અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

વિસનગર તાલુકાના કંસારાકુઇ,બેચરપુરા અને બાસણા પ્રાથમિક શાળામાં મહેસુલ મંત્રીશ્રીએ બાળકોને નામાંકન કરાવ્યા છેલ્લા દશકામાં શિક્ષણ જગતમાં આમુલ પરિવર્તનો આવ્યા છે-મહેસુલમંત્રીશ્રી આનંદીબેન પટેલ

મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કંસારાકુઇ,બેચરપુરા અને બાસણા ગામે
મહેસુલ મંત્રીશ્રી આનંદીબેન પટેલના હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળાના
બાળકોનું નામાંકન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધોરણ 1 ના તેમજ
આંગણવાડીના બાળકોને પાટી પેન તેમજ ફળ ફળાદિનું વિતરણ કરવામાં આવ્યું
હતું.આ કાર્યક્રમ દરમિયાન શાળા વ્યવસ્થાપન સમિતિમાં શ્રેષ્ઠ કામગીરી
કરનાર સમિતિને એવોર્ડ મહેસુલ મંત્રીશ્રીના હસ્તે અપાયો હતો.આ ઉપરાંત
ગામના સીનીયર સીટીઝનનું સન્માન,કીટ વિતરણ,ફળોનું વિતરણ,દાતાઓનું
સન્માન,ગરીબ કલ્યાણ મેળામાં બાકી રહેલ કીટોનું વિતરણ,સરસ્વતી સાધન સહાય
યોજના હેઠળ સાઇકલોનું વિતરણ,રમકડાનું વિતરણ કરવામાં આવ્યું હતું.,

ટિપ્પણીઓ નથી: