વ્હાઇટ રિવોલ્યુશનના બદલે કેન્દ્રની વર્તમાન સરકાર પિન્ક રિવોલ્યુશન
(મટનની નિકાસ) ઉપર વિશેષ ધ્યાન આપીને કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્ર માટે
ખતરો પેદા કરે છે!
દૂધની ઉત્પાદકતા વધારવા ખેડૂતો માટે વૈજ્ઞાનિક ઢબના ગ્રાસ લેન્ડ-ગ્રાસ
બેન્કની નીતિ અપનાવો
શરદ પવાર
ગુજરાતના કિસાનોને પરેશાન કરતી કપાસની નિકાસની સમસ્યાનું વિધેયાત્મક નિરાકરણ લવાશે
દેશ ૪૦ હજાર ટન ધઉં તથા ર૦ હજાર ટન ચોખાની નિકાસ કરશે
આણંદઃ
રૂ. રર૪ર કરોડના નેશનલ ડેરી પ્લાનઃ મિશન મીલ્ક લોન્ચ કરતા કેન્દ્રીય કૃષિ
મંત્રી શ્રી શરદ પવાર
અતિથિવશેષ મુખ્ય મંત્રીશ્રીનું પ્રેરક ઉદ્દબોધન
ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નેશનલ ડેરી ડેવલપમેન્ટ
બોર્ડ (NDDB)ના નેશનલ ડેરી પ્લાન- મિશન મીલ્કના લોન્ચીંગ સમારોહના
અતિથિવિશેષપદેથી દૂધાળા પશુઓના પોષક આરોગ્ય માટે મોટા અને વૈજ્ઞાનિક
પદ્ધતિના ગ્રાસ લેન્ડ ઉભા કરવા તથા ગ્રાસ બેન્ક માટે પ્રોત્સાહક નીતિ
અપનાવવા કેન્દ્ર સરકારને પ્રેરક સૂચન કર્યું હતું.
પશુઓમાં દૂધની ઉત્પાદકતા વધારવા માટે "મિશન મીલ્ક' કાર્યક્રમને આવકારતાં
મુખ્ય મંત્રીશ્રીએ વ્હાઇટ રિવોલ્યુશનને બદલે કેન્દ્ર સરકાર પિન્ક
રિવોલ્યુશન (મટનની નિકાસ) ઉપર વિશેષ ધ્યાન આપી રહી છે તે દેશના પશુધન,
પર્યાવરણ અને કૃષિ પ્રધાન ભારત માટે ખતરારૂપ બની જશે એવી ચેતવણી આપી હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવારે રૂ. રર૪ર કરોડના નેશનલ ડેરી
પ્લાનનું આણંદમાં NDDBના કેમ્પસમાં લોન્ચીંગ કર્યું હતું.
શ્વેતક્રાંતિમાં ગુજરાતનું નેતૃત્વ સર્વમાન્ય છે પરંતુ વિશ્વમાં પશુઓની
સંખ્યાના પ્રમાણમાં દૂધ ઉત્પાદકતાનું પ્રમાણ ઓછું છે તેનો નિર્દેશ કરી
શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જણાવ્યું કે, આનું કારણ આપણા દૂધાળા પશુધનની ઓલાદ
ઉત્તમ નથી એવું નથી પરંતુ ધણા સામાજિક-આર્થિક કારણોસર દૂધ ઉત્પાદકતાની
ટકાવારી નીચે છે ત્યારે "મિશન મીલ્ક' કાર્યક્રમ પશુની દૂધ ઉત્પાદકતા ઉપર
ખાસ ધ્યાન આપશે એવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.
પશુપાલનના વૈજ્ઞાનિક સંવર્ધન સાથે પશુઆરોગ્યની કાળજી બાબતમાં ગુજરાતે નવ
વર્ષથી દર વર્ષે મળીને કુલ ર૭,૦૦૦ પશુ આરોગ્ય મેળા યોજીને ૧૧૭ જેટલા પશુ
રોગો કાયમ માટે નાબૂદ કર્યા છે.
વર્તમાન કેન્દ્ર સરકારે મિલ્ક રિવોલ્યુશનને બદલે પિન્ક રિવોલ્યુશન (મટન
એક્ષ્પોર્ટ) ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને શ્વેતક્રાંતિ કરતાં પણ
વધુ સબસીડી મટન નિકાસ ઉપર આપવાની નીતિ નક્કી કરી છે તે માનવજાતને અને
ભારતના કૃષિ આધારિત અર્થતંત્ર માટે નવું સંકટ ખડું કરશે એવો ગંભીર ભય
વ્યકત કરતાં મુખ્ય મંત્રીશ્રીએ જણાવ્યું કે, વ્હાઇટ રિવોલ્યુશન પશુરક્ષા
અને પશુ સંવર્ધનની ભારતીય કૃષિ પ્રધાન અર્થતંત્રની સાચી દિશા છે ત્યારે
પિન્ક રિવોલ્યુશન (મટન એક્ષ્પોર્ટ) પશુધનના વિનાશ તરફ દોરી જશે એમ તેમણે
ઉમેર્યું હતું.
મુખ્ય મંત્રીશ્રીએ ગુજરાતમાં પશુધનના પોષણ અને સ્વાસ્થ્ય માટે પશુ સારવાર
જ નહીં પશુસંભાળ અને પશુઓમાં કુપોષણની પીડા સામે યોગ્ય જાગૃતિ પશુપાલકો
અને વિશેષ કરીને પશુપાલકોના પરિવારોની માતૃશક્તિમાં આવે તે દિશામાં
અભિયાન ઉપાડવા અનુરોધ કર્યો હતો.
ગુજરાત સરકારે વૈજ્ઞાનિક પશુસંવર્ધન માટેના કુશળ અને તજજ્ઞ માનવ સંસાધન
વિકાસ માટે કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના કરી છે તેનો મહત્તમ લાભ લેવા
પણ સૂચન કર્યું હતું.
ગુજરાતમાં કૃષિ, પશુપાલન અને વૃક્ષની ખેતીના સમાન ૩૩ ટકાના હિસ્સા સાથે
ગ્રામ અર્થતંત્રનું સંતુલન જાળવવાની વ્યૂહરચના ગુજરાત સરકારે અપનાવી છે
અને ખેડૂતો તથા પશુપાલકોને કૃષિ મહોત્સવ તથા પશુ આરોગ્ય મેળા દ્વારા
પ્રેરિત કર્યા છે.
ગુજરાતના ખેડૂતોની કપાસના ભરાવા, નિકાસ અને ટેકાના ભાવે ખરીદીની સમસ્યાઓ
અંગે શ્રી શરદ પવારે જણાવ્યું કે, કપાસની દેશની જરૂરિયાત પુરી થઇ શકે
એટલો કપાસ રાખીને તેની નિકાસ કરવાનો અધિકાર ખેડૂતોનો હોવો જોઇએ. જો
દેશમાં કપાસના સારા ભાવ મળે તો કોઇ ખેડૂત કપાસની નિકાસ શા માટે કરે?
કપાસની નિકાસની ઇજાજત ખેડૂતોને મળવી જોઇએ એ બાબત તેઓ સ્પષ્ટ સ્વીકારે છે
અને કેન્દ્ર સરકારે જે કોઇ કદમ ઉઠાવ્યા છે તેમાં ફેરફાર લાવીને એકાદ
સપ્તાહમાં પણ ગુજરાતના ખેડૂતોને પરેશાન કરતી કપાસની ખરીદી અને નિકાસની
સમસ્યાનો વિધેયાત્મક નિવેડો આવશે એવો તેમણે વિશ્વાસ વ્યકત કર્યો હતો.
ગુજરાતમાં સરદાર સરોવર નર્મદા યોજનાના બંધની ઊંચાઇ ૧૩૮ મીટર લઇ જવામાં
કેન્દ્ર અને ગુજરાત સરકારે સાથે મળીને આ અંગેના અવરોધ દૂર થાય તેવું
વિચારવું જોઇએ તેમ જણાવી શ્રી શરદ પવારે ગુજરાતની તરક્કી અને વિકાસ
ભારતના વિકાસ અને પ્રગતિનો જ પથ છે, એમ જણાવી ગુજરાત અને મહારાષ્ટ્ર
વિકાસની દિશામાં આગળ વધે અને કામિયાબ બને એવી અભિલાષા તેમણે વ્યકત કરી
હતી.
કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શરદ પવારે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના
નેશનલ ડેરી પ્લાન્ટને સમર્પિત કરતાં જણાવ્યું કે, આ દેશમાં
શ્વેતક્રાંતિની દિશામાં થયેલી અદ્દભૂત પ્રગતિએ વિશ્વમાં સૌથી મોટા દૂધ
ઉત્પાદક તરીકે ભારતની ગણના થઇ શકી. આ અગાઉ દેશમાં હરીયાળી ક્રાંતિ થઇ.
આજે જનતાની જરૂરિયાતોમાં પરિવર્તન તથા વસતિ વૃદ્ધિના કારણે અમે બે
કાર્યક્રમો પર ભાર મુકયો જેમાં નેશનલ ડેરી પ્લાનનો અમલ તથા પૂર્વીય
રાજ્યોમાં હરિત ક્રાંતિની જરૂરિયાત પર અમે આગળ વધી રહ્યા છીએ.
તેમણે કહ્યું કે, દેશમાં પશુદીઠ દૂધ ઉત્પાદનની પરિસ્થિતિ જોતાં ઉમદા પશુ
આહાર, ઊંચી ઓલાદના પશુ ઉછેર તથા તંદુરસ્ત વિતરણ વ્યવસ્થા પર આપણે વધુ ભાર
આપવાની જરૂર ઉપર ભાર મુકી તેમણે કહ્યું કે, દૂધના ઉત્પાદનની આવક મહિલાના
હાથમાં જાય તેવી વ્યવસ્થા અમે ગોઠવી મહિલાના હાથમાં દૂધના વ્યવસાયના
કારણે આર્થિક તાકાત આવતાં તેમની સામાજિક પરિસ્થિતિ પણ ઊંચી આવી છે,
ગુજરાતે જે દેખાડયું છે તે અન્ય રાજ્યોએ પણ અનુકરણ કરવું જોઇએ.
શ્રી પવારે જણાવ્યું કે, એક સમયે સહકાર ક્ષેત્રનું દેશમાં અગત્યનું સ્થાન
હતું. આ ક્ષેત્રએ દેશને નવી દિશા બતાવી દેશના ઉત્તરીય ભાગોમાં આ કામગીરી
બિલકુલ ઠપ્પ થઇ ગઇ છે. સહકારિતાના કાનૂનમાં સુધારો લાવવાની આવશ્યકતા છે.
એ માટે અમે કાનૂનમાં પરિવર્તન લાવી સરકારની જવાબદારી ઓછી કરીને લોકોને
વધુ અધિકાર આપ્યા છે. દેશના તમામ રાજ્યો આ દિશામાં આગળ વધશે તેમાં ગુજરાત
સૌથી અગ્રેસર બની દેશને નવો રાહ દર્શાવશે. આપણે મબલખ કૃષિ ઉત્પાદનના
કારણે ૪૦ હજાર ટન ધઉં તથા ર૦ હજાર ટન ચોખાની નિકાસ કરી શકયા છીએ.
કેન્દ્રીય રાજ્ય કૃષિ મંત્રી શ્રી મહંત ચરણદાસે જણાવ્યું કે, ગુજરાતના
કિસાનો, દૂધ ઉત્પાદકો અને સહકારી દૂધ મંડળીઓએ શ્વેતક્રાંતિ દ્વારા
રાષ્ટ્રને નૂતન રાહ ચીંધ્યો છે. તેમણે ગુજરાતના સપૂતોને વંદન કરતાં
જણાવ્યું કે, શ્વેતક્રાંતિના દ્વિતીય ચરણનો પ્રારંભ કરવાનો કેન્દ્ર
સરકારે નિર્ણય કર્યો છે, જેના ભાગરૂપે આજે નેશનલ ડેરી પ્લાન દેશને
સમર્પિત કરવામાં આવ્યો છે. ગુજરાતની શ્વેતક્રાંતિનું દેશના સ્વાતંત્ર્ય
સંગ્રામમાં પણ મહત્વનું યોગદાન રહ્યું છે. છેલ્લા પાંચ વર્ષોમાં દૂધના
મૂલ્યમાં ૯૦ ટકા વૃદ્ધિ થઇ છે જેના મૂળમાં પશુઆહારનું વધતું મૂલ્ય
જવાબદાર છે. રાષ્ટ્રીય ડેરી પ્લાનમાં આ બાબતોના નિરાકરણ લાવવાનો પ્રયાસ
કરવામાં આવ્યો છે.
NDDBના અધ્યક્ષા ર્ડા. અમીતા પટેલ, ભારત સરકારના પશુપાલન સચિવ શ્રી
ગંગાધરન અને સંયુકત સચિવ શ્રીમતી રજની સિબ્બલ વગેરેએ પ્રાસંગિક પ્રવચનો
કર્યા હતા.
દૂધ ઉત્પાદન માટે ચાવીરૂપ અગત્યતા ધરાવતા આ કાર્યક્રમમાં કર્ણાટક,
મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ, પંજાબ, મધ્યપ્રદેશ અને પヘમિ બંગાળ રાજ્યોના
કૃષિ અને પશુપાલન પ્રધાનો, રાજ્યના દૂધ ઉત્પાદક સંધોના અધ્યક્ષો,
એનડીડીબી, ઇરમા, ગુજરાત સ્ટેટ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન જેવી સંસ્થાઓના
પદાધિકારીઓ, વિવિધ રાજ્યોના પશુપાલન અને કૃષિ વિભાગના સચિવો અને ઉચ્ચ
અધિકારીઓ, જિલ્લા કલેકટર શ્રીમતી અવંતિકા સિંધ, જિલ્લા પોલીસ વડા શ્રી
રાજેન્દ્ર અસારી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે. કે. નિરાલા સહિત
મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.