્સ ના
માધ્યથમથી ગરીબ કલ્યાાણ મેળાના લાભાર્થીઓને ઓનલાઈન સંબોધન કર્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એ.જે.શાહ, જિલ્લા વિકાસ અધિકારી રેમ્યાગ
મોહન, ધારાસભ્યોય સર્વશ્રી કિરીટભાઈ પટેલ, કિશોરભાઈ વાંકાવાલા, હળપતિ
આવાસ નિગમના ચેરમેનશ્રી ભરતભાઈ, અગ્રણી શ્રીઅજયભાઈ ચોકસી, જિલ્લા સંગઠન
પ્રમુખશ્રી સુરેશભાઈ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી કાંતિભાઈ પટેલ, દિપકભાઈ,
ધનસુખભાઈ પ્રાયોજના વહીવટદાર તેમજ મોટી સંખ્યા,માં જરૂરતમંદો ઉપસ્થિરત
રહ્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો