અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

શિક્ષિત અને સંસ્કારી સમાજના નિર્માણ માટે શિક્ષણ અનિવાર્ય છે. –ગૃહરાજ્યા મંત્રી શ્રી પ્રફૂલભાઇ પટેલ હિંમતનગર તાલુકાના ગામોમાં શાળામાં બાળકોનું નામાકંન કરાવ્યું

સાબરરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના પ્રેમપુર, દેધરોટા, કાંકણોલ,
હડિયોલ અને ગઢોડા પ્રાથમિક શાળામાં ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ પટેલે
ધોરણ- ૧ અને આંગણવાડીમાં પ્રવેશપાત્ર બાળકોનું નામાકંન કરાવ્યું હતું
આ પ્રસંગે શાળામાં બાળકોને નામાંકન કરાવતા ગૃહ રાજય મંત્રીશ્રી પ્રફૂલભાઇ
પટેલે જણાવ્યું હતું કે દરેક સમાજનો વિકાસ શિક્ષણ થકી શક્ય્ છે. આથી
દરેક ગામના વાલીઓ,આગેવાનોને પ્રાથમિક શાળામાં પ્રવેશપાત્ર દરેક બાળકને
પ્રાથમિક શાળામાં દાખલ કરાવવા તથા બાળકને નિયમિત શાળાએ મોકલવા અને
શિક્ષણક્ષેત્રે આગળ વધે તેવી વાલી તરીકે જવાબદારી નિભાવવી તથા શિક્ષિત
બનાવી સંસ્કાતરી સમાજનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો.

ટિપ્પણીઓ નથી: