Animals in News An animal keeper wraps a six-month-old Golden Brushtail Possum in a blanket at Wildlife Sydney animal park. Although rare, the Golden Brushtail Possum is still found in the wild in areas of Tasmania, an island state south of the Australian mainland. This baby squirrel suffered injuries to her leg and was separated from her mother when she fell from a tree - and she is not even three weeks old. The grey squirrel, called Violet, endured the ordeal when the branch her nest (known as a drey) was laying on was cut down. Fortunately, the couple cutting down the tree spotted Violet and immediately phoned the Wildlife Aid Foundation for advice on what to do. The foundation, based in Leatherhead, Surrey, took her in, bandaged her leg, and have been feeding her a special milk formula, similar to that her mother would have provided. British biologist Brett Lewis has taken pictures of brown bear cubs at play to show how they hone their survival instincts. What seems like play for these six-month-old cubs in the forests of Finland is crucial practice for them to hone their survival skills for the time when they will eventually leave the protection of their mother. A German zoo is celebrating after the birth of two rare white jaguar cubs. The twins were born at Aschersleben Zoo on 19th January and have recently ventured out into the world for the first time. The youngsters are currently white with pale grey markings, but it is not known how their colour will change as they continue to grow... ...The white jaguar cubs parents are 17-year-old golden-brown spotted father named Mescal and 13-year-old black mother named Molly. The Erie Zoo's lowland gorilla Samantha shares her space with Panda, a Dutch rabbit, at the zoo in Erie, Pennsylvania, USA This plucky little bird was given a good licking when it dared to venture near a massive bison. The brown-headed cowbird was feeding on insects when the towering beast gently touched it with her tongue. The bird let out a chirp before flying off. A wildebeest performs a death-defying leap to freedom over the open mouth of a hungry 1,100lb crocodile. This wildebeest was one of the lucky ones out of a mind-boggling 1.5million-strong herd crossing the Mara River, to reach the mating grounds in Kenya. Photographer and conservationist Eli Weiss captured the image on camera after waiting hours for the action to start. Tens of thousands of lesser and greater flamingos gather at Lake Oloiden, near Naivasha, Kenya A family of hippos are covered by weeds as they surface from a pond in the Maasai Mara National Reserve in southwestern Kenya Two cheetahs sit on a hillock to look for a prey in the Maasai Mara National Reserve Three meerkats relax and warm up under a heating lamp at the Erfurt zoo, central Germany Three tiger cubs Mila, Finja and Jegor play in their compound at the zoo in Cologne, Germany Seven-week-old Javan leopard cubs Arjuna and Sri Kandi are presented at the zoo in Berlin |
LOKCHARCHA BLOG CREATED BY KASHYAP JOSHI JOURALIST AND WRITER OF MANY GUJARATI NEWS PAPERS.YOU CAN ALSO SEND ME YOUR METTERS ON MY EMAIL. kkumarjoshi@gmail.com
અનુયાયીઓ
સોમવાર, 9 એપ્રિલ, 2012
Fwd: Animals in News
: Check out "(૧) સાચો ગુરુ .. (૨) ફણસ કાપતાં ... અને (૩) ઊગતા છોડને વાડ કરો ...(બોધકથાઓ)" on GUJARATI-ગુજરાતી
From: priya jain <share@gujarati.nu>
Date: 2012/4/9
Subject: Check out "(૧) સાચો ગુરુ .. (૨) ફણસ કાપતાં ... અને (૩) ઊગતા છોડને વાડ કરો ...(બોધકથાઓ)" on GUJARATI-ગુજરાતી
To: "kkumarjoshi@gmail.com" <kkumarjoshi@gmail.com>
|
શનિવાર, 7 એપ્રિલ, 2012
જેતપુરમાં કુટિર મેળાનો થયેલો પ્રારંભ
જેતપુરમાં જીમખાના ખાતે કુટિર મેળાનો થયેલો પ્રારંભ જેતપુરના જીમખાનામાં ધારાસભ્યીશ્રી જસુમતીબેન કોરાટે કુટિર મેળાનું ઉદધાટન કર્યુ હતું.કમિશનર કુટીર અને ગ્રામદ્યોગના સહયોગથી ઇન્ડેાક્ષ-સી, ગાંધીનગર, દ્વારા રાજયના હસ્તુકલા હાથશાળ માટીકામ, ચર્મ ઉદ્યોગ અને કુટિર ઉદ્યોગ ક્ષેત્રે કામગીરી કરતા કારીગરો દ્વારા ઉત્પાતદિત ચીજ વસ્તુરના વેચાણ માટે પ્રદર્શન-સહ વેચાણના કુટિર મેળાનું આયોજન કરવામાં આવે છે. અને આર્થિક રીતે નબળા વર્ગના કારીગરોની સામાજિક તથા આર્થિક ઉન્નાતિ થાય તે માટે બજારો વ્યતવસ્થાા પુરુ પાડવામાં આવે છે. અધીકારી આર.એચ.ગજ્જર અને નગીન નારીયાએ જણાવ્યુસ હતુ કે જીમખાના ગ્રાઉન્ડે, એસ.ટી. સ્ટેરન્ડા સામે જેતપુર ખાતે તા. ૪-૪-૧૨ થી તા. ૧૦-૪-૧૨ દરમિયાન કુટિર મેળાનું આયોજન કરેલ છે. જેમાં રાજયના રાજકોટ, અમદાવાદ, અમરેલી, વડોદરા, સુરત, ભાવનગર, સુરેન્દ્રછનગર, આણંદ, ભરૂચ, ગાંધીનગર, જામનગર તથા ખેડા જિલ્લાીના કારીગરો ભાગ લેવા આવેલ છે અને ૭૫ સ્ટોભલ કારીગરોને ફાવવામાં આવેલ છે. આ મેળામાં હાથશાળ, માટીકામની ચીજવસ્તુરઓ ચર્મ ઉદ્યોગની ચીજવસ્તુેઓ તથા કુટિર ઉદ્યોગની વિવિધ ચીજવસ્તુીઓ જેવી કે કુશનકવર, ગૃહ સુશોભનની વિવિધ ચીજવસ્તુાઓ, અકીક ચીજવસ્તુી, ઇમીટેશન જવેર્લરી, પેચવર્ક, મુખવાસ, રેશમદોરીના ઝુલા, જેવી ચીજવસ્તુ ઓનું વેચાણ કારીગરો દ્વારા સીધું જ ગ્રાહકોને કરવામાં આવશે. જેતપુરની તથા આજુબાજુના ગામોની કલા પારખુ લોકો વિવીધ ચીજવસ્તુરઓ ખરીદી કરી કારીગરોને પ્રોત્સાાહીત કરે તેમ જણાવાયું છે. |
માત્ર ગણતરીના દિવસો જ બાકી.
Check out "વ્યવસાયનો યજ્ઞ - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "વ્યવસાયનો યજ્ઞ - દેવદત્ત પટ્ટનાઇક" on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Ashok Vaishnav:
વેદ પુરાણોમાં વર્ણવેલ અગ્નિવડે થતી વિધિ - યજ્ઞ - જેવું જ વ્યવસાયનું પણ
છે. યજમાન જે કંઇ પોતાનું છે તે 'સ્વાહા'ના ઉચ્ચાર વડે અગ્નિમાં હોમી...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A127041&xgs=1&xg_source=msg_share_post
KKUMARJOSHI
Check out "પ્રભાશંકર પટ્ટણી : એક વિરલ વ્યક્તિત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ" on GUJARATI-ગુજરાતી
સંસ્કૃતિ,આપણુંગુજરાતી.ગુજરાતીઓ ગુજરાતીને મળો ગુજરાતીમાં
--------------------
Check out "પ્રભાશંકર પટ્ટણી : એક વિરલ વ્યક્તિત્વ : ડૉ. મહેબૂબ દેસાઈ"
on GUJARATI-ગુજરાતી
-priya jain
Blog post added by Mehboob Desai:
(સર પ્રભાશંકર પટ્ટણી ઓપેન વિન્ડો ચેરી ટેબલ ટ્રસ્ટ,ભાવનગર દ્વારા
૬,૭,અપ્રિલ ૨૦૧૨ના રોજ ભાવનગર મુકામે યોજાયેલ પરિસંવાદ "સર પ્રભાશંકર
પટ્ટણી...
Blog post link:
http://gujarati.nu/profiles/blog/show?id=5239948%3ABlogPost%3A127221&xgs=1&xg_source=msg_share_post
If your email program doesn't recognize the web address above as an active link,
please copy and paste it into your web browser
--------------------
About GUJARATI-ગુજરાતી
ગુજરાતીકવિતા,ગઝલ,લેખો,શાયરી,ગુજરાતીગીત,લોકગીત,ગુજરાતીસુવિચાર,ગુજરાતી
હાસ્ય,કવિતા,ગુજરાતીગીત,મુક્તકો,ગુજરાતી જોક્સ,કાવ્યસંગ્રહ,આયુર્વેદ
7583 members
--
KKUMARJOSHI
kashyap joshi jetalsar(jetpur)
©e y¾tzkLktË yk©{ ¾kíku Ãkt[rðÄ fkÞo¢{ku ÞkuòÞk..
17{ku ÃkkxkuíMkð, Mkðo¿kkríkÞ Mk{wn÷øLkkuíMkð, Ãkt[fwze Þ¿k, hõíkËkLk, ð†ËkLk yLku MkkÞf÷ rðíkhý Ãký ÞkuòÞk..
(suík÷Mkh çÞwhku) suík÷Mkh íkk.7 (f~ÞÃk òu»ke îkhk)
suíkÃkwhÚke swLkkøkZ síkkt ðå[u ykðíke suík÷Mkh hu÷ðu ÃkkMku ykðu÷k ©e y¾tzkLktË yk©{(þrõíkÄk{-[k{wtzk {kíkkSLkk {trËh) ¾kíku nLkw{kLk sÞtríkLkk ÃkkðLk rËðMku Ãkt[rðÄ fkÞo¢{kuLkk ykÞkusLkku ÚkÞk níkkt.
st{kt yk©{Lkk {ntík ©e y¾tzkLktË MkhMðrík {nkhks©eLkk MkkrLkæÞ{kt {ntík©e sÞkLktËS {nkhks yLku r¢»LkkLktËS {nkhksLke snu{ík ðå[u ÞkuòÞu÷ fkÞo¢{ku{kt Mk{wn ÷øLkkuíMkð{kt 11 LkðÞwøk÷kuLku «¼wíkk{kt Ãkøk÷k Ãkkze Mktíkku {ntíkkuLkk ykþeðo[Lk {u¤ÔÞk níkkt.
Lkð[tze Þ¿kLkk ËþoLkLkku yLkuf Ä{o«u{e sLkíkkyu ÷k¼ ÷eÄku níkku. hõíkËkLk rþçkeh{kt ¾wË yk©{Lkk {ntík©eykuyu hõíkËkLkLke þÁykík fhíkkt {kuxe MktÏÞk{kt hõíkËkLk fhðk Ëkíkkyku W{xe Ãkzâk níkkt. yÃkknes MkkÄw MktíkLku ©e sÞkLktËS MkhMðrík {nkhks©eLkk nMíku xÙkÞrMkf÷Lkwt rðíkhý fhkÞwt níkwt. íkku økheçk íku{s Lkçk¤k ðøkoLkk ÷kufkuLku ð†ËkLk Ãký fhkÞwt níkwt.
yk©{ ¾kíkuLkk Ãkt[rðÄ fkÞo¢{Lkku ÷k¼ ÷uðk ËwhËwhÚke Mktíkku, {ntíkku, Mkk{kSf, hksfeÞ yLku Mkuðk¼kðe ykøkuðkLkku, fkÞofhku nksh hne yk©{Lke MkuðkrfÞ «ð]ríkykuLku rçkhËkðe níke. yk íkfu suík÷Mkh(suíkÃkwh)Lkk Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku þk÷ ykuZkze yk©{Lkk {ntík©e y¾tzkLktËS {nkhks©eyu ¼uxÃkwò ykÃke MkífkÞko níkkt. «Míkwík íkMkðehku{kt Þ¿k, Mk{wn÷øLkkuíMkð, hõíkËkLk, ð†ËkLk,yLku xÙkErMkf÷ rðíkhýLke Ãk¤ku ÿrüøkku[h ÚkkÞ Au.
íkMkðehku: f~ÞÃk òu»ke-suík÷Mkh(suíkÃkwh)
xkuÃke...{fkLkkuLkk Mkkxk¾ík çkkË ðU[kýLkk..
ËMíkkðuòu ykÃkðk{kt XkøkkXiÞk fhLkkh suíkÃkwhLkk
íkðtøkhLku LkkuxeMk Vxfkhíkk 1h ykMkk{eyku....
30 rËðMk{kt {fkLkLkk ËMíkkðuòu Lk {¤u íkku Ãkku÷eMk{kt AuíkhÃkªzeLke VheÞkË LkkUÄkððk ç÷kufÄkhfku {¬{ !?
(suík÷Mkh çÞwhku) suík÷Mkh íkk.7(f~ÞÃk òu»ke îkhk)
suíkÃkwhLkk ÷kËe hkuz WÃkh yuf xÙMx Mkt[k÷fu çkkh Úke yZkh ç÷kuf ðut[ký Mkkxk¾ík fÞko çkkË nðu fçòLkku ËMíkkðuòu ykÃkðk{kt XkøkkXiÞk fhíkkt nkuÞ, ç÷kuf{kr÷fkuyu xÙMx Mkt[k÷fLku MÚkkrLkf ðrf÷ {khVík LkkuxeMk Vxfkhe ykøkk{e 30 rËðMk{kt Äxíkwt fhðk yLÞÚkk Ãkku÷eMk-fkuxo VrhÞkËLkku ¼kuøk çkLkðk íkiÞkh hnuðkt sýkðíkkt þnuh¼h{kt [f[kh òøke Au.
yk çkkçkíku {¤íke rðøkíkku {wsçk suíkÃkwhLkk ÷kËe hkuz WÃkh ËkWË yuÃkkxo{uLx{kt xÙMx Mkt[k÷f n{ò¼kEyu yZkh sux÷k LkkøkhefkuLku ç÷kufMk ytøku fçkò MkkÚku Mkkxk¾ík fÞko çkkË yuðwt ð[Lk ykÃku÷ fu A {rnLkk{kt ðut[ký ËMíkkðus fhe ykÃkeþ. Ãký Mk{Þ síkkt A {rnLkk WÃkhLkku Mk{Þ ÚkÞku nkuðk Aíkkt yk çkkçkíku XkøkkXiÞk fhíkkt xÙMx Mkt[k÷fLku þnuhLkk yu yZkhuÞ ykMkk{eykuyu MÚkkrLkf ðrf÷ {khVík yuf 30 rËðMkLke {nuík÷ðk¤e yuf LkkuxeMk Vxfkhe Au.
LkkuxeMk{kt sýkðkÞwt Au fu, ðU[ký ËMíkkðus fhe ykÃkðkLke {wËTík Ãkwhe ÚkE sðk Aíkkt ðU[ký ËMíkkðus fhe ykÃkðk{kt Mk{ÞLkk ÃkøkÚkeÞk fÞuo sðk WÃkhktík yMke÷ku ÃkkMku Mkkxk¾ík{kt ykuAe hf{ Ëþkoðe ðÄw hf{ ÷E rðïkMkÄkík fhu÷ Au. Mkkxk¾ík Ãkuxu ykÃku÷e hf{ yku¤ðe sðkLkku EhkËku Mkuðe, ðU[ký ËMíkkðus çkLkkðe ykÃkíkkt Lkk nkuÞ ík{khe (n{Ík¼kE) Mkk{u VkusËkhe yrÄrLkÞ{Lke f÷{ 406, 4h0, 1h0-çke {wsçkLke þk {kxu VheÞkË Lk fhðe íku ytøku ykøkk{e 30 rËðMk{kt sðkçk ykÃkðku..
yk{ þnuhLkk yuf MÚkkrLkf íkðtøkhLku Mkk{kLÞ çkkçkíku LkkuxeMk VxfkhkÞkLke ðkíkÚke [f[kh òøke Au.
çkkuûk: LkkuxeMk VxfkhLkkhk ykMkk{eyku fkuý fkuý ?
suík÷Mkh: õÞkt ykMkk{eykuyu þnuhLkk n{Ík¼kELku LkkuxeMk Vxfkhe Au ? íkuðk Mkðk÷{kt ðrf÷ SíkuLÿ ÷kzðkyu yk ÷¾Lkkh Þwðk Ãkºkfkh f~ÞÃk òu»keLku sýkðu÷ fu, þnuhLkkt Efçkk÷ Eçkúkrn{¼kE økkuxfk, þççkh¼kE nkrík{¼kE çkk{Lk, Efçkk÷¼kE nkSMkíkkh¼kE zkuMkkýe, YfiÞkçkuLk yÕíkkV¼kE Äzk, MkkhkçkuLk VfYËeLk¼kE ¾urík, þçkeh¼kE hMkw÷¼kE rnhkýe, nfe{wËTeLk VfY¼kE ¾urík, LkrVMkkçkuLk yçËw÷nwþuLk¼kE htøkðk÷k, hrMkËkçkuLk nkrík{¼kE ¾urík, n÷e{kçkuLk nkYLk¼kE hksðkýe, Vkíku{kçkuLk VkYf¼kE Äzk íkÚkk n÷e{kçkuLk Efçkk÷¼kE zkuMkkýe(hnu.çkÄk ËkWË yuÃkkxo{uLx, ÷kËehkuz, suíkÃkwh) yu{ ík{k{Lkku Mk{kðuþ Úkíkku nkuðkLkwt ðrf÷ sýkðu Au.
çkkuûk: yøkkW Ãký rððkË ÚkÞku níkku..
suík÷Mkh: ËkWË yuÃkkxo{uLx çkLkkðLkkh ykMkk{eyu ÃkkrfOøk MkwrðÄk{kt çkktÄfk{ íku{s {wÏÞ Ëhðkò ðå[u çkktÄfk{ W¼w fhe ÷uíkkt {nuçkwçk¼kE ySs¼kE {ktzðeÞk MkrníkLkk ykMkk{eykuyu MÚkkrLkf LkøkhÃkkr÷fk íku{s LkøkhÃkkr÷fkLkk rLkÞk{f©eLku Auf økktÄeLkøkh MkwÄe hswykíkku fhíkkt fnuðkÞ Au fu yk çkktÄfk{ Ëwh fhðk MkhfkhLkku nwf{ ÚkE økÞku Au. yk{ Aíkkt suykuLke sðkçkËkhe Au íkuyku yk çkktÄfk{ Ëwh fhðkt ÞuLkufuLk «fkhu yk¾ykzk fkLk fhíkkt nkuÞ, nðu Ëçkký Ëwh fhðk {Úkíkkt hrnþkuyu hksfkux SÕ÷k f÷uõxhLku yuf ÷ur¾ík hswykík fhe íkuykuLku {¤ðkLkku xkE{ {ktøÞku Au. su xkE{ {éÞu suíkÃkwhLkk hrnþku yuÃkkxo{uLx {kr÷fu fE fE heíku økuhfkÞËuMkh çkktÄfk{ W¼w fÞwO Au íkuLke rMk÷rMk÷kçkæÄ rðøkíkku, {krníkeyku YçkY f÷uõxh©eLku ykÃkþu íkuðwt òýðk {¤u Au.kashyap joshi jetalsar(jetpur)
શુક્રવાર, 6 એપ્રિલ, 2012
આર્મી ચીફને કાવતરાંની પહેલેથી ખબર હતી
આવાસ વિહોણા અનુસુચિત જાતિના બીપીએલ લોકો આવાસ માટે સંપર્ક કરે :
નવસારીઃ
નવસારી જિલ્લાના અનુસુચિત જાતિના લોકો કે જેમનું નામ બીપીએલ યાદીમાં ૧ થી ૨૦ ના સ્કોરમાં હોય અને આવાસ વિહોણા હોય તથા આવાસની કઇપણ યોજનાનો લાભ લીધો ન હોય તેવા લોકોએ સબંધિત તલાટીનો આ બાબતનો દાખલો મેળવીને દાખલો મેળવીને જિલ્લા પંચાયત કચેરી, નવસારી સમાજ કલ્યાણ શાખાનો સંપર્ક કરવા જિલ્લા વિકાસ અધિકારીશ્રી નવસારી ઘ્વારા જણાવાયું છે.
અસહય ગરમીથી બચવાની ટીપ્સ અજમાવવા અનુરોધ :
અસહય ગરમીથી બચવાની ટીપ્સ અજમાવવા અનુરોધ :
નવસારીઃ
ઉનાળાની અસહય ગરમીમાં લોકો રાહત અનુભવી શકે તે માટે નવસારી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ઘ્વારા કેટલીક ટીપ્સ અજમાવવા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. અસહય ગરમીના કારણે લુ (હી સ્ટ્રોક)થી માથું દુખવું, ઉલ્ટી-ઉબકા, ચકકર આવવા, બેચેની આવવી વગેરે પ્રકારના લક્ષણો જોવા મળે છે. ગરમીના કારણે શરીરમાંથી પાણી અને ક્ષાર ઓછાં થવાના કારણે બ્લડપ્રેસર ઘટી જવાથી તેમજ ઇલેકટ્રોલાઇટ ઓછા થવાના કારણે ચામડી પર સીધી અસર થવાથી ચામડીના રોગો પણ થાય છે.
ગરમીમાં આ રોગોથી બચવા અને ગરમીમાં રાહત માટે સુતરાઉ કપડા, પાણી,લીંબુ સરબત વધુ પ્રમાણમાં લેવું અને ભીના કપડાથી શરીર ઢાંકવું.હાથ-પગમાં કોટન મોજા પહેરવા, દિવસ દરમિયાન પ્રવાહી વધારે પ્રમાણમાં લેવું. ચરબીયુકત ખોરાક લેવાનું ટાળવું. ગરમીના કારણે માથું દુખે અથવા ચકકર કે ઉબકા આવે તો તાત્કાલિક સારવાર મેળવી લેવી. હાલમાં ઉનાળા ઋતુમાં પાણીનું લેવલ નીચું જવાથી તથા પાણીની અછતના કારણે પીવાના પાણીમાં ઘણી અશુદ્વિઓ ભળે છે જેના કારણે પાણીજન્ય રોગો જેવાં કે કોલેરા, કમળો, ટાઇફોઇડ વિગેરે થવાની સંભાવના રહેલી છે. પીવાના પાણીને જંતુરહિત કરવા તેમાં બ્લીચીંગ પાવડર અથવા ૨૦ લીટરના પાણીનાં માટલામાં રોજ એક ગોળી કલોરીનની ભુકકો કરી નાંખવાથી પાણી જંતુરહિત અને સલામત રહે છે. બજારમાં ખુલ્લા ખાદ્ય પદાર્થો, ફેરીયા ઘ્વારા વેચાતા કુલ્ફી, ગોળા, માછલી તથા અન્ય ખાદ્ય પદાર્થો ખાવાનું તથા વાસી ખોરાક ખાવો નહી. પાણીજન્ય રોગો અંગેની જાણકારી નજીકનાં આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાના/હોસ્પિટલ ખાતે તેમજ અન્ય કોઇપણ રોગચાળા વિશે નવસારી જિલ્લા પંચાયતના રોગચાળા નિયંત્રણ અધિકારી ડૉ.એમ.આર.ડેલીવાલા ફોનં નંબર (૦૨૬૩૭) ૨૩૨૫૩૩ મો.નં.-૯૭૨૭૭૦૪૦૦૭ પર સંપર્ક સાધવા જણાવાયું છે.
વલસાડની ખેલ પ્રતિભાઓની ઊંચી ઊડાન :
વલસાડની ખેલ પ્રતિભાઓની ઊંચી ઊડાન :
ખેલ મહાકુંભમાં રાષ્ટ્રીય સ્તરે ચમકેલી અતૂલની પ્રતિભા અગ્નિહોત્રીનું કરાયુ જાહેર સન્માન
: રાજ્ય સરકારે આરંભેલા અનોખા એવા ખેલ મહાકુંભના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં છૂપાયેલી ખેલપ્રતિભાઓને બહાર આવવાની તક સાંપડી છે, એમ વલસાડ તાલુકાના અતુલ ગામની પ્રતિભા અગ્નિહોત્રીએ વલસાડ ખાતે તેના જાહેર સન્માન બાદ એક મુલાકાતમાં જણાવ્યું હતું.
વલસાડના શાંતિનગરના મેદાન ખાતે યોજાયેલા મહિલા સંમેલનમાં તેનું સન્માન રાજ્યમંત્રી શ્રી રણજીતભાઇ ગીલીટવાલાએ કર્યું હતું. દરમિયાન તેણીએ તેનો પ્રતિભાવ આપતા રાજ્ય સરકારના ખેલ મહાકુંભ સહિત કન્યા કેળવણી જેવા કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. ધોરણ-૧૦ની પરીક્ષા આપીને હાલમાં જ પરીક્ષાના ટેન્શનમાંથી મુક્ત થયેલી આ યુવા ખેલાડીએ ધોરણ છ થી એથ્લેટીક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું હતું. રાજ્ય સરકારે છેવાડાના ખેલાડીઓની ક્ષમતાઓને બહાર લાવવાના હેતુસર આરંભેલા ખેલ મહાકુંભના કારણે જ તેણી બાસ્કેટ બોલમાં રાષ્ટ્રીય સ્તરે ભાગ લઇ શકી છે તેમ જણાવ્યું હતું. તેણીને રાષ્ટ્રીય સ્તર સુધી જવામાં રાજ્ય સરકારના ખેલ મહાકુંભની યોજના તળે ફ્રી કોચીંગ, ટ્રેકસૂટ, શુઝ જેવા આનુષાંગિક સાધનની સહાય પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી હતી. જ્યારે આગામી ઉનાળુ વેકેશનમાં આવા ખેલાડીઓ માટે રાજ્યના હિંમતનગર ખાતે વિશેષ કેમ્પનું પણ આયોજન કરાયુ હોવાનું તેણીએ વધુમાં ઉમેર્યું હતું.
ગુજરાતની મહિલા ખેલાડીઓ હવે આકાશ આંબશે વિશ્વા વસાણીઃ રાષ્ટ્રીય કક્ષાની ફુટબોલ ખેલાડી
ખેલ મહાકુંભના આયોજન થકી હવે ગુજરાતમાં રમત ગમત પ્રત્યે જાગૃતિ આવી છે. છેવાડે આવેલા વલસાડ જેવા જિલ્લાની મારા જેવી વિદ્યાર્થીની રાષ્ટ્રીય કક્ષાએ ફુટબોલની રમતમાં ભાગ લઇ શકે એ નાની સૂની ઉપલબ્ધિ નથી. ગુજરાતની મહિલા ખેલાડીઓને આકાશની ઉંચાઇ આંબતા રોકી શકશે નહિં. આ શબ્દો છે વલસાડની વિશ્વા વસાણીના જે અતુલ વિદ્યાલયમાં ધો.૧૨માં અભ્યાસ કરે છે. આ એજ રમતવીર બહેન છે જેણે ફુટબોલની રમતમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી વલસાડને ગૌરવ અપાવ્યું છે.
ફુટબોલની રમતમાં આમેય મહિલા ખેલાડીઓની અછત વર્તાય છે એવા સમયમાં વલસાડ જિલ્લાની આ રમતવીરે આંદોમાન-નિકોબાર ખાતે યોજાયેલ રાષ્ટ્રીય કક્ષાની ફુટબોલ સ્પર્ધામાં ભાગ લીધો જે ખરેખર ગૌરવની બાબત છે.
રાષ્ટ્રીય કક્ષાએ રમવાનો પોતાનો અનુભવ વર્ણવતા વિશ્વાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય કક્ષાએ રમવાનું ગૌરવ જ કંઇક ઓર હોય છે. મારા માટે આ સ્પર્ધા ખુબ પ્રોત્સાહક બની રહી છે. રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું ખરેખર ગર્વની બાબત છે. તેમની આ સફળતા પાછળ માટે તેમણે તેના ફુટબોલની રમતમાં રાજયકક્ષાએ રમેલા તેમના ભાઇ કથન વસાણી અને સ્પોર્ટ ટીચર શ્રી મનોજ શર્માને શ્રેય આપવાની સાથે રાજય સરકારનો આભાર માનવાનું ચુકી નહોતિ.
વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક તા.ર૧/૪/ર૦૧રનાં રોજ યોજાશે :
વલસાડ જિલ્લાની સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક તા.ર૧/૪/ર૦૧રનાં રોજ ૧૧:૦૦ વાગે કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવશે. આ અંગે જિલ્લાના સંબંધિત અધિકારીઓને પૂરતી માહિતી સાથે સ્વયં ઉપસ્થિત રહેવા નિવાસી અધિક કલેકટર શ્રી પી.બી.બ્રહ્મભટૃ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
વલસાડ જિલ્લામાં પ્લાસ્ટીકના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ, પેઢીઓ, ઉત્પાદકો, ઇસમો અને વપરાશકારો માટે માર્ગદર્શન સૂચનાઓ :
ર૦ માઇક્રોનના બદલે હવે ૪૦ માઇક્રોનની કેરીબેગના વપરાશ અંગે વન-પર્યાવરણ મંત્રાલયનો સુધારો જારી કરાયો
(વલસાડ માહિતી બ્યૂરો): વલસાડઃ તાઃ ૫: કેન્દ્ર સરકારના ધી રીસાયકલ્ડ પ્લાસ્ટીક મેન્યુફ્રેક્ચર ઍન્ડ યુસેઝ રૂલ્સ-૧૯૯૯ની જોગવાઇ મુજબ કોઇપણ વિક્રેતા ખાદ્ય પદાર્થના સંગ્રહ, હેરફેર, વિતરણ કે પેકીંગ પુનઃચક્રિત પ્લાસ્ટિકમાંથી બનાવેલી કેરીબેગ, થેલીઓ, ઝભલાઓ કે કન્ટેઇનરનો ઉપયોગ કરી શકતા નથી. તેમજ પુનઃચક્રિત પ્લાસ્ટિકમાંથી બનાવેલી થેલીઓ, કન્ટેઇનર વગેરેમાં ફાસ્ટફૂડ, તૈયાર રાંધેલો ખોરાક, પ્રવાહી કે પાવડર સ્વરૂપમાં રહેલા ખોરાક સહિત કોઇપણ ખાદ્યપદાર્થનો સંગ્રહ, વેપાર, હેરફેર કે નિકાલ કરી શકાતો નથી. વલસાડ જિલ્લામાં આ રૂલ્સની અસરકાર અમલવારી અર્થે ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી એલ.સી.પટેલે એક જાહેરનામુ જારી કરીને વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. આ જાહેરનામાના મુદૃા નં.પમાં કેરીબેગની જાડાઇ રીસાયકલ્ડ અથવા તો નવા પ્લાસ્ટિકમાંથી બનાવેલી કેરીબેગની જાડાઇ ર૦ માઇક્રોનથી ઓછી હોવી જોઇએ નહીં તેમ જણાવાયું છે. ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, નવી દિલ્હી દ્વારા પણ ર૦ માઇક્રોનના બદલે ૪૦ માઇક્રોન કરવામાં આવ્યા હોઇ, મુદૃા નં.પમાં કેરીબેગની જાડાઇ રીસાયકલ્ડ અથવા તો નવા પ્લાસ્ટિકમાંથી બનાવેલી કેરીબેગની જાડાઇ ૪૦ માઇક્રોનથી ઓછી હોવી જોઇએ નહીં તેમ સુધારો કરવામાં આવ્યો છે. આ સિવાય અગાઉ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જારી કરાયેલી તમામ સૂચનાઓ અને વિગતો યથાવત રાખવામાં આવી છે, એમ પણ એક અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે.
વલસાડ જિલ્લાનો માહે એપ્રિલ માસનો સ્વાગત ઑન લાઇન કાર્યક્રમ અરજદારોએ તેમની અરજી તા.૧૦/૪/ર૦૧ર સુધીમાં મોકલી આપવી :
રાજ્યના નાગરિકોના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદોના અસરકારક અને ન્યાયિક રીતે નિકાલ કરવાના ભાગરૂપે રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ ઑન લાઇન સ્વાગત કાર્યક્રમ અમલી બનાવ્યો છે. જે મુજબ જિલ્લા સ્વાગત કાર્યક્રમ, તાલુકા સ્વાગત કાર્યક્રમ અને છેક ગ્રામ્યકક્ષા સુધી ગ્રામ સ્વાગત કાર્યક્રમની રચના કરવામાં આવી છે.
જે મુજબ માહે એપ્રિલ, ર૦૧ર માસ દરમિયાન યોજાનારા સ્વાગત કાર્યક્રમમાં પોતાની અરજીઓ, ફરિયાદ કે પ્રશ્નો રજુ કરી, તેનો નિકાલ મેળવવા ઇચ્છતા વલસાડ જિલ્લાના અરજદારોએ તેમના પ્રશ્નો, રજુઆત અંગેની અરજી તા.૧૦/૪/ર૦૧ર સુધીમાં તલાટી-કમ-મંત્રીને રજુ કરવા જણાવાયું છે. આ અરજીના મથાળે મારી અરજી તાલુકા સ્વાગત કાર્યક્રમમાં લેવી તે મુજબની નોંધ લખવી. ઉલ્લેખનિય છે કે, તલાટી-કમ-મંત્રીને મળતી આવી અરજીઓ પૈકી જે અરજીઓનો નિકાલ ગ્રામ કક્ષાએ કરવાનો થતો હોય તો તે સ્થાનિક કક્ષાએ નિકાલ કરવામાં આવે છે. અન્યથા તાલુકા કક્ષાની અરજીઓ તાલુકાના કાર્યક્રમમાં અને જિલ્લા કક્ષાની અરજીઓ જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં મોકલવાની પ્રથા અમલી બનાવવામાં આવી છે. તા.રપ/૪/ર૦૧રનાં રોજ તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ અને તા.ર૬/૪/ર૦૧રનાં રોજ જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તાલુકા કે જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે સંબંધિત અરજદારોને રૂબરૂ ઉપસ્થિત રહેવા માટે જાણ કરવામાં આવશે. જે મુજબ અરજદારોને ઉપસ્થિત રહેવા જણાવાયું છે. આ કાર્યક્રમમાં કૉર્ટ કેસ, સબ જ્યુડીશ બાબતો, માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓ, સેવાકીય બાબતો, કોઇ ખાતાની નિમણૂંકની બાબતો, અરજદારની સહી વગરની અરજીઓ વગેરેના નિકાલ સંબંધી કાર્યવાહી હાથ ધરાશે નહીં, જેની નોંધ લેવા પણ નિવાસી અધિક કલેકટર શ્રી પી.બી.બ્રહ્મભટૃની એક અખબારી યાદીમાં જણાવાયું છે.
કરાર આધારિત કાયદા અધિકારીની જગ્યા માટે અરજીઓ મંગાવાઈઃ સૂરતઃ
સૂરત જિલ્લામાં જમીન મહેસુલ તથા નાણાકીય દાવાઓમાં સક્ષમ અધિકારીની નિમણૂંક કરવા માસિક રૂા.૨૦,૦૦૦ના ફીકસ પગારથી ૧૧ માસની મુદ્દત માટે કાયદા અધિકારીની એક જગ્યા માટે ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવાઈ છે. આ માટે અરજદારની ઉમર તા.૧/૪/૨૦૧૨ના રોજ ૩૩ વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી. આ અગે અરજીપત્રકનો નમૂનો, લાયકાત, અનુભવ અંગે નક્કી કરેલા ઠરાવ અન્વયે તેમજ અન્ય આનુષગિક માહિતી ચીટનીશ(મહેકમ)શાખા, જિલ્લા કલેકટર કચેરી, સુરત ખાતેથી કામકાજના દિવસો દરમિયાન સવારે ૧૧.૦૦ થી ૨.૦૦ વાગ્યા દરમિયાન રૂા.૧૦૦(નોન રીફડેબલ) સદરે ચલણથી જમા કરાવી અસલ ચલણ રજુ કર્યેથી મેળવી શકાશે. અરજી ફોર્મ રૂબરૂમાં તા.૧૬/૪/૨૦૧૦ તથા અરજી ફોર્મ રૂબરૂ/ટપાલ દ્વારા સ્વીકારવાની છેલ્લી તા.૧/૫/૨૦૧૨ સુધીમાં ભરી જવા. વધુ વિગતો માટે ઉપરોકત કચેરીનો સંપર્ક સાધવો.
ભાળ મળે તો જાણ
મહેશભાઈ ગોધાણીની ભાળ મળે તો જાણ કરશોઃ
સૂરતઃ અડાજણ પોલીસ સ્ટેશનના જણાવાયા અનુસાર તા.૨/૪/૨૦૧૨ના રોજ અડાજણના મહાલક્ષ્મી આર્કેડના ફલેટ નં.બી/૧/૨૦૨ ખાતે રહેતા મહેશભાઈ ભોવાનભાઈ ગોધાણી(ઉ.વ.૪૨) વહેલી સવારે ઘરેથી માંડવીના કડોદ ખાતે આયુર્વેદીક દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરત ફર્યા નથી. તેઓ શરીરે મજબુત બાંધાના, ઉચાઈ ૫.૬ ફુટ છે. ચહેરો લંબગોળ, નંબરવાળા ચશ્મા પહેર્યા છે. દુધીયા રંગનું શર્ટ તથા લાઈટ બ્લ્યુ રંગનું પેન્ટ પહેર્યું છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.
તમાકુના નિયંત્રણ અંગેના કાયદાને સઘન બનાવવા માટે તાલીમ વર્કશોપ યોજાયોઃ ભારતમાં દરરોજ ઓછામાં ઓછા ૨૫૦૦ વ્યકિતઓ તમાકુના સેવનથી મૃત્યુ પામે છે. ડો.હર્ષ બક્ષી સૂરતઃ
તમાકુના નિયંત્રણ અંગેના કાયદાને સઘન બનાવવા માટે તાલીમ વર્કશોપ યોજાયોઃ
ભારતમાં દરરોજ ઓછામાં ઓછા ૨૫૦૦ વ્યકિતઓ તમાકુના સેવનથી મૃત્યુ પામે છે. ડો.હર્ષ બક્ષી
સૂરતઃ
ગુજરાત સરકાર તમાકુ નિયંત્રણ અધિનિયમ-૨૦૦૩ અને પી.એચ.એફેઆઇ દિલ્હીની સહિયારી ભાગીદારીથી તમાકુ અંગેના કાયદાને સઘન બનાવવા માટે સૂરત જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને અન્ય સરકારી જગ્યા પર ફરજ બજાવતા ડોકટરોને તમાકુના કાયદા અને સરકારી દવાખાને આવતા દર્દીઓને જ્ઞાન આપી શકાય, તેવી સમજ આપવા માટે તાજેતરમાં જિલ્લા પંચાયત કચેરીના સભાખંડમાં તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી ડો.આર.કે.કંછલ અને એપીડેમીક મેડીકલ અધિકારીશ્રી ડો.પી.વાય.શાહ તેમજ અમદાવાદથી આવેલા પી.એચ.એફ.આઈના અધિકારીઓ ડો.હર્ષ બક્ષી અને ડો.કુમાર ગૌરવ અને દિલ્હીના ડો.માથુર ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે ડો.હર્ષ બક્ષીએ જણાવ્યું હતું કે, ભારતમાં ૧૨ કરોડ લોકો ધુમ્રપાન કરે છે અને દરરોજ ઓછામાં ઓછા ૨૫૦૦ વ્યકિતઓ તમાકુના સેવનથી મુત્યુ પામે છે. વર્ષ-૨૦૧૦માં ૧૦ લાખ લોકો તમાકુના સેવનથી મૃત્યૃ પામ્યા હતા. સમગ્ર દુનિયામાં દર વર્ષે ૬૦ લાખ લોકો તમાકુના સેવનથી થતી બિમારીના કારણે મરણ પામે છે. તેમણે વધુમાં કહ્યું કે, ભારતમાં મૃત્યૃ પામતા લોકો પૈકી દર પાંચ માંથી એક વ્યકિતનું મૃત્યૃ અને દર વીસમાંથી એક સ્રીનું મૃત્યૃ ધુમ્રપાનના કારણે થાય છે. નિયમીત ધુમ્રપાન કરનાર વ્યકિતના જીવનના એવરેજ ૬-૧૦ વર્ષ ઓછા થઈ જાય છે. પુખ્ત વયના વ્યકિતના સર્વે-૨૦૧૦ના રીપોર્ટ મુજબ ભારતમાં ૩૫ ટકાથી વધુ પુખ્ત લોકો અલગ અલગ રીતે તમાકુની બનાવટોનો ઉપયોગ કરે છે. યુથના સર્વે-૨૦૦૬ મુજબ વિદ્યાર્થી તમાકુની બનાવટોનો ઉપયોગ કરે છે જેમાં ૪.૨ ટકા ધુમ્રપાન કરે છે અને ૧૧.૯ ટકા ધુમ્રપાન સીવાયની બીજી બઘી વસ્તુઓનો ઉપયોગ કરે છે.આ ઉપરાત આરોગ્ય કેન્દ્ર પર આવતા દર્દીઓને તમાકુથી થતી ખરાબ અસરો વિશે સમજ અને આઈ.ઈ.સી પ્રવૃતિ કેવી રીતે કરવી તેની સંયુકત ચર્ચા થઈ હતી.
આજે વિધાનસભાના અધ્યક્ષ સમરસ ગ્રામ પંચાયતના સરપંચોના અભિવાદન સમારોહમાં
આજે વિધાનસભાના અધ્યક્ષ સમરસ ગ્રામ પંચાયતના સરપંચોના અભિવાદન સમારોહમાં ઉપસ્થિત રહેશેઃ
સૂરતઃ
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષશ્રી ગણપતભાઈ વસાવા આવતીકાલ તા.૬/૪/૨૦૧૨ના રોજ બપોરે ૨.૦૦ વાગે સુરત ચેમ્બર ઓફ કોમર્સના કન્વેશન હોલ, સરસાણા, ખજુર ચોકડી પાસે સૂરત જિલ્લા પંચાયત આયોજિત સમરસ ગ્રામ પંચાયતના સરપંચશ્રીઓના અભિવાદન પ્રસંગે ઉપસ્થિત રહેશે.
પંચાયતમંત્રી સુરતના પ્રવાસેઃ
સૂરતઃ
પંચાયતમંત્રીશ્રી નરોત્તમભાઈ પટેલ આગામી તા.૮/૪/૨૦૧૨ના રોજ સુરત ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપી ચોર્યાસી મતવિસ્તારની મુલાકાત લેશે. તા.૯/૪/૨૦૧૨ના રોજ સવારે ૬.૦૦ વાગે સૂરતથી ગાંધીનગર જવા રવાના થશે.
સુંદરસિંહ ચૌહાણ સુરતના પ્રવાસેઃ
સૂરતઃ
મુખ્યમંત્રીશ્રીના સંસદીય સચિવશ્રી સુંદરસિંહ ચૌહાણ આતવીકાલ તા.૬/૪/૨૦૧૨ના રોજ બપોરે ૨.૦૦ વાગે મહેમદાબાદ થી સૂરત આવવા નીકળશે. રાત્રી રોકાણ સુરત સરકીટ હાઉસ ખાતે રોકાશે. તા.૭/૪/૨૦૧૨ના રોજ સવારવે ૬.૦૦ વાગે મહેમદાબાદ જવા રવાના થશે.
કેન્દ્રીય રાજયમંત્રી સુરતના પ્રવાસેઃ
સૂરતઃ
ભારતના રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ વિભાગના રાજયમંત્રીશ્રી તુષારભાઈ ચૌધરી તા.૭/૪/૨૦૧૨ના રોજ સાજે ૬.૦૦ વાગે વ્યારાથી સુરત આવવા રવાના થશે. તા.૮/૪/૨૦૧૨ના રોજ સૂરત ખાતે સ્થાનિક કાર્યક્રમમાં હાજરી આપશે. સાજે ૪.૩૦ વાગે વડોદરા જવા રવાના થશે.
મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના સમરસ સરપંચ તથા ગ્રામ પંચાયત અભિવાદન સમારોહમાં આવશેઃ સૂરતઃ
મુખ્યમંત્રી દક્ષિણ ગુજરાતના સમરસ સરપંચ તથા ગ્રામ પંચાયત અભિવાદન સમારોહમાં આવશેઃ
સૂરતઃ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી આવતીકાલ તા.૬/૪/૨૦૧૨ના રોજ બપોરે ૧.૦૦ વાગે સૂરત એરપોર્ટ પરથી સીધા સૂરત સરકીટ હાઉસ આવશે. ત્યાર બાદ ૨.૩૦ વાગ્યે સૂરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેનશન સેન્ટર ખાતે દક્ષિણ ગુજરાતના સમરસ સરપંચ તથા સમરસ ગ્રામ પંચાયતોના અભિવાદન અને પુરસ્કાર પ્રદાન સમારોહમાં ઉપસ્થિત રહેશે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સાજે ૪.૪૫ વાગે સૂરત એરપોર્ટ પરથી રાજકોટ જવા રવાના થશે.
આજે દક્ષિણ ગુજરાતનો સમરસ સંરપંચ તથા સમરસ ગ્રામ પંચાયત અભિવાદન અને પુરસ્કાર પ્રદાન સમારોહઃ
મુખ્યમંત્રીના હસ્તે ૨૨૧ સામાન્ય સમરસ ગ્રામ પંચાયત રૂા.૫,૫૬,૩૧,૨૫૦ના પ્રોત્સાહક પુરસ્કાર મેળવશેઃ
સૂરતઃ
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી આવતીકાલ તા.૬ઠ્ઠીએ દક્ષિણ ઝોનના સૂરત, નર્મદા, નવસારી, ભરૂચ, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાની કુલ ૨૨૧ સમરસ ગ્રામ પંચાયતોને રૂા.૫,૫૬,૩૧,૨૫૦ પ્રોત્સાહક પુરસ્કાર એનાયત કરશે.
સૂરત, ખજોદ ચોકડી પાસે આવેલા સૂરત ઈન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેનશન સેન્ટર ખાતે સવારે ૧૦.૦૦ વાગેથી દક્ષિણ ગુજરાતના સમરસ સરપંચ તથા સમરસ ગ્રામ પંચાયત અભિવાદન અને પુરસ્કાર પ્રદાન માટેનો શાનદાર સમારોહમાં સમરસ ગ્રામ પંચાયતોના સરપંચો સહીત ત્રણેક હજાર જેટલા સદસ્યો ઉપસ્થિત રહેશે.
દક્ષિણ ઝોનમાં સામાન્ય સમરસ ગ્રામ પંચાયતોમાં ૮૮ સમરસ ગ્રામ પંચાયતો સાથે સૂરત જિલ્લો પ્રથમ ક્રમે છે. જે રૂા.૨,૨૭,૬૨,૫૦૦નું પ્રોત્સાહક અનુદાન મેળવશે. જયારે બીજા અને ત્રીજા ક્રમે ભરૂચ અને નવસારી જિલ્લો આવતા જેઓ અનુક્રમે રૂા.૧,૪૨,૮૭,૫૦૦ અને રૂા.૯૯,૫૬,૨૫૦નું પ્રોત્સાહક અનુદાન મેળવશે.
ઉલ્લેખનીય છે કે, પહેલી વખત સામાન્ય સમરસ થતી ૧૦૨ ગ્રામ પંચાયતોને રૂા.૨ કરોડ ૧૧ લાખ પ્રોત્સાહક અનુદાનની રકમ ઉપરાંત જે ગ્રામ પંચાયતોના વિસ્તારમાં ધો.૮ની સુવિધા નથી. તેઓને ધો.૮ની અગ્રીમતાથી મંજુરી આપવામાં આવશે.
બીજી વખત સામાન્ય સમરસ થતી ૫૧ ગ્રામ પંચાયતો રૂા.૧,૩૧,૨૫,૦૦૦ના પ્રોત્સાહક અનુદાન ઉપરાત સી.સી.રોડની આધુનિક સુવિધા મેળવશે.
આજ પ્રમાણે ત્રીજી વખત સમરસ થતી ૬૮ ગ્રામ પંચાયતોને રૂા.૮,૧૫,૬૨,૫૦૦ના પ્રોત્સાહક અનુદાનની રકમ ઉપરાંત સોલાર સ્ટ્રીટ લાઈટની સુવિધા મંજૂર થશે
તા.૧૪/૭/૯૨ના ઠરાવથી એક વર્ષ માટે અમલમાં મૂકવામાં આવેલી સમરસ યોજનાને રૂા.૧૦૦૦ પ્રોત્સાહક અનુદાન મળતુ. પરંતુ આ યોજનાના વખતોવખતના પ્રોત્સાહક પરિણામો અને ગ્રામ વિસ્તારના નાગરિકોમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતતાની ભાવનાથી તેમજ ગ્રામ પંચાયતોએ હાંસલ કરેલા વિકાસ કામોથી અભિભૂત થઈ રાજય સરકારે તા.૨૯/૧૧/૧૧ના ઠરાવથી ૫૦૦૦ સુધી વસતી ધરાવતી ગ્રામ પંચાયત પ્રથમવાર બિનહરીફ ચુંટાયેલી જાહેર થાય તો રૂા.૨ લાખ, મહિલા સમરસ કિસ્સામાં રૂા.૩ લાખ અને ૫૦૦૧ થી ૧૫૦૦૦ સુધીની વસતીવાળા ગ્રામ પંચાયતને રૂા.૩ લાખ અને મહિલા સમરસના કિસ્સામાં રૂા.૫ લાખનું અનુદાન નક્કી કરવામાં આવ્યું હતું.
તા. ૭ એપ્રિલે આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ઉજ્વાશે વિશ્વ આરોગ્ય
તા. ૭ એપ્રિલે આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસના અધ્યક્ષસ્થાને ગાંધીનગર ખાતે ઉજ્વાશે વિશ્વ આરોગ્ય દિન
સારું આરોગ્ય ઉંમરને જીવન બક્ષે છે વિષય સાથે વયસ્ક નાગરિકોની આરોગ્ય રક્ષા માટે ધ્યાન કેન્દ્રિત કરાશે
ગાંધીનગર :
વિશ્વ આરોગ્ય સંસ્થાની સ્થાપના તા. ૭મી એપ્રિલ, ૧૯૪૮ના રોજ થઇ હતી. આ વાતને સાંકળીને દર વર્ષે તા. ૭ એપ્રિલના રોજ વિશ્વભરમાં વિશ્વ આરોગ્ય દિનની ઉજ્વણી કરવામાં આવે છે.
આરોગ્ય અંગેના નવા અને ઉભરતા મુદ્દાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને, વિશ્વ આરોગ્ય દિન લોકોના આરોગ્ય અને સુખાકારીના રક્ષણ માટે સહિયારી કામગીરી શરૂ કરવાની તક પૂરી પાડે છે. આ વર્ષે વિશ્વ આરોગ્ય દિનનો વિષય છે - ‘‘વધતી ઉંમર અને આરોગ્ય'' આ વિષયને આવરી લઇ સમગ્ર વિશ્વમાં આ ક્ષેત્રે ધ્યાન કેન્દ્રિત કરાશે.
રાજ્યના આરોગ્ય વિભાગે આ વિષયના અનુસંધાને ‘‘સારું આરોગ્ય ઉંમરને જીવન બક્ષે છે'' એ સુત્ર સાથે વિશ્વ આરોગ્ય દિન અભિયાન અંતર્ગત પ્રવૃત્તિઓ હાથ ધરશે. આ ઉજ્વણી અંતર્ગત તા. ૭ એપ્રિલને શનિવારને બપોરે એક વાગ્યે ગાંધીનગરના ટાઉનહોલ ખાતે રાજ્યના આરોગ્યમંત્રી શ્રી જયનારાયણ વ્યાસના અધ્યક્ષસ્થાને એક કાર્યક્રમ યોજાશે અને વિશ્વ આરોગ્ય દિન અભિયાનનો શુભારંભ થશે. આ પ્રસંગે નેશનલ રૂરલ હેલ્થ મિશનના ડાયરેકટર શ્રીમતી અંજુ શર્મા પણ ઉપસ્થિત રહેશે.
સિંગાપોરની સિંગબ્રીજ ઇન્ટરનેશનલ કંપનીનું ડેલીગેશન ગુજરાતમાં મુખ્ય મંત્રીશ્રીને મળીને ગુજરાતમાં મોડર્ન ટાઉનશીપના નિર્માણના પ્રોજેકટ હાથ ધરવાની તત્પરતા દાખવી ગુજરાતના ‘‘ન્યુ સીટી ડેવલપમેન્ટ વિઝન''થી પ્રભાવિત
સિંગાપોરની સિંગબ્રીજ ઇન્ટરનેશનલ કંપનીનું ડેલીગેશન ગુજરાતમાં
મુખ્ય મંત્રીશ્રીને મળીને ગુજરાતમાં મોડર્ન ટાઉનશીપના નિર્માણના પ્રોજેકટ હાથ ધરવાની તત્પરતા દાખવી
ગુજરાતના ‘‘ન્યુ સીટી ડેવલપમેન્ટ વિઝન''થી પ્રભાવિત
મુખ્ય મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની સૌજન્ય મુલાકાતે આવેલી સિંગાપોરની સિંગબ્રીજ ઇન્ટરનેશનલ કંપનીના (SINGBRIDGE INTERNATIONALS) અધ્યક્ષ શ્રીયુત ફીલીપ યેવ (Mr. PHILIP YEO)ના નેતૃત્વમાં આવેલા સિંગાપોર સરકાર અને સહયોગી ઔદ્યોગિક એકમોના ડેલીગેશને ગુજરાતના નવા આધુનિક શહેરોના નિર્માણ સંદર્ભમાં ન્યુ ટાઉનશીપ પ્રોજેકટ વિકસાવવાની તત્પરતા વ્યકત કરી હતી.
મુખ્ય મંત્રીશ્રી સમક્ષ સિંગબ્રીજ ઇન્ટરનેશનલ કંપનીએ ટાઉનશીપ કન્સ્ટ્રકશન અંગેનું નિદર્શન પ્રસ્તુત કર્યું હતું. ગુજરાતમાં દિલ્હી-મુંબઇ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર (DMIC), ધોલેરા SIR, GIFTસીટી, સાબરમતી રિવરફ્રંટ પ્રોજેકટ અને માંડલ બેચરાજી SIR સહિતના નવવિકસીત ક્ષેત્રોની મુલાકાત લઇને આવેલા સિંગબ્રીજ ઇન્ટરનેશનલના ડેલીગેશને ગુજરાતમાં ન્યુસીટી ટાઉનશીપના નિર્માણ માટેના મુખ્ય મંત્રીશ્રીના દ્રષ્ટિવંત આયોજનની પ્રસંશા કરી હતી.
મુખ્ય મંત્રીશ્રીએ ધોલેરા SIR અને માંડલ બેચરાજી SIR અંગે કંપનીએ દાખવેલા વિશેષ રસને ધ્યાનમાં લઇને ટેકનીકલ ગ્રૃપ દ્વારા પ્રોજેકટ પ્રપોઝલના અભ્યાસ માટે રાજ્ય સરકાર સહયોગ પૂરો પાડશે એમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે ઉદ્યોગ અગ્ર સચિવ શ્રી એમ. શાહુ, મુખ્ય મંત્રીશ્રીના સચિવ શ્રી એ. કે. શર્મા સહિતના રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત હતા.
ખાદ્ય તેલના ભાવો ને અંકુશમાં લેવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધઃ પુરવઠા મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ વેપારીઓ, મિલરો, તેલીબીયાનો સંગ્રહ ન કરે તે માટે તેલના જથ્થા ઉપર નિયંત્રણ લાદવા રાજ્યમાં સ્ટોક લીમીટ દાખલ. કાળાબજારીયાઓને નિયંત્રણમાં રાખવા માટે રાજ્ય સરકાર સહેજ પણ અચકાશે નહીં. ખેડુતો તેલીબીયાનો સંગ્રહ કરી શકશે. તેના પર કોઇ બાન નહીં. કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓના કારણે રૂપિયાનું અવમૂલ્યન થયું છેઃ આયાતી તેલોના ભાવ પણ વધ્યા છે.
ખાદ્ય તેલના ભાવો ને અંકુશમાં લેવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધઃ
પુરવઠા મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ
વેપારીઓ, મિલરો, તેલીબીયાનો સંગ્રહ ન કરે તે માટે તેલના જથ્થા ઉપર નિયંત્રણ લાદવા રાજ્યમાં સ્ટોક લીમીટ દાખલ.
કાળાબજારીયાઓને નિયંત્રણમાં રાખવા માટે રાજ્ય સરકાર સહેજ પણ અચકાશે નહીં.
ખેડુતો તેલીબીયાનો સંગ્રહ કરી શકશે. તેના પર કોઇ બાન નહીં.
કેન્દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓના કારણે રૂપિયાનું અવમૂલ્યન થયું છેઃ આયાતી તેલોના ભાવ પણ વધ્યા છે.
કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી કપાસની નિકાસબંધી ના કારણે જીનીંગ અને પિલાણ ઘટયું હોવાથી ભાવ વધારો થઇ રહ્યો છે.
સમગ્ર દેશમાં તમામ વસ્તુઓના ભાવ વધી રહ્યા છે. તેની સાથો સાથ ખાદ્યતેલના પણ ભાવ વધી રહ્યા છે. કેન્દ્ર સરકાની ભાવ નિરંકુશ કરવાની કુનિતિને કારણે દેશની પ્રજા મોંઘવારીના સકંજામાં સપડાઇ છે. ત્યારે રાજ્યમાં ખાદ્યતેલના ભાવો ને અંકુશમાં રાખવા રાજ્ય સરકાર પ્રતિબધ્ધ છે. મુખ્યમંત્રીશ્રી, નરેન્દ્રભાઇ મોદીના સીધામાર્ગદર્શન હેઠળ રાજ્યમાં ખાદ્યતેલના ભાવો ને નિયંત્રણમાં રાખવા માટે રાજ્ય સરકારે વેપારીઓ મિલરો તેલીબીયાનો સંગ્રહ ન કરી શકે તે માટે ખાદ્યતેલના જથ્થા ઉપર સ્ટોકલીમીટ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. એમ અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી, નરોત્તમભાઇ પટેલે જણાવ્યું છે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કપાસ ઉપર નિકાસબંધી દાખલ કરી છે. જેના પરિણામે ગુજરાતના ખેડુતોને બહુ મોટું નુકશાન થઇ રહ્યું છે. કપાસની નિકાસબંધીને કારણે કપાસનું જીનીંગ અને પિલાણ ઘટયું છે. જેના કારણે ભાવ વધારો થઇ રહ્યો છે. ખાદ્યતેલના ભાવ વધારાને અંકુશમાં રાખવા માટે જે સ્ટોક લીમીટ દાખલ કરાઇ છે. તદ્અનુસાર તેલીબીયાના જથ્થાબંધ વેપારીઓ ૨૦૦૦ ક્વીંટલ અને છુટક વેપારીઓ ૧૦૦ ક્વીંટલ સંગ્રહ કરી શકશે. તે જ રીતે મિલરો કાચો માલ વાર્ષિક જરૂરીયાતનો ૧/૬ઠ્ઠો ભાગ એટલે કે ર માસ જેટલો જથ્થો અને પાકો માલ ખાદ્યતેલ વાર્ષિક જરૂરીયાતના ૧/૧૨ એટલે કે 1 માસ નો જથ્થો સંગ્રહ કરી શકશે. તે જ રીતે તેલના વેપારીઓ છુટક વેપારી ૪૫ ક્વીંટલ એટલે કે ૩૦૦ ડબા અને જથ્થાબંધ વેપારીઓ ૬૦૦ ક્વીંટલ એટલે કે ૪૦૦૦ ડબાનો સંગ્રહ કરી શકશે. રાજ્યમાં કાળાબજારીયાઓને અંકુશમાં લેવા માટે પણ રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. ભાવોને અંકુશમાં લેવા માટે કાળાબજાર કરતા તેલીયા રાજાઓ ઉપર પી.બી.એમ. એક્ટ હેઠળ પણ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે માટે રાજ્ય સરકાર સહેજ પણ પાછી પાની નહીં કરે. સ્ટોક લીમીટ અન્વયે ખેડુતોને પોતાના સ્થાન ઉપર તેલીબીયાનો જથ્થો રાખી શકશે. તેના ઉપર કોઇપણ પ્રકારનો બાન રખાયો નથી.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વધતી જતી મોંઘવારીની રાજ્યના ગરીબો ઉપર અસર ન થાય તે માટે રાજ્ય સરકારે ૧૨૦૦૦ મે.ટન પામોલીન તેલનો જથ્થો પ્રોક્યુર કરવાનું નક્કી કર્યુ છે. જે તહેવારોમાં બી.પી.એલ., અંત્યોદય કુટુંબો માટે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ખાદ્યતેલના ભાવોના અનુસંધાને વધારાનો ૬૦૦૦ મે.ટન જથ્થો પણ ખરીદવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જે તહેવારો સિવાય પણ જરૂરીયાત પ્રમાણે ગરીબ કુટુંબોને વિતરણ કરવામાં આવશે. આગામી ઉનાળાના સમયમાં ઉનાળુ મગફળીનું વાવેતર ઘણું સારૂ થયું છે. અને તેનું દોઢ બે માસમાં સારૂ ઉત્પાદન મળશે તેના થકી ચોક્કસ તેલના ભાવો ઘટશે તેવો મને વિશ્વાસ છે.
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાનાં સમરસ સરપંચોનું અભિવાદન કરશે ૨૨૧ સમરસ ગ્રામ પંચાયતોને રૂ. ૫,૫૬,૩૧,૨૫૦ નાં પ્રોત્સાહન પુરસ્કારો પ્રદાન કરવામાં આવશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાનાં સમરસ સરપંચોનું અભિવાદન કરશે
૨૨૧ સમરસ ગ્રામ પંચાયતોને રૂ. ૫,૫૬,૩૧,૨૫૦ નાં પ્રોત્સાહન પુરસ્કારો પ્રદાન કરવામાં આવશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી શુક્રવારનાં રોજ દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાઓમાં સર્વસંમતિથી ચૂંટાયેલી ૨૨૧ સમરસ ગ્રામ પંચાયતો અને સમરસ સરપંચોને અને ૫ કરોડ ૫૬ લાખ ૩૧ હજાર ૨૫૦ રૂપિયાનાં પ્રોત્સાહક પુરસ્કારો પ્રદાન કરશે.
સુરતનાં ઈન્ટરનેશનલ એક્ઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર શાનદાર કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી દક્ષિણ ગુજરાતનાં સાત જિલ્લાઓ– સુરત, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, તાપી અને ડાંગનાં સમરસ સરપંચોનું અભિવાદન કરશે.
સુરત જિલ્લાની ૮૮ ગ્રામ પંચાયતોને રૂપિયા ૨,૨૭,૬૨,૫૦૦, ભરુચ જિલ્લાની ૫૭ ગ્રામ પંચાયતોને રૂપિયા ૧,૪૨,૮૭,૫૦૦, નવસારીની ૩૯ ગ્રામ પંચાયતોને રૂપિયા ૯૯,૫૬,૨૫૦, વલસાડની ૨૨ ગ્રામ પંચાયતોને રૂપિયા ૪૮,૬૨,૫૦૦, તાપીની ૧૧ ગ્રામ પંચાયતોને ૨૯,૧૨,૫૦૦, નર્મદા જિલ્લાની ત્રણ ગ્રામ પંચાયતોને રૂપિયા ૬,૫૦,૦૦૦ અને ડાંગની એક સમરસ ગ્રામ પંચાયતને બે લાખ રૂપિયાનાં રોકડ પુરસ્કાર પ્રદાન કરવામાં આવશે.
આ પ્રસંગે મહેસુલમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ, શિક્ષણમંત્રી શ્રી રમણલાલ વોરા, પંચાયતમંત્રી શ્રી નરોત્તમભાઈ પટેલ, પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી શ્રી પરબતભાઈ પટેલ આ પ્રસંગે સરપંચોને સંબોધન કરશે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્થળ ઉપર એક આકર્ષક પ્રદર્શનનું પણ આયોજન કર્યું છે.
ઉલ્લેખનીય છે કે સમરસ ગામની યોજનાને કારણે ગામનાં લોકો ચૂંટણીનાં વેર-ઝેર મિટાવીને ગામનાં વિકાસમાં લાગી ગયા છે, જે લોકશાહીની સૌથી ઉત્તમ અને અસરકારક વિભાવના છે.
પંચમહાલ જિલ્લાની વિજ્ઞાન પ્રવાહની શાળાઓ જોગ ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહ પરીક્ષા બીજા સેમેસ્ટરની ફી રસીદ મેળવી લેવી
ગોધરાઃ
પંચમહાલ જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહ ધરાવતી ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને જણાવવાનું કે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર ધો-૧૧ વિજ્ઞાન પ્રવાહ દ્વિતિય સેમેસ્ટર પરીક્ષા એપ્રિલ -૨૦૧૨ ની પરીક્ષા ફી રસીદ (હોલ ટીકીટ) નું જે તે વિતરણ કેન્દ્રો ઉપરથી તા. ૯/૪/૧૨ ને સોમવારે સવારે ૧૧/૦૦ કલાક થી સાંજના ૧૫/૦૦ કલાક સુધી વિતરણ કરવામાં આવશે. જે માટે શાળાનો અધિકારપત્ર રજુ કરી બોર્ડના પ્રતિનિધિ પાસેથી શાળાનું સાહિત્ય મેળવી લેવા જણાવવામાં આવે છે. જે શાળાઓ સાહિત્ય લઇ નહી જાય તે શાળાઓએ બીજા દિવસે જિલ્લા શિક્ષણાધિકારીની કચેરીમાંથી સાહિત્ય મેળવી લેવાનું રહેશે.
પંચમહાલ જિલ્લામાં ૭મી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરાશે સારૂ આરોગ્ય ઉંમરને જીવન બક્ષે છે થીમ આધારિત વિવિધ જનજાગૃતિ કાર્યક્રમોનું આયોજન વધતી ઉંમરે થતા રોગો અટકાવવા જન સમાજમાં વ્યાપક જાગૃતિ ઉભી કરાશે
ગોધરા,
દર વર્ષે ૭ મી એપ્રિલના રોજ વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વને સ્પર્શે તેવા આરોગ્યના વિષયોને સાંકળી લઇ સમગ્ર સમાજનું ધ્યાન દોરાય તે હેતુસર દર વર્ષે જુદા જુદા વિષય ઉપર થીમ બનાવી વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૭મી એપ્રિલ-૨૦૧૨ ના રોજ વધતી ઉંમર અને આરોગ્ય, સારૂ આરોગ્ય ઉંમરને જીવન બક્ષે છે તે થીમ આધારિત વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી કરવામાં આવનાર છે. પંચમહાલ જિલ્લામાં વિશ્વ આરોગ્ય દિનની જિલ્લા પંચાયતની આરોગ્ય શાખા દ્વારા વિવિધ કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવનાર છે.
ભારતમાં ૧૯૮૦ પછી ૬૦ કે તેથી વધુ ઉમંર ધરાવતી વ્યકિતોની સંખ્યા બમણી થઇ છે. આગામી ૨૦૫૦ ના વર્ષની વચ્ચેના સમયગાળમાં ૮૦ વર્ષની ઉમંરે પહોચનાર વ્યકિતઓની સંખ્યા ચાર ગણી વધી ૩૯.૫ કરોડ જેટલી થશે તેવુ અનુમાન છે.
વિશ્વ આરોગ્ય દિનની ઉજવણી નિમિત્તે પંચમહાલ જિલ્લામાં જિલ્લા/તાલુકા અને પ્રા.આ. કેન્દ્ર કક્ષાએ લોકોમાં વધતી જતી ઉમર અને આરોગ્ય વિષય પર જનજાગૃતિ લાવવા માટે સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓના સહયોગથી સેમિનાર, વડીલો માટે આરોગ્ય તપાસ, પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યુ છે. જિલ્લાના પી.એચ.સી, સી. એચ.સી, સીવીલ હોસ્પીટલ ખાતેથી ૭ મી એપ્રિલના રોજ પ્રભાતફેરીનું આયોજન કરવામાં આવશે તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે.
વિશ્વ આરોગ્ય દિન નિમિત્તે લોકોમાં વધતી ઉંમરના કારણે થતા શારિરીક ફેરફારો અને રોજિંદા જીવનમાં થતી અસરો તથા વધતી ઉંમરે થતા રોગો અટકાવવા અને તે અંગેની સાવચેતી અંગે જનસમાજમાં વ્યાપક જનજાગૃતિ ઉભી કરવામાં આવશે. તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. શ્રી વાસ્તવે જણાવ્યું છે.
ગોધરામાં સંકલિત બાળ સંરક્ષણ યોજના અંતર્ગત જિલ્લા કક્ષાની કાર્યશાળા યોજાશે
બાળ હક્કોના સંરક્ષણ માટે જિલ્લામાં બાળ સુરક્ષા યુનિટની રચના
ગોધરાઃ ગરૂવારઃ પંચમહાલ જિલ્લામાં બાળ હક્કોના સંરક્ષણ માટે જિલ્લા બાળ સુરક્ષા યુનિટની રચના કરવામાં આવી છે જિલ્લા બાળ સુરક્ષા યુનિટ તથા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સંકલિત બાળ સંરક્ષણ યોજના અંતર્ગત કલેકટર અને જિલ્લા બાળ સુરક્ષા યુનિટના અધ્યક્ષ શ્રીમતી મનીષા ચંદ્રાના અધ્યક્ષ સ્થાને તા. ૧૦/૪/૨૦૧૨ ને મંગળવારના રોજ હોટલ તૃપ્તિ વડોદરા હાઇવે રોડ, ગોધરા ખાતે સવારે ૧૦/૦૦ થી સાંજના ૫/૦૦ કલાક સુધી જિલ્લા કક્ષાના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.
યુનિસેફ પુરસ્કૃત આ કાર્યશાળામાં સંકલિત બાળ સંરક્ષણ યોજના હેઠળ બાળકોના સંરક્ષણને લગતી બાળ મજુરી, સમાજિક પુનઃવસન દતકવિધાન તથા સ્પોન્સરશીપ જેવી બાબતો અંગે નિષ્ણાતો દ્વારા ચર્ચો વિચારણા કરવામાં આવશે. આ યોજનાનું સંકલન કિશોર ન્યાય ( જુવેનાઇલ જસ્ટીસ એકટ) સાથે પણ છે.
જિલ્લામાં તા. ૧૫ એપ્રિલ ના રોજ પલ્સ પોલીયો રસીકરણનો બીજો રાઉન્ડ યોજાશે
જિલ્લાના ૦ થી ૫ વર્ષના ૩.૨૨ લાખ ઉપરાંત બાળકોને પોલીયોની રસી અપાશે
જિલ્લાનું એકપણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહી જાય તે જોવા ડીડીઓનો અનુંરોધ
ગોધરા,
સમગ્ર રાષ્ટ્રમાંથી પલ્સ પોલીયો નાબૂદ કરવાના ભાગરૂપે પંચમહાલ જિલ્લામાં આગામી તા. ૧૫/૪/૨૦૧૨ ને રવિવારના રોજ પોલીયો રસીકરણ અભિયાનનો બીજો રાઉન્ડ યોજાશે. પલ્સ પોલીયો રસીકરણ અભિયાનમાં પંચમહાલ જિલ્લાના ૦ થી ૫ વર્ષની વય જૂથના ૩,૨૨,૧૫૭ બાળકોને પોલીયોની રસી આપવામાં આવશે આ કામગીરી માટે આરોગ્યતંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. એમ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અશોક શર્માએ જણાવ્યું છે.
ગોધરા ખાતે પલ્સ પોલીયો રસીકરણ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્ટીયરીંગ કમીટીની બેઠકને સંબોધતા ડીડીઓશ્રીએ જિલ્લાનું એકપણ બાળક પોલીયોની રસીથી વંચિત ન રહી જાય તે જોવા આરોગ્ય અધિકારીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. જિલ્લામાં આવેલા ઇંટોના ભઠ્ઠા, ઝુપડપટ્ટી વિસ્તાર, ઔધોગિક વિસ્તાર, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેશન તેમજ છુટા છવાયા ઘરોના બાળકોને પણ આવરી લેવા તાકીદ કરી શહેરી વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રીત કરી અતિ જોખમ કારક એવા ઇંટોના ભઠ્ઠા અને ઝુપડપટ્ટી વિસ્તાર તેમજ નદીમાં વસતા લોકોના બાળકો પ્રત્યે વિશેષ કાળજી લેવા જણાવ્યું હતું. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડોં. શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે તા ૧૫ એપ્રિલના રોજ યોજાનાર પોલીયો રસીકરણના બીજા રાઉન્ડ માટે ગ્રામ્ય ૧૩૧૧ અને શહેરી ૧૭૩ સહીત કુલ ૧૪૮૪ રસીકરણ બુથ ઉભા કરવામાં આવશે. જ્યારે ૨૬૨૨ ટીમો તા.૧૬/૧૭ એપ્રિલ ના રોજ ઘેર ઘેર ફરી પોલીયોની રસી આપશે. આ કામગીરી માટે બુથ ઉપર ૫૯૩૬ આરોગ્ય કર્મીઓ, ૨૯૨ સુપરવાઇઝર સહિત કુલ ૬૨૨૮ કર્મીઓ ફરજ બજાવશે. જિલ્લામાં ૨૯૨ રૂટ બનાવવામાં આવ્યા છે.જિલ્લામાં ફેબ્રુઆરી-૧૨માં યોજાયેલ પ્રથમ રાઉન્ડમાં ૧૦૧ ટકા સિધ્ધિ હાંસલ કરવામાં આવી હોવાનું તેમણે ઉમેર્યું હતું. ૦ થી ૫ વર્ષના તમામ બાળકોને પોલીયોની રસીથી રક્ષિત કરવા તેમણે વાલીઓને અનુંરોધ કર્યો હતો. આ બેઠકમાં મેડીકલ ઓફિસરો, ચીફ ઓફિસરો સી.ડી.એચ.ઓ, સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાના પ્રતિનિધિઓ હાજર રહી પોલીયો રસીકરણ અભિયાનને સફળ બનાવવા રચનાત્મક સુચનો કર્યા હતા.
મુવાલમાં યોજાનારો એપ્રેન્ટિસશીપ ભરતી મેળો રદ
વડોદરા
વડોદરા જિલ્લાના એપ્રેન્ટિસશીપ અધિનિયમ-૧૯૬૧ હેઠળ આવરી લેવાયેલ એકમોમાં ફાળવેલ બેઠકો પૂરતા પ્રમાણમાં ભરાય તથા લાયકાત ધરાવતા ઉમેદવારોને એપ્રેન્ટિસ તાલીમ યોજનાનો લાભ મળી રહે તે માટે તા. ૧૦/૪/૨૦૧૨ના રોજ ઔઘોગિક તાલીમ સંસ્થા, ઓલ્ડ હોમીયોપેથી કોલેજ નજીક મુવાલ રોડ, સાવલી જિ. વડોદરા ખાતે એપ્રેન્ટિીસ ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અનિવાર્ય સંજોગોમાં કારણે રદ કરવામાં આવે છે.
એપ્રેન્ટિસ તાલીમ યોજના હેઠળ એપ્રેન્ટિસ તરીકે જોડાવા ઈચ્છુક યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોને તા. ૧૫/૪/૨૦૧૨ સુધી (જાહેર રજાના દિવસો સિવાય) વિભાગીય એપ્રેન્ટિસશીપ સલાહકાર અને નાયબ નિયામક (તાલીમ) ની પ્રાદેશિક કચેરી, ૯૦૮, ઈ-બ્લોક નવમો માળ, કુબેરભવન, કોઠી કેમ્પ્સ, વડોદર ખાતે સંપર્ક કરવાનો રહેશે તેમ યાદીમાં જણાવાયું છે.
મોટર વાહન નિરીક્ષકોના કેમ્પ્સ રદ કરાયા
વડોદરા ૫ એપ્રિલ, ૨૦૧૨ (ગુરુવાર) પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારીની કચેરી દ્વારા દર મહિને તાલુકા મથકોએ મોટર વાહન નિરીક્ષકોના કેમ્પ્સ યોજવામાં આવે છે. જો કે અનિવાર્ય સંજોગોને કારણે આ મહિને ડભોઈ, સાવલી, બોડેલી, પાદરા અને કરજણ ખાતે મોટર વાહન નિરિક્ષકોના કેમ્પ્સ યોજાશે નહીં. છોટાઉદેપુર ખાતે એપિ્રલ મહિનાના ત્રીજા શનિવારે ચેકપોસ્ટ પર ફરજ બજાવતા મોટર વાહન નિરીક્ષક કેમ્પ યોજાશે, તેમ આર.ટી.ઓ.ની યાદી જણાવે છે.
જિલ્લા ઉઘોગ કેન્દ્રની યોજનાઓનો લાભ અપાવવાના બહાને છેતરપિંડી કરતા વચેટીયાઓથી સાવધાન રહેવા ચેતવણી
જિલ્લા ઉઘોગ કેન્દ્રની યોજનાઓનો લાભ અપાવવાના બહાને છેતરપિંડી કરતા વચેટીયાઓથી સાવધાન રહેવા ચેતવણી
વડોદરા
જિલ્લા ઉઘોગ કેન્દ્રના નામે વડોદરાના નામે અમૂક ઈશમો જિલ્લા ઉઘોગ કેન્દ્ર મારફત ચાલતી કુટીર ઉઘોગ વિભાગની માનવ કલ્યાણ યોજના, વાજપાઈ બેંકેબલ યોજના પી.એમ.ઈ.જી પેકેજ યોજનાના લોન કેસ અંગે લાભાર્થીઓ પાસે કચેરીઓનું કામ કરાવી આપવા ખોટા પ્રલોભનો આપી નાણાંકીય રકમ પડાવે છે. જેથી નાગરિકોને જણવવામાં આવે છે કે આવા ઈસમોનો સંપર્ક નહીં સાધતા જિલ્લા ઉઘોગ કેન્દ્રની યોજનાકીય કામગીરી અને માર્ગદર્શન અંગે કચેરીના સંબંધિત અધિકારીનો સંપર્ક સાધવા નાગરિકોને જણાવાયું છે. કચેરી તરફથી માહિતી અને ફોર્મ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે તેમજ શહેર - તાલુકા કક્ષાએથી એ.ટી.વી.ટી.કાર્યક્રમ અંતર્ગત જનસેવા કેન્દ્રનો સંપર્ક કર્યેથી યોજનાની માહિતી ફોર્મ મળી શકશે. તેમજ તૈયાર કચેરી અરજીઓ પણ સ્વીકારવામાં આવે છે. વધુ જણાવવાનું કે, માનવ કલ્યાણ યોજના અંગેની કીટસ પણ બી.પી.એલ અરજદારને આવકની મર્યાદામાં આવતાં હોય તેને વિનામૂલ્યે મફત આપવામાં આવે છે તેથી અરજદારોએ (લાભાર્થીએ) બેંકેબલ યોજના/માનવ કલ્યાણ યોજનાના અરજી કોઈ એજન્ટ કે દલાલ વચેટીયાનો સંપર્ક કરી અત્રે અરજી કરવી નહીં આ અંગેની જિલ્લા ઉઘોગ કન્દ્રમાં જાણ થશે તો આવી અરજી માન્ય કરવામાં આવશે નહીં અરજદાર પોતે જ આ બાબતે અત્રેની કચેરીએ અરજી કરવાની રહેશે. પાછળથી અરજદારની દલીલ ગ્રાહય રખાશે નહીં.
અત્રેની કચેરીમાં અમલી યોજનાની અરજી અન્વયે મુંઝવણ પ્રશ્ન તથા જરૂરી માર્ગદર્શન માટે અત્રેની કચેરીના નાયબ ઉઘોગ કમિશનર/અધિકારીશ્રીનો સીધો સંપર્ક કરવા નાયબ ઉઘોગ કમિશનર અને જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર વડોદરાની યાદીમાં જણાવાયું છે.
જિલ્લા ઉઘોગ કેન્દ્રની યોજનાઓનો લાભ અપાવવાના બહાને છેતરપિંડી કરતા વચેટીયાઓથી સાવધાન રહેવા ચેતવણી
જિલ્લા ઉઘોગ કેન્દ્રની યોજનાઓનો લાભ અપાવવાના બહાને છેતરપિંડી કરતા વચેટીયાઓથી સાવધાન રહેવા ચેતવણી
વડોદરા
જિલ્લા ઉઘોગ કેન્દ્રના નામે વડોદરાના નામે અમૂક ઈશમો જિલ્લા ઉઘોગ કેન્દ્ર મારફત ચાલતી કુટીર ઉઘોગ વિભાગની માનવ કલ્યાણ યોજના, વાજપાઈ બેંકેબલ યોજના પી.એમ.ઈ.જી પેકેજ યોજનાના લોન કેસ અંગે લાભાર્થીઓ પાસે કચેરીઓનું કામ કરાવી આપવા ખોટા પ્રલોભનો આપી નાણાંકીય રકમ પડાવે છે. જેથી નાગરિકોને જણવવામાં આવે છે કે આવા ઈસમોનો સંપર્ક નહીં સાધતા જિલ્લા ઉઘોગ કેન્દ્રની યોજનાકીય કામગીરી અને માર્ગદર્શન અંગે કચેરીના સંબંધિત અધિકારીનો સંપર્ક સાધવા નાગરિકોને જણાવાયું છે. કચેરી તરફથી માહિતી અને ફોર્મ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે તેમજ શહેર - તાલુકા કક્ષાએથી એ.ટી.વી.ટી.કાર્યક્રમ અંતર્ગત જનસેવા કેન્દ્રનો સંપર્ક કર્યેથી યોજનાની માહિતી ફોર્મ મળી શકશે. તેમજ તૈયાર કચેરી અરજીઓ પણ સ્વીકારવામાં આવે છે. વધુ જણાવવાનું કે, માનવ કલ્યાણ યોજના અંગેની કીટસ પણ બી.પી.એલ અરજદારને આવકની મર્યાદામાં આવતાં હોય તેને વિનામૂલ્યે મફત આપવામાં આવે છે તેથી અરજદારોએ (લાભાર્થીએ) બેંકેબલ યોજના/માનવ કલ્યાણ યોજનાના અરજી કોઈ એજન્ટ કે દલાલ વચેટીયાનો સંપર્ક કરી અત્રે અરજી કરવી નહીં આ અંગેની જિલ્લા ઉઘોગ કન્દ્રમાં જાણ થશે તો આવી અરજી માન્ય કરવામાં આવશે નહીં અરજદાર પોતે જ આ બાબતે અત્રેની કચેરીએ અરજી કરવાની રહેશે. પાછળથી અરજદારની દલીલ ગ્રાહય રખાશે નહીં.
અત્રેની કચેરીમાં અમલી યોજનાની અરજી અન્વયે મુંઝવણ પ્રશ્ન તથા જરૂરી માર્ગદર્શન માટે અત્રેની કચેરીના નાયબ ઉઘોગ કમિશનર/અધિકારીશ્રીનો સીધો સંપર્ક કરવા નાયબ ઉઘોગ કમિશનર અને જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર વડોદરાની યાદીમાં જણાવાયું છે.
રાજય સરકારે રૂા. ૫૧૧ કરોડના ખર્ચે આંગણવાડીઓના સુવિધા સજ્જ મકાનો બાંધવાનું આયોજન કર્યું છે શ્રીમતી આનંદીબેન પટેલ શહેર વિસ્તારની ૧૩૭ આંગણવાડીઓના ભૂલકાઓને અક્ષયપાત્રના માધ્યમથી પૌષ્ટિક ભોજન પુરુ પાડવાની યોજનાનો મહિલા અને બાળ વિકાસ મંત્રીએ કરાવ્યો શુભારંભ
વડોદરા
મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે વડોદરા મહાનગર સેવા સદન સંચાલિત ૧૩૭ આંગણવાડીઓના ૩ હજારથી વધુ ભૂલકાઓને પૌષ્ટિક, તાજો અને ગરમ આહાર પુરો પાડવાની યોજનાનો અક્ષયપાત્ર હેઠળ પ્રારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે જાહેરક્ષેત્રની સી.ઈ.આઈ.એલ. સંસ્થાના સીઈઓ શ્રી એમ.વી.કે.કુમારે ગરમ ભોજનના પરિવહન માટે ૦૫ ઈન્સ્યુલેટેડ વાહનો અર્પણ કરવા ઉપરાંત વધુ ૦૫ વાહનો માટે રુા. ૧૦ લાખનો ચેક મહિલા અને બાળ વિકાસ મંત્રીને અર્પણ કર્યો હતો.
આ ઉપરાંત બાળ આરોગ્ય, શિક્ષણ અને ધડતર માટે આંગણવાડીઓને દત્તક લેનારી સ્વૈચ્છીક સેવા સંસ્થાઓ, ઔઘોગિક એકમો અને દાતાઓને સન્માનપત્રો અર્પણ કર્યા હતા. કાર્યક્રમમાં ભૂલકાંઓને પૌષ્ટિક આહારનું તેમજ પોષણ વધારતી હોમિયોપેથિક દવાઓનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. મહિલા અને બાળ વિકાસ મંત્રીએ જિલ્લાની આંગણવાડીઓ માટે દાન કરવા તત્પર દાતાઓ સાથે સંકલન સાધવાની SMS આધારિત વ્યવસ્થા અમલમાં મૂકવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી રાકેશ શંકરને અભિનંદન આપ્યા હતા.
બાળ પોષણ અને અભિયાનમાં સમાજના તમામ વર્ગોએ જોડાવું જ પડશે તેવી લાગણી વ્યક્ત કરતાં શ્રીમતી આનંદીબેન પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે આ વર્ષે ૨૧ હજારથી વધુ આંગણવાડીઓ માટે શૌચાલય સહિતના પાકાં મકાનો બાંધવા રાજ્યના અંદાજપત્રમાં રૂપિયા ૫૧૧ કરોડની જોગવાઇ કરી છે. આ ઉપરાંત શહેરી વિકાસ વિભાગે ૧૫૯ નગરપાલિકાઓ પૈકી પ્રત્યેકમાં ૧૦ નંદધરો બાંધવા રૂપિયા ૪૦ લાખની જોગવાઇ કરી છે. રાજ્યમાં ૫૦ હજાર જેટલી આંગણવાડીઓના માધ્યમથી ૫૦ લાખ જેટલાં લાભાર્થીઓને પૂરક પોષણ સહિતના લાભો આપવામાં આવે છે. જેનો ભૂલકાઓ ઉપરાંત સગર્ભાઓ, ધાત્રી માતાઓ અને કિશોરીઓને પણ લાભ મળે છે. રાજ્ય સરકારે અલાયદો મહિલા અને બાળ વિકાસ વિભાગ કાર્યાન્વિત કરવાની સાથે બાળ જન્મ, ઉછેર અને વિકાસની શ્રેણીબદ્ધ યોજનાઓ અમલમાં મૂકી છે એમ તેમણે ઉમેર્યું હતું.
પ્રારંભમાં મેયર ર્ડા.જ્યોતિબેન પંડયાએ સહુને આવકારતા શહેરી આંગણવાડીઓને દાતાઓના સહયોગથી સુવિધા સંપન્ન બનાવવાના તેમજ બાળ પોષણના આયોજનની રૂપરેખા આપી હતી. સ્થાયી સમિતિના અધ્યક્ષ ર્ડા. વિજય શાહ અને આરોગ્ય સમિતિના અધ્યક્ષ ર્ડા. ગિરીશ પારેખ સહિત મહાનુભાવોએ બાળ પોષણમાં લોક સહયોગને આવકાર્યો હતો.
આ પ્રસંગે મ.સ.વિશ્વ વિઘાલયના કુલાધિપતિ ડૉ. મુણાલીની દેવી પુવાર, નાયબ મેયર હરજીવનભાઈ, પૂર્વ સાંસદ જયાબેન, શ્રીમતી શુભાગિની દેવી ગાયકવાડ, અક્ષયપાત્ર ફાઉન્ડેશનના સાધુ જગન મોહન દાસજી, સેવા સદનના સમિતિ અધ્યક્ષો અને નગર સેવકો, મ્યુનિસિપલ કમિશનરશ્રી અશ્વિનીકુમાર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાકેશ શંકર, દાતા સંસ્થાઓના પ્રતિનિધિ તેમજ આંગણવાડી સેવાકર્મીઓ અને ભૂલકાઓ ઉપસ્થિત રહયા હતા
વડોદરા પ્રશાસનની શકવર્તી પહેલઃ બિનખેતી હક્કપત્રની નોંધો અને શરતફેરની કામગીરીઓ હવે જનસેવા કેન્દ્રમાં આઈટી આધારિત વ્યવસ્થા હેઠળ થશે ગુજરાતમાં વડોદરામાં સોફટવેરના વિકાસ સહિત અમલીકરણ પ્રત્યેક તબક્કે અરજીના નિકાલની પરિસ્થિતિનું મોનિટરિંગ થશે અને અરજદાર તે જાણી શકશે
વડોદરા પ્રશાસનની શકવર્તી પહેલઃ બિનખેતી હક્કપત્રની નોંધો અને શરતફેરની કામગીરીઓ હવે જનસેવા કેન્દ્રમાં આઈટી આધારિત વ્યવસ્થા હેઠળ થશે
ગુજરાતમાં વડોદરામાં સોફટવેરના વિકાસ સહિત અમલીકરણ
પ્રત્યેક તબક્કે અરજીના નિકાલની પરિસ્થિતિનું મોનિટરિંગ થશે અને અરજદાર તે જાણી શકશે
વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ વડોદરા જિલ્લા પ્રશાસને બિનખેતી, હક્કપત્રકની નોંધો અને જમીનોના શરતફેરની ચાવીરૂપ મહેસુલી કામગીરીઓને સંપૂર્ણ જવાબદેહીતા અને પારદર્શકતા અને ગતિશીલતા સાથે કરવા માટે, રાજયમાં એક નવીન પહેલના રૂપમાં જનસેવા કેન્દ્રને માધ્યમ બનાવીને આઈ.ટી આધારિત ઈ-એનએ, ઈ-શરતફેર અને ઈમ્યુટેશન (હક્કપત્રકની નોંધો)ની વ્યવસ્થા અમલમાં મૂકી રહયું છે. આ નવી વ્યવસ્થાના સુચારૂ અમલીકરણ માટે શ્રી રાવના માર્ગદર્શન હેઠળ જનસેવા કેન્દ્રના સંચાલકો અને મહેસૂલી અધિકારીઓને સંયુકત રીતે અને સાવ મામુલી ખર્ચે એક નવું સોફટવેર બનાવ્યું છે. રાજયના મહેસૂલ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલ કચેરીના જનસેવા કેન્દ્ર ખાતે સોફટવેરનું વિમોચન અને આ વ્યવસ્થાનો શુભારંભ કરાવ્યો હતો.
આ વ્યવસ્થાને પગલે ખેડૂત ખાતેદારોએ વિવિધ દસ્તાવેજો અને એન.ઓ.સી. મેળવવા વિવિધ કચેરીઓમાં ફરવું નહીં પડે. જનસેવા કેન્દ્ર જ આ તમામ બાબતોનું સંકલન કરશે. ઉલ્લેખનીય છે કે વડોદરાએ અગાઉ લોક સહભાગીદારીથી મોડેલ ડિસ્ટ્રિકટની વિભાવનાનો અમલ, જનસેવા કેન્દ્રોનું આધુનિકરણ અને સીંગલ વિન્ડો સ્સ્ટિમ હેઠળ ખાનગી સહભાથીદારીથી સંચાલન જેવી અભિનવ પહેલો કરી છે. ઈ-શરતફેર, ઈ-બિનખેતી અને ઈ-મ્યુટેશન મહેસુલી પ્રશાસનના સરળીકરણની આવી જ એક વધુ પહેલ વડોદરાએ કરી છે.
મુખ્યમંત્રીશ્રી પ્રેરિત સ્વાન્તઃ સુખાયની ભાવના તેમજ વહીવટમાં સરળતા અને પારદર્શકતા માટે રાજય સરકારની સંકલ્પબદ્ધતા હેઠળ એટીવીટી જનસેવા કેન્દ્રો દ્વારા એન.એ.ની મંજુરી સહિતની કામગીરીઓમાં લોકાભિમુખ અભિગમ તેનાથી સાર્થક થશે તેવી લાગણી વ્યકત કરતાં શ્રી રાવે જાણાવ્યું હતું કે આ વ્યવસ્થા હેઠળ ફકત જમીનના સર્વે નંબર અને તેના સ્થળની જાણકારી હોય તો પણ તેના ઉલ્લેખ સહિતની અરજીઓ માત્ર રૂા. ૨૦/- ની ટોકન ફીથી લેવામાં આવશે આ કામગીરી સાથે સંબંધિત તમામ વિભાગોમાંથી જરૂરી દસ્તાવેજો, નોંધો મેળવવાનું સંકલન જનસેવા કેન્દ્ર કરશે. ટોલ ફ્રી નંબર (૯૦૯૯૯૩૦૦૭) નો સંપર્ક, એસએમએસ અને વેબસાઈટ દ્વારા અરજદાર તેની અરજીની પરિસ્થિતિ (સ્ટેટસ) સમયાંતરે જાણી શકાશે. તેમાં અરજદારને જરૂર પડયે લીગલ આસીસ્ટન્સ (કાયદાકીય માર્ગદર્શન) આપવાની અને પ્રોસેસીંગમાં બિનજરૂરી વિલંબ થતો હોય તો સંબંધિત ઉચ્ચાધિકારીઓને સતર્ક (એલર્ટ) કરવા જેવી જોગવાઈઓ પણ છે. જો કે અરજદાર ખેડૂતોએ અરજી આપતી વખતે ત્રણ જરૂરી સોગંદનામ જાતે કરવા પડશે. તેમણે પ્રત્યેક પરવાનગી માટે સરકાર નિર્ધારિત ફી/ચાર્જીસ ભરવાના રહેશે.
આ વ્યવસ્થા હેઠળ અરજીઓના પ્રોસેસિંગનો દૈનિક અને સાપ્તાહિક અહેવાલ કલેકટર સહિતના અધિકારીઓને મળતો રહેશે જેનાથી મોનિટરિંગ વધુ અસરકારક બનશે. પહેલી અરજીનો પહેલો નિકાલની કયુ સિસ્ટમ કયાંય ન તૂટે તેની તકેદારી તેમાં લેવાશે. જનસેવા કેન્દ્રો દ્વારા આપવામાં આવતી સામાન્ય સેવાઓ ઉપરાંતની આ મૂલ્યવર્ધિત વેલ્યુ એડેડ સેવા છે તેને ધારી સફળતા મળે તો સમગ્ર રાજયમાં તેના અમલીકરણની વિચારણા થઈ શકે છે તેમશ્રી રાવે જણાવ્યું હતું. અરજી મળ્યાના ચોવીસ કલાકમાં જ તેનું પ્રોસેસિંગ શરૂ થઈ જશે.
તા. ૧લી મે, ૨૦૧૨ સુધીમાં વડોદરા જિલ્લામાં હક્કપત્રકની એક પણ પડતર નોંધ નહીં રહે તેવો સંકલ્પ વ્યકત કરતાં શ્રી રાવે જણાવ્યું હતું કે આ વ્યવસ્થામાં અનુભવોને આધારે સતત સુધારા કરવામાં આવશે. અમદાવાદ પછી રાજયમાં સહુથી વધુ વાર્ષિક ૫૦૦ જેટલી એન.એ.ની અરજીઓ વડોદરામાં મળી છે. જુલાઈ-૨૦૧૧માં ત્રણ મહિનાથી વધુ મુદતની હક્કપત્રની પડતર નોંધોની સંખ્યા ૪૫૦૦ જેટલી હતી જેનો સમયબધ્ધ નિકાલ કરાતાં હવે માત્ર ૨૫૦ જેટલી નોંધ જ બાકી છે.
ગૃહ નિર્માણકારોના મંડળ ક્રેડાઈ-વડોદરાએ આ નવી પહેલને આવકારતા શ્રી રાવને અભિનંદન પાઠવ્યા છે અને તેને વધુ કાર્યક્ષમ બનાવવાના ઉપયોગી સૂચનો આપવા સહિત તેના અમલીકરણમાં સહાયક બનવાની ખાતરી આપી છે.
ડભોઈ-કરણેટ વચ્ચે ઓરસંગ અને ઝરવણ-કછાટા રસ્તે ઉચ્છ નદી પર રૂા. ૨૭.૨૬ કરોડના ખર્ચે પુલોનું નિર્માણ થશે
માર્ગ અને મકાન મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે કર્યું પુલોનું ભૂમિપૂજન
તિથિભોજન માટે દાતાઓની સરળતા માટે જિલ્લામાં ટેલીફોન સુવિધાનો પ્રારંભ
છેલ્લા ત્રણ વર્ષમાં જિલ્લામાં રૂા. ૮૦૭ કરોડના માર્ગ વિકાસના કામો થયા છે
વડોદરા
માર્ગ અને મકાન મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે ડભોઈ-કરણેટ રસ્તે ઓરસંગ નદી પર તથા ઝરવણ-કછાટાના રસ્તે ઉચ્છ નદી પર કુલ રૂા. ૨૭.૨૩ કરોડના ખર્ચે નિર્માણ થનારા પુલોની ખાતમુહૂર્ત વિવિધ સંપન્ન કરી હતી. શ્રીમતી પટેલે જણાવ્યું કે, પુલના નિર્માણથી સંખેડા તાલુકાના ૨૩ અને ડભોઈ તાલુકાના ૧૩ ગામોના અનેક લોકોને લાભ થશે. ડભોઈ-કરણેટ પુલથી બે તાલુકાનું જોડાણ થતા અનેક પ્રજાજનો લાંબા અંતરને બદલે સીધેસીધા ટૂંકાઅંતરે જઈ શકાશે.
ઓરસંગ નદી પર રૂા. ૨૨.૨૬ કરોડના ખર્ચે પુલ નિર્માણ થશે. એમ જણાંવતા તેમણે ઉમેર્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં વડોદરા જિલ્લામાં ૮૦૭ કરોડના ખર્ચે તેમજ ઝરવણ - કછાટાના રસ્તે ઉચ્છ નદી પર અંદાજે રૂા. ૫ કરોડના ખર્ચે માર્ગ નિર્માણ વિસ્તૃતિકરણના કામો સાથે સાથે ૨૦૧૧-૧૨માં રૂા. ૪૦૨ કરોડના ૩૧૮ કામોને મંજૂરી આપવામાં આવી છે. જે પૈકી ૨૬ કામો મકાન નિર્માણના થનારા છે. તેમજ ડભોઈ તાલુકામાં ત્રણ વર્ષમાં રૂા. ૯૧ કરોડના કામો કરવામાં આવ્યા છે. જિલ્લાના વિકાસથી વંચિત એવા નસવાડી, કવાંટ, વાધોડિયા વગેરે જેવા તાલુકાઓમાં તાલુકા પંચાયત ભવનો અને ગટર યોજનાના તેમજ માર્ગ સુવિધાના કામો હાથ ધરાનાર છે. શ્રીમતી પટેલે જણાવ્યું કે વિકાસ કામોમાં પ્રજા કેન્દ્ર સ્થાને હોય છે. પ્રજાના નાનામોટા કામો સાથે તેમની સુખસુવિધાની વિભાવના માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે. આ સાથે તેમણે ૧૦૮ની સેવાઓ, સગર્ભા માતાઓ બાળકો અને કિશોરી સ્વાસ્થ્ય ૧૬ વર્ષ સુધીના કેન્સર, હ્દયરોગ કીડની જેવા રોગપીડિત બાળકોને સરકાર વિનામૂલ્યે સારવાર અને ઓપરેશનનો ખર્ચ કરે છે.
શ્રીમતી પટેલે ઉમેર્યું કે, આગામી બે વર્ષમાં તમામ આંગણવાડીના મકાન નિર્માણ કરવામાં આવશે. અકિંચન પરિવારોના આંગણવાડીમાં આવતા કુપોષિત ભૂલકાંઓને પૌષ્ટિક આહાર અપવા દાતાઓને કોઈ તકલીફ ન પડે અને દાતા સરળતાથી ભૂલકાંઓને ભોજન કરાવી શકે તે માટે વડોદરા જિલ્લામાં શરૂ થયેલી ટેલીફોન સેવા અને એસ.એમ.એસ. સેવાને ખુલ્લી મૂકી હતી. જયારે ઝરવણ ખાતે કેન્દ્ર સરકાર દ્વારા કપાસ નિકાસ પર મૂકેલા પ્રતિબંધને વખોડી કાઢયો હતો.
આ પ્રસંગે માર્ગ અને મકાન રાજય મંત્રીશ્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું કે, આ વિસ્તારના લોકોની વરસો જૂની પુલની માગનો પશ્ન હલ થશે. ગુજરાતના વિકાસ પર દેશ-દુનિયાની નજર છે, અને અન્ય રાજયો ગજરાતના વિકાસ મોડેલને અપનાવી રહયા છે. ગુજરાતમાં વર્તમાન સરકારે સેતુ બાંધવાનું કામ કરે છે. જયારે કેટલીક સરકાર સેતુ તોડવનું કામ કરે છે.
ડભોઈ કરણેટ રોડ પર ઓરસંગ નદી પર બંધાનારા પુલની ખાતમુહૂર્ત વિધિ પ્રસંગે છોટાઉદેપુરના સાંસદ શ્રી રામસિંહ રાઠવાએ ડભોઈ-કરણેટ પુલને મહત્ત્વનો ગણાવતા જણાવ્યું કે, ભૂતકાળની સરકારો પ્રજાની તકલીફ પ્રત્યે લક્ષ આપ્યું નહોતું આ પુલ બંધાતા ડભોઈથી વડોદરા વચ્ચેનું લાંબુ અંતર ધટી જશે.
સંખેડાના ધારાસભ્યશ્રી અભેસિંહ તડવીએ ડભોઈ કરણેટ રસ્તે ઓરસંગ નદી પરના પુલને પ્રજાનું સપનું સાકાર થયાનું જણાવતા મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અનેક વિકાસ કામોની પરિપૂર્તિ થઈ છે. આ સાથે સંખેડા તાલુકામાં માર્ગ નિર્માણની વિગતો તેમણે આપી હતી. જયારે ડભોઈના ધારાસભ્યશ્રી સિદ્ધાર્થભાઈ પટેલે જણાવ્યું કે, પુલની વરસો જૂની માગણી હતી તેનું કામ શરૂ થવા જઈ રહયું છે. ડભોઈ - સંખેડાનો મેવાસ વિસ્તાર તાકાતવાળો હોવા છતાં આંતરમાળખાકીય સુવિધાના અભાવે પાછળ પડી ગયો હતો.
આ પ્રસંગે પંચાયતના અધિક્ષક ઈજનેર શ્રી એ.કે.પટેલે ડભોઈ-કરણેટ પરના ઓરસંગની નદી પરના પુલની તથા ઝરવણ-કછાટા રસ્તે ઉચ્છ નદી પરના પુલની વિગતો આપી હતી. અંતમાં કાર્યપાલક ઈજનેરશ્રી એ.સી.વાંસદિયાએ આભાર વિધિ કરી હતી. ડભોઈ કરણેટના રસ્તે ઓરસંગ નદી તથા ઝરવણ-કછાટા રસ્તે ઉચ્છ નદી પરના પુલની ખાતમુહૂર્તવિધિ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી સુધાબેન પરમાર, જિલ્લા-તાલુકા પંચાયતના પદાધિકારીઓ-સદસ્યો કલેકટરશ્રી વિનોદ રાવ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાકેશ શંકર તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા.
રાજકોટ શહેરનો એપ્રિલ માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
રાજકોટ શહેરનો એપ્રિલ માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ
રાજકોટ
એપ્ખ્યમંત્રીશ્રીનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તાલુકા ક્ક્ષાએ રાખવાનું નકકી થઇ આવેલ છે જે મુજબ રાજકોટ શહેરનો માહે એપ્રિલ-૧૨નો તાલુકા સ્વાગત કાર્યક્રમ અધિક મામલતદાર કચેરી, રાજકોટ શહેર ખાતે તા. ર૫-૦૪-૧૨ના રોજ બપોરના ૧ર-૦૦ કલાકે રાખવામાં આવેલ છે. જે કાર્યક્રમમાં લોકોના વ્યકિતગત લેખિતમાં તલાટીશ્રી,તાલુકા કક્ષાના પ્રશ્ન બાબતે અગાઉ અરજી કરેલ હોય, નિર્ણય આવેલ ન હોય તેવા કોઇ બાકી પ્રશ્નો પરત્વે પોતાનો પ્રશ્ન/રજૂઆત/ફરિયાદ કરવા ઇચ્છતા હોય, તેમણે આધાર-પુરાવા સાથે બે નકલમાં લેખિતમાં પ્રશ્ન તા. ૧૦-૦૪-૧૨ સુધીમાં અધિક મામલતદાર કચેરી, રાજકોટ શહેર ખાતે રજુ કરવા અધિક મામલતદાર અને એકઝી.મેજીસ્ટ્રેટ, રાજકોટ દ્વારા જણાવાયું છે.
સીનીયર સીટીઝનો માટે નિશુલ્ક નિદાન-કેમ્પ
રાજકોટ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત પદ્મકુંવરબા હોસ્પીટલ, રાજકોટ ખાતે ચાલતા એનપીસીડીસીએસ તથા એનપીએચસીઇ કાર્યક્રમ અંતર્ગત વીશ્વ આરોગ્ય દિવસ (તા. ૭ એપ્રિલ-૨૦૧૨) નિમિત્તે સીનીયર સીટીઝન્સ (૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના) માટે નિશુલ્ક નિદાન કેમ્પ સરકારશ્રી દ્વારા આરોગ્યનું ચાલુ વર્ષનું થીમ ‘વધતી ઉંમર અને આરોગ્ય’ તથા સુત્ર ‘સારુ આરોગ્ય ઉંમરને જીવન બક્ષે છે’ નક્કી કરવામાં આવેલ છે. જે અન્વયે ઓ.પી.ડી. રૂમ નં. પ, પદ્મકુંવરબા હોસ્પીટલ, રાજકોટ ખાતે તા. ૭/૪/૧૨ના રોજ સવારે ૯-૦૦ કલાક થી બપોરે ૧૨-૩૦ કલાક સુધી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યકિતઓ માટે નિશુલ્ક હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
ઉકત કેમ્પમાં ડાયાબિટીસ, હૃદય રોગ જેવા તમામ બિનચેપી રોગો માટે બી.પી., ઇ.સી.જી., લોહી-પેશાબની તપાસ ફ્રીમાં કરી આપવામાં આવશે. જેથી સબંધિત તમામ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યકિતઓએ આ કેમ્પનો લાભ લેવાની અપીલ કરવામાં આવે છે.
રાજકોટ જિલ્લાના ચાર જળાશયોમાં આનુસાંગીક કામો રૂ. ૧૭૧.૧૨ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે.
રાજકોટ
આજી-ર સિંચાઇ યોજના, આજી-૩ સિંચાઇ યોજના, ફોફળ-ર સિંચાઇ યોજના અને ન્યારી-ર સિંચાઇ યોજનાના આનુસાંગીક તથા કેનાલ રીપેરીંગ સહિતના કામો અંદાજે રૂ. ૧૭૧.૧૨ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ સિંચાઇ યોજનાઓના કામોમાં મુખ્ય કેનાલનું રીપરીંગ, સ્ટ્રકચર્સનું રેસ્ટોરેશન તથા રીપેરીંગ, સ્પીલવે તથા બ્રીજનું રીપેરીંગ સ્પીલવલે રેડીયલ ગેઇટસમાં નવા રબ્બર સીલ અને અન્ય કામોનો સમાવેશ થાય છે. આ કામો કાર્યપાલક ઇજનેરશ્રી રાજકોટ સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવશે.
રાજકોટમાં તા. ૧૮મીથી લશ્કરી ભરતી મેળો
રાજકોટ
રાજકોટ શહેરમાં સીટી પોલીસ હેડકવાટર્સ ખાતે આગામી તા. ૧૮ એપ્રિલ થી તા. રપ એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર ઉપરાંત દિવ અને ગુજરાતના યુવાનો માટે લશ્કરી ભરતી મેળો યોજાશે. સોલ્જર જનરલ ડયુટી, ટેકનિકલ કલાર્ક, નર્સિંગ આસીસ્ટન્ટ અને ટ્રેડમેનમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં નિયત શારીરિક અને શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોને દેશસેવાનો મોકો મળશે. વધુ વિગતો માટે જિલ્લા રોજગાર અધિકારીનો સંપર્ક સાધી શકાય છે.
આર.ટી.ઓ.માં ભરણાની મુદત વધી
રાજકોટ
- આથી રાજકોટ જિલ્લાની તમામ મોટરીંગ પબ્લીકને જાણ કરવામાં આવે છે કે ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૧૨-૧૩ માટે એડવાન્સ મોટર વાહન વેરો ભરવા માંગતા વાહન માલીકોને સરકારશ્રીએ મુંબઇ મોટર વાહન કર અધિનીયમ-૧૯પ૮ હેઠળના કર ભરણાની મુદત તા. ર૦/૪/’૧૨ (વીસમી એપ્રિલ ૨૦૧૨) સુધી લંબાવવામાં આવેલ છે. તેની તમામ કર દાતાઓએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.
રાજકોટ ખાતે ૧૮ થી ૨૫ એપ્રિલ-૨૦૧૨ દરમ્યાન ભારતીય સૈન્યમાં વિવિધ કેટેગરીની જગ્યાઓની ભરતી રેલી
અમરેલી જિલ્લાના ઉમેદવારોએ તા.૨૪ એપ્રિલના રોજ ઉપસ્થિત રહેવું
અમરેલી
સૈન્યમાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર ટેકનીકલ, સોલ્જર ટેકનીકલ (એન.એ.), સોલ્જર ક્લાર્ક/સ્ટોર કીપર ટેકનીકલ, સોલ્જર ટેકનીકલ નર્સીંગ આસિસ્ટન્ટ, સોલ્જર ટ્રેડ્સમેન કેટેગરીની જગ્યાઓની ભરતી ટૂંક સમયમાં થનાર છે.
આર્મી રિક્રુટિંગ ઓફિસ જામનગર દ્વારા સૌરાષ્ટ્ર –કચ્છ, દીવ પ્રદેશના ઉમેદવારો માટે સીટી પોલિસ હેડક્વાર્ટસ, રેસકોર્સ ગ્રાઉન્ડ-રાજકોટ ખાતે આગામી તા. ૧૮ થી ૨૪ એપ્રિલ – ર૦૧૨ દરમ્યાન લશ્કરી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં સૌરાષ્ટ્ર – કચ્છ, દીવ પ્રદેશના ઉમેદવારોને આવરી લેવામાં આવશે.
ઉમેદવારોએ પસંદગી માટે શારીરિક ક્ષમતા, દાકતરી તપાસ તથા સામાન્ય પ્રવેશના માપદંડો માંથી પાસ થવાનું રહેશે. તમામ કેટેગરી માટેની શારીરિક કસોટીની પરીક્ષાઓમાં ૧૮મી એપ્રિલે સુરેન્દ્રનગર, ૧૯મી એપ્રિલના રોજ રાજકોટ જિલ્લાના ઉમેદવારોએ શારિરીક કસોટી માટે ઉપસ્થિત રહેવાનું રહેશે. તા. ૨૦મી એપ્રિલના રોજ જુનાગઢ જિલ્લાના ઉમેદવારો, જામનગર તથા પોરબંદર અને કચ્છ જિલ્લાના ઉમેદવારોએ તા.૨૧લી એપ્રિલના રોજ હાજર રહેવાનું રહેશે. ભાવનગર તથા દીવ (યુટી)ના ઉમેદવારોએ તા.૨૩મીના રોજ ઉપસ્થિત રહેવા અને ૨૪મી એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના ઉમેદવારોએ સ્ક્રીનીંગ અને શારીરિક કસોટી માટે ઉપસ્થિત રહેવાનું રહેશે.
આ તમામ કેટેગરી માટે એન.સી.સી. સર્ટીફિકેટ ધારક, સર્વિસમેનના પુત્રો, માજી સૈનિકોના પુત્રો અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાના સ્ટેટ અને નેશનલ લેવલના સ્પોર્ટમેન માટે તા.૨૫મી એપ્રિલના રોજ શારીરિક કસોટી યોજાશે. શારીરિક કસોટી માટે તમામ જિલ્લાના ઉમેદવારોએ નિયત તારીખે સવારે ૪.૩૦ કલાકે હાજર રહેવાનું રહેશે.
સોલ્જર ટેકનીકલ કેટેગરી માટેની અરજી કરનારે જો પરિક્ષાના પરિણામ બાકી હોય તો પ્રિન્સીપાલ કે હેડમાસ્તર દ્વારા આપવામાં આવેલું પ્રોવિઝનલ સર્ટીફિકેટ લાવવાનું રહેશે. કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એડમિટ કાર્ડ આપવામાં આવેલ હોય તેવા તમામ ઉમેદવારો (સો. ટેક્નિ (એન.એ) સિવાય) માટે, આર્મી રિક્રુટીંગ ઓફિસ જામનગર દ્વારા તા.૨૯મી જુલાઇના રોજ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ યોજાનાર છે.
ભરતી સંબંધિત વિવિધ કેટેગરી માટે આવશ્યક લાયકાત, અભ્યાસ, શારીરિક માપદંડ તથા અન્ય માહિતી અને વિગતો માટે આર્મી રિક્રુટીંગ ઓફિસ જામનગર (૦૨૮૮) ૨૯૧૧૩૧૦ અથવા નજીકની જિલ્લા રોજગાર કચેરી (૦૨૯૭૨) ૨૨૩૩૯૪નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.
કૃષિ, સહકારમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીનો અમરેલી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
અમરેલી
રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી આગામી તા. ૬ઠ્ઠી તથા ૭મી એપ્રિલના રોજ અમરેલી જિલ્લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી તા.૬ઠ્ઠીના રોજ ૧૦.૦૦ કલાકે અ.જિ.મ. સ.બેં.લિ. ખાતે બેઠકમાં ઉપસ્થિત રહેશે. તા. ૭મીના રોજ ૧૭-૦૦ કલાકે ગજેરાપરા-અમરેલી,૧૮.૦૦ કલાકે ચાંપાથળ ખાતે વિમા સહાય યોજના અંતર્ગત ખેડૂતોને અકસ્માત વિમા ચેક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. ૧૯.૦૦ કલાકે તરકતળાવ ખાતે સમરસ ગામ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્છા મુલાકાત પ્રસંગે ઉપસ્થિત રહેશે.
છાટબાર
હનુમાનજીનો જન્મ ગુજરાતમાં
હનુમાનજીનો જન્મ ગુજરાતમાં જ થયો હતો, આ રહ્યો પુરાવો જે કોઇ જાતકને શનિની પનોતી હોય તો સ્વાતંત્રય સેનાની ઘેલુભાઇ અટાળા ધામ મુકામે ન્યાયાધીશ હનુમાન શિવરામભાઇ અવશુ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ જ્યાં વાસ કરે છે તે સ્થળ તેત્રીસ કરોડ દેવી દેવતાઓ જ્યાં વાસ કરે છે તે સ્થળ સંજીવની બુટ્ટી જે પથ્થરો પર ઘસવામાં આવેલી તે પથ્થરો અંજની પર્વત અંજની પર્વત અંજની પર્વત પાસે આવેલા બે ઉકરડો ડુંગર અર્જુન બાપુ સાત ડુંગરોની હારમાળાના બે ડુંગરો અંજની પર્વતની બાજુમાં આવેલું ભીંતબારી ડુંગર અંજની ગુફા જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો અંજની ગુફા જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો અંજની ગુફા જ્યાં હનુમાનજીનો જન્મ થયો હતો શૈલુ માવજુ બરડે ઇંદર ગનીયાભાઇ પવાર અંજની ગુફાની બાજુમાં અંજની કુંડ અંજની ગુફાની બાજુમાં અંજની કુંડ |
KKUMARJOSHI
Check out "કોણ હડતાલ ઉપર ન જઈ શકે?" on GUJARATI-ગુજરાતી
|
ગુરુવાર, 5 એપ્રિલ, 2012
Fwd: [Dahod-online:1030] Tornado Pictures ( TEXAS ) from Subhash Shah
the Texas ( Dallas ) Area. See few photos Shared by Mr. Subhash
shah.Description:
http://digitaltexan.net/wp-content/uploads/2012/04/texas-tornado-02-580x300.
jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web04/2012/4/3/21/enhanced-buzz-134
24-1333501477-25.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web03/2012/4/4/8/enhanced-buzz-7329
-1333543701-7.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/terminal05/2012/4/3/20/enhanced-buz
z-7600-1333500503-42.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web05/2012/4/3/21/enhanced-buzz-238
7-1333501455-19.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/terminal05/2012/4/4/8/enhanced-buzz
-30498-1333541868-16.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/terminal05/2012/4/3/20/enhanced-buz
z-7691-1333499884-29.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web05/2012/4/3/20/enhanced-buzz-238
7-1333500099-8.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/terminal05/2012/4/3/20/enhanced-buz
z-7583-1333500883-35.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web03/2012/4/3/20/enhanced-buzz-106
80-1333500280-30.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web05/2012/4/3/20/enhanced-buzz-253
6-1333501121-11.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web05/2012/4/3/21/enhanced-buzz-247
7-1333501439-10.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web04/2012/4/3/22/enhanced-buzz-134
14-1333508261-33.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web05/2012/4/3/22/enhanced-buzz-238
7-1333508275-46.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web05/2012/4/3/20/enhanced-buzz-235
8-1333501154-7.jpg
Description:
http://s3-ec.buzzfed.com/static/enhanced/web03/2012/4/3/20/enhanced-buzz-107
04-1333500526-7.jpg
--
You received this message because you are subscribed to the Google
Groups "Dahod Online" group.
To post to this group, send email to dahod-online@googlegroups.com.
To unsubscribe from this group, send email to
dahod-online+unsubscribe@googlegroups.com.
For more options, visit this group at
http://groups.google.com/group/dahod-online?hl=en.
--
KKUMARJOSHI
Fwd: [New post] મોરારીબાપુને એક રૅશનાલીસ્ટની જાહેર વીજ્ઞપ્તી
URL : http://govindmaru.wordpress.com/2012/04/05/n-v-chavda/
Posted : April 5, 2012 at 12:54 am
Author : ગોવીંદ મારુ
Categories : મીત્રોનાં લેખો / કાવ્યો
'ડૉ. બાબાસાહેબ આમ્બેડકર જયન્તી' ૧૪ એપ્રીલ ૨૦૧૨ના દીવસે, રામકથાકાર
શ્રી. મોરારીબાપુ 'આમ્બેડકર કથા'નો પ્રારમ્ભ કરવા જઈ રહ્યા હોવાના એક
સમાચાર જાણવા મળ્યા છે. ત્યારે આદરણીય શ્રી. મોરારીબાપુને મારી એક જાહેર
નમ્ર વીજ્ઞપ્તી છે કે ભારતની પ્રજાને જગાડવાની આ મોંઘેરી સુવર્ણ તક આપે
સ્વબળે પ્રાપ્ત કરી છે, ત્યારે ભારતની પ્રજાને એના સાચા અર્થમાં
જગાડવામાં જરાય [...]
KKUMARJOSHI
Fwd: ગાયત્રી જ્ઞાન મંદિર - જેતપુર
///////////////////////////////////////////
સાગ વિદુર ઘર ખાયે
Posted: 03 Apr 2012 07:42 PM PDT
http://feedproxy.google.com/~r/karshalakg/~3/311uvCcZ4wg/?utm_source=feedburner&utm_medium=email
પ્રતિક પૂજા પાછળ છુપાયેલા સંકેત અને શિક્ષણ ગાયત્રી મંત્ર અમારી સાથે સાથે :
ૐ, ભૂર્ભુવઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગોદેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્
॥ સાગ વિદુર ઘર ખાયે મિત્રો ! વિદુરને ત્યાં ૫ણ આવું જ થયું. વિદુરની ૫ત્ની
કેળાંની છાલ કાઢીને કેવું જમીન ૫ર નાંખી રહી હતી અને કેળાંની છાલ ભગવાનના
હાથમાં મૂકતી જઈ રહી [...]
KKUMARJOSHI









