અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

“શિક્ષણ એ બીજી માતા છે.” - શ્રી પંકજભાઇ ઓંધિયા ખાદી ગ્રામ ઉધોગભવન- પોરબંદર દ્વારા ગરીબ બાળકોને અભ્યાસકીટ અપાયા સ્વ. મથુરદાસ ભૂપ્તા ની સ્મૃતિમાં સરસ્વતી વંદના પ્રોજેકટ શરૂ કરાયો

પોરબંદર,
પોરબંદર ના ખાદીગ્રામ ઉધોગ ભવન દ્વારા ડીસ્ટ્રીકટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ
ઇન્ડસ્ટ્રીઝના હોલમાં ગરીબ બાળકોને અભ્યાસકીટ અર્પણ કરવાનો કાર્યક્રમ
યોજાયો હતો. જેમાં શહેરના ગરીબ બાળકોને અભ્યાસ કીટ મહાનુભાવોના હસ્તે
અર્પણ કરાઇ હતી.
કૂતિયાણા- રાણાવાવના નાયબ કલેકટર અને પ્રખર વકતા શ્રી પંકજભાઇ ઔંધિયાએ
સાહિત્યિક ભાષામાં જણાવ્યું હતું કે શિક્ષણ એ બીજી માતા છે. અભાવમાંથી
ઇચ્છાશકિત જન્મતી હોય છે, તેથીજ મોટી સિધ્ધિઓ હાંસલ કરનારી મોટી હસ્તીઓ
મોટા ભાગે ગરીબી કે અભાવ સાથે સંઘર્ષ કરીને આગળ આવી હોવાના ઘણાં
દ્રષ્ટાંએતો મળે છે. તેમણે ગરીબ બાળકોને આગળ વધવાનો સંકલ્પ કરવા પ્રેરણા
આપી હતી. અને આ પ્રકારના કાર્યક્રમોમાં હંમેશા સહયોગ આપવાની તત્પરતા
વ્યકત કરી હતી.
સ્વામિનારાયણ સંત પૂ. ભાનુપ્રકાશ સ્વામિજી એ રાજય સરકારના શાળા
પ્રવેશોત્સવ ને અનુરૂપ સંસ્થા દ્વારા થયેલ ગરીબ બાળકોને શૈક્ષણિક સાધન
સહાય ની પવૃતિને આવકારી હતી. ર્ડો. સુરેખાબેન શાહે ખાદી ગ્રામોધોગ
ટ્રસ્ટસના આધ સ્થાપક સ્વ. મથુરાદાસભાઇ ભૂપ્તાૃની સેવાકીય પ્રવૃતિઓ અને
ગાંધીવાદી અભિગમની પ્રશંસા કરી હતી. સંસ્થાના મંત્રીશ્રી મૂકેશભાઇ દત્તાએ
ખાદી ગ્રામઉધોગ ભવનની સેવાકીય પ્રવૃતિઓની વિસ્તૃત વિગતો આપી સ્વ.
મથૂરદાસભાઇ ભૂપ્તારની સ્મૃતિમાં સરસ્વતી વંદના યોજના ના પ્રારંભની
જાહેરાત કરી હતી. પ્રારંભમાં સંસ્થાના પ્રમુખશ્રી અનિલભાઇ કારીયાએ સ્વાગત
પ્રવચન કર્યું હતું જયારે કાર્યક્રમના અંતે શ્રી જયેશભાઇ લાખાણીએ
આભારદર્શન કર્યુ હતું. આ કાર્યક્રમમાં શ્રી દયારામભાઇ ગોંડલિયા, ચેમ્બર
ઓફ કોમર્સના મંત્રીશ્રી જતીનભાઇ હાથી અને હોદેદારો, સંસ્થાના પ્રતિનિધિ,
શહેરના પ્રતિષ્ઠીકત નાગરિકો સહીત ના મહાનુભાવો ઉપસ્થિત રહયા હતા.

ટિપ્પણીઓ નથી: