અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

રાજ્યમાં ૪૩ ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી યોજાશે

રાજ્યમાં ૧૭મી જૂને યોજાનારી આઠ નગરપાલિકાઓની પેટા ચૂંટણીની સાથોસાથ કુલ
૪૩ ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. રાજ્યમાં તા.૩૦-૯-૨૦૧૨ સુધી
મુદત પૂરી થતી હોય તેવી ૩૦ અને વિભાજનથી અસ્તિત્વમાં આવેલી ૬ ગ્રામ
પંચાયતો મળી કુલ ૪૩ ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જે પૈકી ૬
ગ્રામપંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. જે પૈકી ૬ ગ્રામ પંચાયતોમાં તમામ
વોર્ડના સભ્યો અને સરપંચની બેઠકો સહિત સંપૂર્ણ બિનહરીફ જાહેર થયેલ છે.
આથી ૩૭ ગ્રામપંચાયતોની ચૂંટણી યોજાશે. આ સાથે રાજ્યની ગ્રામ પંચાયતોમાં
ખાલી પડેલી વોર્ડની / સરપંચની બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થશે જે
માટે સંબંધિત જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રીઓ દ્વારા સંપૂર્ણ
તૈયારીઓ કરવામાં આવી છે એમ નાયબ ચૂંટણી કમિશનર શ્રી રાજ્ય ચૂંટણી આયોગ
ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.
વેદ શાસ્ત્રોના પારંગત ત્રણ પંડિતોનું સન્માન ટાઉનહોલ ખાતે
મુખ્યમંત્રીશ્રી દ્વારા કરાશે
વેદ શાસ્ત્રના પારંગત ત્રણ પંડિતો શ્રી જ્યાનંદ દયાળજી શુકલ - યર્જુવેદ,
શ્રી ભગવતલાલ ભાનુપ્રસાદ શુકલ-ઙ્ગગ્વેદ અને શ્રી ઇન્દ્રવદન ભાનુશંકર ભટ્ટ
- શાસ્ત્રનું વર્ષ ૨૦૧૧-૧૨ માટે મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના
વરદ્‍ હસ્તે સન્માન કરવામાં આવશે. આ પ્રસંગે વર્ષ ૨૦૧૨ના સાહિત્ય ગૌરવ
પુરસ્કાર શ્રી લક્ષ્મેશ વલ્લભજી જોષી અને યુવા ગૌરવ પુરસ્કાર શ્રી મિહિર
પ્રદીપભાઇ ઉપાધ્યાયને અર્પણ કરવામાં આવશે.
રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િા વિભાગ અતર્ગત સંસ્કૃત સાહિત્ય
અકાદમી, ગાંધીનગર દ્વારા તા.૨૦-૬-૨૦૧૨ના રોજ ટાઉન હોલ ગાંધીનગર ખાતે
સાંજે ૬-૩૦ વાગે યોજનારા સંસ્કૃતોત્સવ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી સાથે
સાંસ્કૃતિક પ્રવૃતિ મંત્રીશ્રી ફફીરભાઇ વાધેલા, પ્રભારી મંત્રીશ્રી
જયસિંહ ચૌહાણ, શ્રી સોમનાથ યુનિવર્સિટીના ઉપકુલપતિ શ્રી વેપટિ
કુટુંબશાસ્ત્રીજી, ધારાસભ્ય શ્રી શંભુજી ઠાકોર સન્માનમાં જોડાશે એમ
સંસ્કૃત સાહિત્ય અકાદમી ગાંધીનગરના મહામાત્ર શ્રી હર્ષદ ત્રિવેદીની
યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: