અનુયાયીઓ

રવિવાર, 22 એપ્રિલ, 2012

કૃષિ મહોત્સવ-૨૦૧૨ દરમ્યાન હાજર ખેડૂતોને બિયારણ અને જંતુ નાશક દવાઓ પર ૫ થી ૧૦ ટકા વળતર મળશે.

કૃષિ મહોત્સવ-૨૦૧૨ નો આરંભ તા.૬ મે-૨૦૧૨થી સમગ્ર રાજયમાં અને ગાંઘીનગર
જિલ્લાહમાં થવાનો છે. કૃષિ મહોત્સવ લોકભોગ્ય બની રહે અને યુવાઓ અને
મહિલાઓ ખાસ કરીને આ મહોત્સવમાં જોડાય તેવા સુચારું આયોજન અર્થે તા.
૨૦/૦૪/૨૦૧૨ના રોજ જિલ્લાઆ વિકાસ અઘિકારી શ્રી એમ.એ.ગાંઘીની અઘ્યક્ષતામાં
એક બેઠક મળી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અઘિકારી શ્રી એમ.એ.ગાંઘીએ
જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ-૨૦૧૨ દરમ્યાન હાજર રહેલ ખેડૂતો,યુવાઓ અને
મહિલાઓને સ્થાઘનિક ઇનપુટ ડીલરો, બીજ નિગમ, એગ્રો સર્વિસ સેન્ટર, તાલુકા
સંઘ-સહકારી મંડળીઓ દ્રારા કૃષિ ઇનપુટ જેવા કે સેન્દ્રિય ખાતર,
સૂક્ષ્માતત્વો, પ્રવાહી ખાતર, ગ્રોથ રેગ્યુલેટર, જંતુનાશક દવા, કીટક નાશક
દવા, ફૂગ નાશક દવા, રોગ નાશક દવા, બાયો પેસ્ટીીસાઇડ અને ખાનગી કંપનીઓ
દ્રારા બિયારણ વગેરેમાં ૫ થી ૧૦ ટકા જેટલું વળતર આપવામાં આવશે. આ વળતર
માટેની કૂપન કૃષિ રથ સાથે આવેલી ટીમના કર્મચારીઓ દ્રારા ખેડૂતોને આપવામાં
આવશે.
વઘુમાં તેઓશ્રીએ જણાવ્યું હતું કે, કૃષિ મહોત્સવ અન્વયે જિલ્લા.ના વિવિઘ
યોજનાઓના લાભાર્થીઓની અરજી તેમજ સ્થાતનિક ખેડૂતોના કૃષિ વિષયક પ્રશ્નો
એકત્ર કરી કૃષિરથ ફેરણી દરમ્યાન સંબંઘિત તજજ્ઞ વૈજ્ઞાનિકો દ્રારા તે
પ્રશ્નોની ચર્ચા કરવામાં આવશે.

ટિપ્પણીઓ નથી: