રાજકોટ
જિલ્લા ના જસદણ તાલુકામાં અંદાજે રૂ. ૯૪ કરોડના ખર્ચે બનનાર રસ્તાઆના
કામોની ખાતમુહુર્તવિધિ માર્ગ-મકાન રાજયમંત્રીશ્રી જયદ્રથસિંહજી પરમારના
હસ્તેહ તા. ૧૭ જુનના રોજ યોજાશે. મુખ્યહ મહેમાન પદે ધારાસભ્યય ડો. ભરતભાઇ
બોધરા ઉપસ્થિરત રહેશે. આ અંગેના બે ઉદધાટન કાર્યક્રમો તા. ૧૭ના રોજ સવારે
૯ કલાકે ઉમીયા વિદ્યા મંદિર, થોરીયાળી ગામ અને સવારે ૧૦.૩૦ કલાકે કન્યાક
છાત્રાલય પાસે આટકોટ ખાતે યોજવામાં આવશે. આ પહોળા અને મજબુતી કરણ કરવામાં
આવનાર રસ્તાળઓમાં અંદાજે રૂ. ૬ર કરોડના ખર્ચે વાંગધ્રા-જસદણ રાજય ધોરી
માર્ગ નં.૧ કિ.મી. ૧૬૭/૦ થી ૧૯૮/ર અને રૂ. રર કરોડના ખર્ચે
આટકોટ-જીવાપર-વાસાવડ રાજય ધોરી માર્ગ નં. ૩૨૦ કિ.મી. ૦ થી ર૮ નો સમાવેશ
થાય છે. આ રસ્તાકઓની કામગીરી સાથે ૬ માઇનોર બ્રીજનું વાઇડનીંગ, ૧૮
નાળાનું વાઇડનીંગ તથા રીકન્ટ્ર૬કશન, ૧ નંગ બોકસ કલવર્ટ તથા ૭ નંગ નાળા
પુલીયા નવા બનાવવાનું કામ અને સાણથલી ગામમાંથી પસાર થતા રસ્તાક પર પ૮૦
મીટર લંબાઇનો સી.સી. રોડની કામગીરી કરાશે. તેમ જિલ્લાપ માર્ગ અને મકાન
વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો