૬૧ લોક અદાલતોમાં ૩૦૪૮ કેસીસનું સમાધાન - પક્ષકારોને રૂપિયા આઠ કરોડ
બ્યાસી લાખ કરતા વધુ રકમનું વળતર
વડોદરા
ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના આદેશાનુસાર જિલ્લા
કાનૂની સેવા સત્તા મંડળ વડોદરાના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા જિલ્લા બાર
એસોસીયેશનના સહકારથી વડોદરા જિલ્લાની તાલુકા કાનૂની સેવા સમિતિઓ દ્વારા
ર્ડા. બાબાસાહેબ આંબેડકર જયંતી નિમીત્તે વડોદરા શહેર તથા તાલુકાઓમાં કુલ
૬૧ લોક અદાલતો યોજીને ૩૦૪૮ કેસોનો સમાધાનકારી નિકાલ કરવામાં આવ્યો હતો.
તેની સાથે કુલ ૨૨ કાનૂની શિક્ષણ શિબિરો પણ યોજવામાં આવી હતી.
લોક અદાલતનું સેન્ટ્રલ હોલ, ન્યાયમંદિર, વડોદરા ખાતે વડોદરા શહેરના
ન્યાયાધીશશ્રીઓ, વકીલ મંડળના સભ્યો, લોક અદાલતમાં મૂકવામાં આવેલ કેસોના
પક્ષકારો વિગેરેની ઉપસ્થિતિમાં મુખ્ય જિલ્લા ન્યાયાધીશ અને અધ્યક્ષશ્રી,
જિલલા કાનૂની સેવા સત્તા મંડળ, વડોદરાના શ્રી કે.કે.ભટ્ટ, વડોદરા વકીલ
મંડળના પ્રમુખશ્રી નલીન ડી.પટેલ, બીજા અધિક જિલ્લા ન્યાયાધીશશ્રી
એ.એમ.દવે, રીયાયર્ડ ડીસ્ટ્રીકટ જજશ્રી એફ.આર.મકવાણા, તાલુકા કાનૂની સેવા
સમિતિ, વડોદરાના અધ્યક્ષશ્રી પી.જી.સોની, ઇનચાર્જ જિલ્લા સરકારી વકીલશ્રી
પ્રકાશભાઇ ભટ્ટ તથા સ્મોલ કોઝ જજશ્રી વી.એમ.ચાવડાસાહેબના હસ્તે દીપ
પ્રાગટય કરી લોક અદાલત શરૂ કરવામાં આવી હતી.
સદર લોક અદાલતોમાં દિવાની ફોજદારી તથા પ્રિલીટીગેશન કેસો મળી કુલ ૩,૦૬૨
કેસો હાથ પર લેવામાં આવેલ. જે પૈકી પ્રિલીટીગેશનના કુલ ૨૫૫ કેસોનો નિકાલ
કરવામાં આવ્યો, જેમાં રૂપિયા ૩,૩૫,૯૩૧/-નો એવોર્ડ, અકસ્માત વળતરના કુલ
૧૨૪ કેસોમાં રૂપિયા ૧,૭૪,૧૧,૨૩૧/- રકમનો એવોર્ડ, નેગોશિયેબલ
ઇન્સ્ટ્રુમેન્ટ એકટ અંગેના કુલ-૧૨૨૪ કેસોમાં રૂપિયા ૪,૩૪,૩૦,૫૦૩/-નું
વળતર તેમજ દિવાની ફોજદારી કેસોના સમાધાનની રકમ મળી કુલ રૂપિયા
૨,૭૦,૯૩,૩૯૧/- વસુલવામાં આવી હતી. આમ, લોક અદાલતમાં પક્ષકારોના લેણાં /
વળતરની રકમ મળી કુલ રૂપિયા ૮,૮૨,૭૧,૦૫૬/- (અંકે રૂપિયા આઠ કરોડ બ્યાસી
લાખ ઇકોતેર હજાર છપ્પન) પુરા પ્રાપ્ત થયા હતા. આમ, લોક અદાલતના અંતે કુલ
- ૩,૦૪૮ કેસોનો નિકાલ કરવામાં આવ્યો અને લોક અદાલત સફળતાપૂર્વક પુરી
કરવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો