અનુયાયીઓ

શુક્રવાર, 15 જૂન, 2012

પ્રાથમિક શિક્ષણની સાથે સમાજનો સર્વાંગી વિકાસ કરવા અનેકવિધ યોજના અમલી બનાવી સામાજીક ઉત્કસર્ષ કરવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે -કૃષિ અને સહકાર મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી પ્રતાપપરા ખાતે પ્રાથમિક શાળામાં-૧૨ અને આંગણવાડીમાં ૧૩ બાળકો દાખલ થયા

અમરેલી
કન્યાી કેળવણી અને શાળા પ્રવેશોત્સ૨વના બીજા દિવસે રાજયના કૃષિ અને સહકાર
મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીએ અમરેલી તાલુકાના પ્રતાપપરા પ્રાથમિક શાળા
ખાતે ૬ કુમાર અને ૬ કન્યાપઓને પ્રાથમિક શાળામાં તેમજ ૮ કુમાર અને ૫
કન્યામઓને કુમકુમ તિલક કરી આંગણવાડીમાં પ્રવેશ કરાવ્યોા હતો.
પ્રાથમિક શિક્ષણની સાથે સમાજનો સર્વાંગી વિકાસ કરવા અનેકવિધ યોજના અમલી
બનાવી સામાજીક ઉત્ક્ર્ષ કરવાનું કાર્ય રાજય સરકારે કર્યુ છે તેમ જણાવી
કૃષિ અને સહકાર મંત્રીશ્રી સંઘાણીએ જણાવ્યું હતું કે, રાજય સરકારે
બજેટમાં બાળકો, કિશોરીઓ અને ધાત્રી માતાઓને કુપોષણમાંથી ઉગારવા રૂ. ૭૦૦
કરોડની ફાળવણી કરી ભાવી પેઢીને તંદુરસ્ત, રાખવા ખેવના કરી છે.
મુખ્યામંત્રીશ્રી નરેન્દ્ર ભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટીથથી ગરીબ અને સામાન્યર
માનવીના જીવનમાં શિક્ષણ પ્રત્યેયની આહલેક જગાવી ગુજરાતને શિક્ષિત,
સંસ્કાીરી અને સમૃધ્ધ બનાવવા મંત્રીમંડળના સદસ્યાશ્રીઓ અને ઉચ્ચ
અધિકારીઓને ગામડે ગામડે મોકલી, પ્રવેશપાત્ર બાળકોને શાળામાં દાખલ કરાવવા
રાજય સરકારે છેલ્લા્ ૧૦ વર્ષથી કન્યાે કેળવણી અને શાળા પ્રવેશોત્સ્વનું
આયોજન કરી રહી હોય, શાળામાં દાખલ થતાં દરેક બાળકો અધવચ્ચેથી ઉઠી ન જાય
તેમજ પ્રાથમિક શિક્ષણ પુરૂ કરે તેવો વાલીઓને મંત્રીશ્રીએ અનુરોધ પણ કર્યો
હતો.

ટિપ્પણીઓ નથી: