લીધા વગર મેગેઝિન શાળાઓમાં રવાના થયાનું ધ્યાને આવતાં સર્વશિક્ષા અભિયાન
કચેરીએ તે જ દિવસે તાત્કાલિક અસરથી મેગેઝિનની બધી નકલો શાળાઓમાંથી પાછી
ખેંચી લીધી
કસુરવાર સામે ગંભીરત્તમ પગલાં લેવાશે
શિક્ષણ મંત્રી રમણલાલ વોરાએ ગોલીબારના "પઝલ મેઝિક' મેગેઝિનના મે-ર૦૧રના
અંકમાં અભદ્ર લખાણ અંગેની પ્રસિધ્ધિના વિવાદ સંદર્ભમાં સ્પષ્ટતા કરતા
જણાવ્યું છે કે, આ અભદ્ર લખાણની બાબત તંત્રના ધ્યાન ઉપર આવતાં જ તેની
એજન્સી મે. અમિષા પિ્રન્ટ એન્ડ પબ્લીશીંગ અમદાવાદનો વર્ક ઓર્ડર તાત્કાલિક
અસરથી રદ કરવામાં આવ્યો છે. તદ્દઉપરાંત જે શાળાઓમાં આ મેગેઝિન પહોંચ્યા
હતા તે તમામ શાળામાંથી તે પાછા ખેંચી લેવામાં આવ્યા છે અને એજન્સીને
બ્લેક લિસ્ટેડ જાહેર કરીને તેની સામે પેનલ્ટી સહિત નિયમાનુસારના પગલાં
ભરવાની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવામાં આવી છે.
શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું કે આ સમગ્ર બાબતને રાજ્ય સરકારે અત્યંત
ગંભીર ધટના તરીકે ધ્યાનમાં લીધી છે. બાળકોમાં વાંચન શકિત ખીલે, સામાન્ય
જ્ઞાનનો વધારો થાય અને ગણિત-વિજ્ઞાન જેવા વિષયોમાં અભિરૂચિ કેળવાય તેવા
હેતુથી સર્વશિક્ષા અભિયાન અંતર્ગત મે. અમિષા પિ્રન્ટ એન્ડ પબ્લીશિંગ,
અમદાવાદને ત્રણ મહિના માટે આ મેગેઝિન પ્રકાશિત કરીને પ્રાથમિક શાળાઓમાં
સપ્લાય કરવા માટેનો વર્ક ઓર્ડર આપેલો હતો અને તે અંગેના ટેન્ડરની શરત
મુજબ એજન્સીએ બાંહેધરી આપી હતી કે મેગેઝિનમાં કોઇપણ નૈતિક મૂલ્યો કે
ચારિત્રયવર્ધક બાબતોનો ભંગ થશે નહીં, તેમજ મેગેઝિન યોગ્ય ગુણવત્તાનું
હશે. એટલું જ નહીં મેગેઝિન સપ્લાય કરતા પહેલાં તેની સંપૂર્ણપણે સ્ટેટ
પ્રોજેકટ ઓફિસ સર્વશિક્ષા અભિયાનમાં ફરજીયાત ખરાઇ કરાવવાની રહેશે અને
મેગેઝિન સપ્લાય કરવાની લેખિત સંમતિ મળે તે પછી કચેરીના કર્મચારીની
હાજરીમાં મેગેઝિન પોસ્ટ કરવાના રહેશે.
આમ, ટેન્ડરની સ્પષ્ટ શરતો મુજબ સ્ટેટ પ્રોજેકટ ઓફિસમાં સક્ષમ અધિકારીને
મેગેઝિન બનાવી તેના નૈતિક મૂલ્યો અને લખાણોની ખરાઇ કરાવવાની શરતોનો
એજન્સીએ સંપૂર્ણ ભંગ કર્યો છે અને કોઇની પાસે ખરાઇ કરાવ્યા વગર, મેગેઝિન
બતાવ્યા વગર કે પૂર્વમંજૂરી લીધા વગર શાળાઓમાં તા.૧૯/પ/ર૦૧ર ના રોજ પોસ્ટ
કરી દીધા હતા જેને અત્યંત ગંભીર ગણીને સર્વશિક્ષા અભિયાને આ બાબત
ધ્યાનમાં આવતાં જ ધડીના પણ વિલંબ વગર તે જ દિવસે એટલે કે તા.૧૯/પ/ર૦૧રના
રોજ એજન્સીને નોટિસ આપી દીધી હતી અને વર્કઓર્ડર તાત્કાલિક અસરથી રદ
કરવામાં આવ્યો હતો અને શાળાઓમાંથી મેગેઝિન પરત ખેંચી લેવામાં આવ્યા હતા.
શિક્ષણ મંત્રીશ્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે મેગેઝિનમાં પ્રસિધ્ધ થયેલા
અભદ્ર લખાણની સમગ્ર બાબત અત્યંત ગંભીર છે. અને એટલે જ રાજ્ય સરકાર
જવાબદારો સામે નિયમાનુસાર પગલાં લેવામાં કોઇપણ કચાશ રાખવાની નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો