રાજયના સમાજ સુરક્ષા ખાતાની યાદીમાં જણાવ્યાનુસાર વિકલાંગોના કલ્યાણ
ક્ષેત્રે કાર્યરત સ્વૈચ્છિક સંસ્થાઓને જો કેન્દ્ર સરકારનું અનુદાન
મેળવવામાં રસ હોય તો તેઓ પાસેથી દિનદયાળ રીહેબિલીટેશન યોજના તથા "એડીપ'
યોજના હેઠળની દરખાસ્તો મંગાવવામાં આવે છે. આ અંગેના નીતિ નિયમો અને
માર્ગદર્શન રાજયના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની વેબસાઇટ
http/sjegujarat.gov.in ઉપરથી મળી શકશે. સ્વૈચ્છિક સંસ્થાઓએ તેમની
દરખાસ્તો સબંધિત જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીની કચેરી ખાતે તા.૨૮ જૂન
સુધીમાં મોકલી આપવા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો