રાજકોટ
કન્યાટ કેળવણી અને શાળા પ્રવેશોત્સાવ જેવા કાર્યક્રમો થકી રાજયના
બાળકોમાં સંસ્કા ર અને શિક્ષણનું સિંચન થાય છે, તેમ પડધરી તાલુકાના ઉકરડા
ખાતે બાળકોને શાળામાં પ્રવેશ કરાવતી વેળાએ રાજયના ગ્રામ વિકાસ
રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારિયાએ જણાવ્યું હતું.
રાજ્યભરમાં ચાલી રહેલા શાળા પ્રવેશોત્સાવ અને કન્યાહ કેળવણી મહોત્સજવના
બીજા દિવસે રાજકોટ જિલ્લાયના પડધરી તાલુકાનાં ઉકરડા ખાતે ગ્રામ વિકાસ
રાજયમંત્રીશ્રી મોહનભાઇ કુંડારીયાએ આજે ૩ કુમારો અને ૨ કન્યા ઓ મળી કૂલ
પાંચ બાળકોનો પહેલા ધોરણમાં પ્રવેશ કરાવ્યોડ હતો. આ ભૂલકાઓને શૈક્ષણીક
કિટ અર્પણ કરતા મંત્રીશ્રી કુંડારીયાએ જણાવ્યુંો હતું કે એકવીસમી સદી
વિજ્ઞાનની સદી છે, ત્યાૈરે ઉગતી પેઢીમાં બાળપણથી જ વૈજ્ઞાનિક અભિગમ
કેળવાય અને ઉચ્ચુ શિક્ષણ પ્રતિ રુચિ જાગે, તે માટે શાળા પ્રવેશોત્સષવ
જેવા કાર્યક્રમો ખૂબ જરૂરી છે. આપણા ગામનું ભાવિ આ પ્રાથમિક શાળામાં છે,
ત્યાતરે વધુ ને વધુ બાળકો શાળાએ આવે, બાળકમાં પડેલી શક્તિઓ ઉજાગર થાય અને
બાળકો શિક્ષણ અધવચ્ચે પડતું ન મુકે તે જોવા તેમણે વાલીઓ અને શિક્ષકોને
ખાસ અનુરોધ કર્યો હતો. મંત્રીશ્રીએ હરિપર ખાતે એક કન્યા અને સાત કુમારો
મળી આઠ બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો