પર્યાવરણની સમતુલા જાળવવા સૌર ઉર્જાનું ઉત્પાનદન મહત્વૌનું પગલુ -શ્રી
રમણભાઇ વોરા
મુખ્ય્મંત્રીશ્રી નરેન્દ્ર ભાઇ મોદીએ ચારણકા ખાતે
૬૦૦ મેગાવોટ સૌર ઉર્જા એકમોનું રાષ્ટ્રાને લોકાર્પણ કર્યુ હતું.
આ કાર્યક્રમના ભાગરૂપે મીઠાપુર ખાતે રૂ.૩૬૦ કરોડના ખર્ચે ૧૦૫ એકર
જમીનમાં ટાટા પાવર દ્વારા નિર્મિત ૨૫ મેગા વોટના સૌર ઉર્જા એકમનું
શિક્ષણમંત્રીશ્રી રમણભાઇ વોરાએ તકતી અનાવરણ કરી લોકાર્પણ કર્યુ હતું.
આ પ્રસંગે દ્વારકા ખાતે યોજાયેલ સમારોહને સંબોધતા શિક્ષણમંત્રીશ્રીએ
જણાવ્યુા હતું કે સૌર ઉર્જાનું ઉત્પાનદન પર્યાવરણની જાળવણી માટે
મહત્વાનું પગલુ છે. કુદરતી સાધનોનો મહતમ ઉપયોગ કરવાની ગુજરાત સરકારના
દિર્ઘ દષ્ટાા મુખ્યવમંત્રીશ્રીની આગવી નીતિથી ગ્રીન એનર્જી ક્ષેત્રે નવા
સીમા ચીન્હો સિધ્ધણ કર્યા છે.
સૌર ઉર્જા ઉત્પાષદન ક્ષેત્રે દેશભરમાં ગુજરાતે શ્રેષ્ઠ કામગીરી કરી છે
તેમ જણાવીરશ્રી વોરાએ કહયુ કે, કલાયમેન્ટ ચેંજના પડકારનો સામનો કરવા
ગુજરાતે જે ભગીરથ પ્રયાસો કર્યા છે, તેમાનો એક પ્રયાસ એટલે પ્રદૂષણમુકત
સૌર ઉર્જાનું ઉત્પાવદન. ગુજરાતે સૌર ઉર્જાના ઉત્પામદન માટે ખાસ આયોજન
કર્યુ છે. આથી દેશમાં ઉત્પાષદીત થતી કુલ સૌર ઉર્જા ૯૦૦ મેગાવોટ સામે ૨/૩
હિસ્સો એકલા ગુજરાતનો છે. કાર્યક્રમના પ્રારંભે ટાટા પાવરના ઓપરેશન
ચીફશ્રી અશોક સેટીએ કહયુ હતું કે છ માસ જેટલા સમયમાં આ સૌર ઉર્જા એકમનું
નિર્માણ કરાયુ છે. ગુજરાત સરકાર, ઉર્જા વિભાગ અને અધિકારીઓ આ એકમ
કાર્યાન્વીયત કરવા સહયોગી બન્યાન છે. ગુજરાત સોલાર પોલીસી ૨૦૦૯ મુજબ
ગુજરાત ઉર્જા વિકાસ નિગમને મીઠાપુર ખાતે ઉત્પાીદીત થતી વિજળી અપાશે. ધ્વા
રકા ખાતે મુખ્યિમંત્રીશ્રી દ્વારા ચારણકા ખાતે યોજાયેલ લોકાર્પણ
સમારોહનું જીવંત પ્રસારણ કરાયુ હતું. જેનો ઉપસ્થિ ત વિશાળ જનમેદનીએ લાભ
લીધો હતો. આ તકે ધારાસભ્ય શ્રી પબુભા માણેકે પ્રાસંગિક ઉદબોધન કર્યુ
હતું. દ્વારકા ખાતે લોકાર્પણ પ્રસંગે ખંભાળિયાના ધારાસભ્યયશ્રી મેઘજીભાઇ
કણઝારિયા, ઓખા નગરપાલિકા પ્રમુખશ્રી પ્રમુખશ્રી બાલુભા કેર, દ્વારકા
નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ભાવનાબેન લાલ, જિલ્લાા કલેકટરશ્રી સંદિપકુમાર,
જેટકોના અધિક્ષક ઇજનેરશ્રી ત્રિવેદી, કાર્યપાલક ઇજનેરશ્રી રામોલિયા, ટાટા
પાવર અને ટાટા કેમિકલના અધિકારીઓ ઉપસ્િથત રહયા હતા. અત્રે ઉલ્લેમખનિય છે
કે, કોલસા આધારિત વિજળી મોંઘી થતી જાય છે જયારે ટેકનોલોજીના અપગ્રેડેશનથી
સૌર ઉર્જા સસ્તીન થશે. પડતર જમીનનો સૌર ઉર્જા ઉત્પાીદન એકમો માટે ઉપયોગ
થશે જેથી પછાત વિસ્તા્રોનો વિકાસ થશે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો