અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

પ્રાંતિજ તાલુકાના વદરાડ અને મેમદપુર ગામે પ્રભારી મંત્રીના હસ્તે બાળકોનું નામાકંન

રાજય સરકારે પ્રાથમિક શિક્ષણને પ્રાધાન્ય આપી પ્રાથમિક શિક્ષણની
ગુણવત્તા સુધરે તે માટે નકકર દિશામાં પગલાં ભરવાને પરિણામે આજે રાજયમાં
ડ્રોપ આઉટ દર ઘટયો છે. રાજયમાં સાક્ષરતાનો દર ૮૦ ટકાએ પહોંચ્યો છે. એમ
જિલ્લા પ્રભારી મંત્રીશ્રી જયનારાયણ વ્યાસે જણાવ્યું હતું.
સાબરકાંઠા જિલ્લામાં ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી
મહોત્સવના બીજા દિવસે આરોગ્ય અને જિલ્લા પ્રભારી મંત્રી શ્રી જયનારાયણ
વ્યાસે પ્રાંતિજતાલુકાના વદરાડ અને મેમદપુરા પ્રાથમિક શાળામાં
ધોરણ-૧માં પ્રવેશ પાત્ર બાળકોને ઉમંગભેર શાળા પ્રવેશ અપાવ્યો હતો.
મંત્રીશ્રીના હસ્તે આંગણવાડીના ભૂલકાંઓને પણ પ્રવેશ આપવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી: