મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં ગરીબો સુખી થયા છે. ----
સંસદીય સચિવ શ્રી સુંદરસિંહ ચૌહાણ
૫,૧૬૦ ગરીબ લાભાર્થીઓને રૂ. ૧૯.૭૪ કરોડની સાધન સહાયનું વિતરણ કરાયું.
બનાસકાંઠા જિલ્લાગના દાંતીવાડા ખાતે પંચાયત વિભાગના સંસદીય સચિવશ્રી અને
જિલ્લાના સહપ્રભારી મંત્રી શ્રી સુંદરસિંહ ચૌહાણના અધ્ય ક્ષસ્થાાને ગરીબ
કલ્યાેણ મેળો યોજાયો હતો. જેમાં ૫,૧૬૦ ગરીબ લાભાર્થીઓને રૂ.૧૯.૭૪ કરોડની
વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવ્યુંા હતું.
આ પ્રસંગે મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ વિડીયો કોન્ફરરન્સસ
દ્વારા લાભાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે, ગરીબીના ખપ્પરમાંથી
ગરીબોને બહાર લાવવા સરકાર તેમનો હાથ પકડીને મદદ કરે છે. તેમણે કહ્યું કે,
૬૫૦ જેટલા ગરીબ કલ્યાણ મેળાઓમાં ૫૮ લાખ ગરીબોને હાથોહાથ રૂ.૮,૫૦૦ કરોડની
સહાય આપવામાં આવી છે. તેમણે કહ્યું કે, ગરીબોને હવે ઓશિયાળા રહેવાની જરૂર
નથી. સરકારે ગરીબ કલ્યાણ મેળાઓ દ્વારા ગરીબોને સ્વમાનભેર જીવતા કરવાનું
અભિયાન ઉપાડ્યું છે અને સરકાર સામેથી ગરીબોના ઘરે જઇ ગરીબોને શોધી શોધીને
સહાય આપે છે જેનાથી તેમના જીવનમાં ઝડપથી પરિવર્તન આવશે. તેમણે કહ્યું કે,
ગરીબોના આરોગ્યની ચિંતા રાજય સરકાર કરે છે. ગરીબોનું આરોગ્ય સચવાય અને
તેઓ તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે ગામે ગામ શુધ્ધ પીવાનું પાણી આપવામાં
આવે છે જેનાથી બિમારીઓનું પ્રમાણ ખુબ ઘટ્યું છે. તેમણે જણાવ્યું કે,
પ્રત્યેક નાગરિકની જિંદગી ખુબ કિંમતી છે તે ધ્યાનમાં રાખી આરોગ્યની
અનેકવિધ યોજનાઓ બનાવવામાં આવી છે. તેમણે કહ્યું કે, ચિંરજીવી યોજનાના
લીધે ૯૩ ટકા એટલે કે ૮ લાખ માતાઓની ડિલીવરી દવાખાનાઓમાં થઇ છે જેના કારણે
માતામૃત્યુદરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. નવજાત શિશુની સંભાળ માટે બાલસખા
યોજના બનાવવામાં આવી છે જેનાથી બાળ મૃત્યુદર ઘટ્યો છે અને આવતીકાલના
નાગરિકને નવી જિંદગી મળી છે. તેમણે ઉમેર્યુ કે, આદિવાસી વિસ્તારમાં
આરોગ્યની સુંદર સેવાઓ ઉપલબ્ધ બને તે માટે ૬ નર્સિંગ કોલેજ પણ શરૂ કરવામાં
આવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો