રાજ્યના માહિતી કમિશ્નર વી.થીરૂપુગલની ઉપસ્થિતિમાં આણંદ જિલ્લાના ઉમરેઠ
તાલુકાના ગંગાપુરા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશ
મહોત્સવ-૨૦૧૨ની ઉજવણી કરવામાં આવી હતી.
માહિતી કમિશ્નર વી.થીરૂપુગલે ગંગાપુરા ગામના પાંચ વર્ષ પૂર્ણ કરનાર કુમાર
અને ૬ કન્યા મળી કુલ ૧૨ બાળકોને કપાળમાં કુમકુમ તિલક કરી, ચોકલેટ ખવડાવી,
મોંઢુ મીઠું કરાવી પાટી-પેન-દફતર આપી પહેલા ધોરણમાં નામાંકન કરાવ્યું
હતું.
ઉપસ્થિત વાલીઓ, ગ્રામજનો, શિક્ષકો અને બાળકો સાથે સંવાદ કરતા માહિતી
કમિશ્નર વી. થીરૂપુગલે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવની ઉજવણી એ
શિક્ષણ પ્રત્યે લોકજાગૃતિ ઉભી કરવાનું અભિયાન છે. કન્યા કેળવણીને ઉત્તજન
મળે, અધવચ્ચેથી શાળા છોડી જવાનું પ્રમાણ ધટે અને દરેક ગામમાં સો ટકા
શાળા નામાંકન થાય તે માટે સમાજમાં હવે જાગૃતિ ઉભી થઇ છે.
છેલ્લા દાયકામાં ગુજરાતે શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ પામ્યું છે. દશ
વર્ષ પહેલાં વેપાર અને ઉઘોગ ક્ષેત્રમાં રાષ્ટ્રમાં અગ્રેસર રહેલા
ગુજરાતનું સ્થાન ટકાવી સરકારશ્રીએ શિક્ષણને ખૂબ જ મહત્વ આપ્યું છે. તેમ
જણાવી થીરૂપુગલે ઉમેર્યું હતું કે દરેક પ્રાથમિક શાળામાં પીવાનું પાણી,
મધ્યાહન યોજના ખંડ, કંમ્પાઉન્ડ વોલ, કોમ્પ્યુટર શિક્ષણ સહિતની
આંતરસ્તરિય સવલતો પુરી પાડવામાં આવી છે
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો