અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

બાળકોને વિદ્યારૂપી દાન દ્વારા આપણે સંસ્કારરીત બનાવવા પડશે નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા ચોટીલા તાલુકાના જીવાપર, બામણબોર – ર, ચામુંડાનગર અને જાનીવડલા ગામની શાળાના બાળકોને શૈક્ષણિક કિટ્સ વિતરણ કરી શાળા પ્રવેશ કરાવતાં નાણા મંત્રીશ્રી વજુભાઈ વાળા

સુરેન્દ્રળનગર,
સુરેન્દ્રશનગર જિલ્લામાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમના બીજા દિવસે આજરોજ
રાજ્યના નાણા મંત્રીશ્રી અને સુરેન્દ્રેનગર જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી
વજુભાઇ વાળાએ ચોટીલા તાલુકાનાજીવાપર (બા) બામણબોર – ર, ચામુંડાનગર અને
જાનીવડલા ગામીની શાળામાં પ્રવેશપાત્ર બાળકોને શૈક્ષણિક કિટ્સ વિતરણ કરી
શાળા પ્રવેશ કરાવ્યો હતો.
આ પ્રસંગે નાણામંત્રીશ્રી વજુભાઈ વાળાએ જણાવ્યું હતુ કે, રાજયનું એકપણ
બાળક શિક્ષણરૂપી સંસ્કાણરોથી વંચિત ન રહે તે માટે છેલ્લા એક દસકામાં
રાજ્ય સરકારે શિક્ષણ ક્ષેત્રે અનેકવિધ કાર્યો અને કાર્યક્રમો હાથ ધરી
સમગ્ર રાજ્યમાં શિક્ષણની જ્યોત જગાવી છે, ત્યારે આપણે સૌએ પણ શાળામાં
પ્રવેશપાત્ર એકપણ બાળક શાળા પ્રવેશથી વંચિત ન રહે તે માટે જાગૃત બની
બાળકોને વિદ્યારૂપી દાન દ્વારા સંસ્કાંરીત બનાવવા પડશે.
તેમણે જણાવ્યુ હતું કે, શિક્ષણ એ આજના યુગની આવશ્યયક જરૂરિયાત બન્યું
છે. શિક્ષણ થકી આજે દેશ – દુનિયામાં મહિલાઓ આગળ આવી પુરૂષ સમોવડી બની
આર્થિક સક્ષમ બની શકી છે. રાજ્ય સરકારે પણ ગુજરાતની પ્રત્યેક દિકરીઓ
શિક્ષીત બને, આગળ વધી શકે તે માટે કન્યા કેળવણી રૂપી અભિનવ કાર્ય કેટલાક
વર્ષોથી આરંભ્યુ છે જેના પરિણામે આજે ગુજરાતમાં કન્યા કેળવણીનું પ્રમાણ
નોંધપાત્ર વધ્યું છે.

ટિપ્પણીઓ નથી: