બાળક શિક્ષિત બને તો જ દેશનું ભવિષ્ય ઉજ્જવળ બનશે
શ્રી કનુભાઇ ભાલાળા, કૃષિ રાજ્ય મંત્રી
ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં શાળા
પ્રવેશોત્સવની ઉજવણી
રાજકોટ
ધોરાજી તાલુકાના જમનાવડ, પીપળિયા, મોટી મારડ, વાડોદર અને ઉદકિયામાં કૃષિ
રાજ્ય મંત્રી શ્રી કનુભાઇ ભાલાળાની પ્રેરક ઉપસ્થિતિમાં શાળા
પ્રવેશોત્સવની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ તકે શ્રી ભાલાળાએ
જણાવ્યું હતું કે આજે બાળક જો શિક્ષિત બને તો જ આપણા દેશનું ભવિષ્ય
ઉજ્જવળ બનશે. રાજ્ય સરકાર દ્વારા બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ
માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે ગામડાની શાળાઓમાં પણ કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે.
હવે, અંગ્રેજીના શિક્ષકોની પણ ભરતી કરવામાં આવી છે. જેથી બાળકોને શહેરની
કક્ષાનું શિક્ષણ મળી રહે. રાજ્ય સરકાર દ્વારા નવા શિક્ષકોની ભરતી કરવામાં
આવી છે. ત્યારે, હવે વાલીઓની જવાબદારી બને છે કે તે પોતના બાળકને સારી
રીતે ભણાવે.
શ્રી ભલાળાએ ઉમેર્યું હતું કે આજે આપણે જોઇએ છે કે ઘણા બાળકોના વાલીઓને
કોઇને કોઇ વ્યસન હોઇ છે. જે પોતાની આવકનો એક મોટો ભાગ વ્યસન પાછળ વેડફતા
હોય છે. આ વાલીઓ જો પોતાનું વ્યસન ત્યજી તેને બદલે બાળકને દૂધ પીવડાવશે
તો પણ બાળકની બુદ્ધિ તીવ્ર બનશે.
રાજ્ય કક્ષાએથી ઉપસ્થિતિ સીઆઇડી ક્રાઇમના એસ. પી. શ્રી ડી. એન. પટેલે
પોતાના પ્રાસંગિક ઉદ્દબોધનમાં જણાવ્યું કે વર્તમાન સમયે જરૂરી તમામ
પ્રકારની સુવિધા તમામ પ્રાથમિક શાળાઓને આપવામાં આવી છે. સુશિક્ષિત
શિક્ષકગણ અને કમ્પ્યુટર વડે બાળકોને સારી ભણાવી શકાય એમ છે. ત્યારે વાલીઓ
પોતાના બાળકોને શાળાએ મોકલે અને તેને ભણાવે એ જરૂરી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો