મહેશભાઈ ગોધાણીની ભાળ મળે તો જાણ કરશોઃ
સૂરતઃ અડાજણ પોલીસ સ્ટેશનના જણાવાયા અનુસાર તા.૨/૪/૨૦૧૨ના રોજ અડાજણના મહાલક્ષ્મી આર્કેડના ફલેટ નં.બી/૧/૨૦૨ ખાતે રહેતા મહેશભાઈ ભોવાનભાઈ ગોધાણી(ઉ.વ.૪૨) વહેલી સવારે ઘરેથી માંડવીના કડોદ ખાતે આયુર્વેદીક દવા લેવા જવાનું કહીને નીકળ્યા બાદ પરત ફર્યા નથી. તેઓ શરીરે મજબુત બાંધાના, ઉચાઈ ૫.૬ ફુટ છે. ચહેરો લંબગોળ, નંબરવાળા ચશ્મા પહેર્યા છે. દુધીયા રંગનું શર્ટ તથા લાઈટ બ્લ્યુ રંગનું પેન્ટ પહેર્યું છે. કોઈને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો