રાજયભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના હેઠળ
સામાજિક અન્વેષણ કરાશે
ગાંધીનગરઃ
રાજય સરકારના ગ્રામ વિકાસ વિભાગ દ્વારા વર્ષમાં બે વખત યોજાતી ગ્રામસભાઓ
દરમ્યાન રાજયભરમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી
યોજના હેઠળ સામાજિક અન્વેષણ કરાશે એમ અધિક કમિશ્નર ગ્રામવિકાસ વિભાગની
યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુસાર ગ્રામસભા અભિયાન અંતર્ગત તા. ૨૦-૪-૨૦૧૨ થી
તા.૨૦-૫-૨૦૧૨ દરમ્યાન જિલ્લા કક્ષાના કાર્યક્રમ મુજબ તમામ ગ્રામ
પંચાયતમાં ગ્રામસભાનું આયોજન કરાશે. આ દરમ્યાન મહાત્મા ગાંધી રાષ્ટ્રીય
ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમની કલમ ૧૭(૨) મુજબ ગ્રામ પંચાયતની હદમાં
હાથ ધરાયેલ તમામ કામોનું સામાજિક અન્વેષણ નિયમિત રીતે કરાવવું ફરજીયાત છે
જેમાં લોકો ખાસ કરીને લાભાર્થી શ્રમિક ગ્રામસભાને બધા દસ્તાવેજો જેવા કે
નોંધણી પત્રક, જોબકાર્ડધારકોની યાદી, કામની અરજીઓની ફાઇલ, કામની
વહેંચણીની યાદી, હાથ ધરવાના કામો માટે ગ્રામસભાનો ઠરાવ, તમામ રજીસ્ટરો,
ફરીયાદ રજીસ્ટાર, મસ્ટરરોલ, મેજરમેન્ટ બુક વિગેરેની ગ્રામસભા દરમ્યાન
ચકાસણી કરવાની હોય છે.
આ અંગેની વધુ માહિતી માટે આપના જિલ્લા કક્ષાએ નિયામકશ્રી, જિલ્લા ગ્રામ
વિકાસ એજન્સી, તાલુકા કક્ષાએ પ્રોગ્રામ ઓફીસર- તાલુકા વિકાસ
અધિકારીશ્રીનો તથા ગ્રામ પંચાયત કક્ષાએ તલાટી કમ મંત્રીશ્રીનો સંપર્ક
કરવાનો રહેશે. તથા ગ્રામ પંચાયતવાઇઝ ગ્રામસભાના આયોજનની વિગતો
www.ruraldev.gujarat.gov.in/nrega ઉપર જોવા મળશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો