અનુયાયીઓ

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

વલસાડ જિલ્લા સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક તા.ર૧/૪/ર૦૧રનાં રોજ યોજાશે :




વલસાડ જિલ્‍લાની સંકલન-વ-ફરિયાદ સમિતિની બેઠક તા.ર૧/૪/ર૦૧રનાં રોજ ૧૧:૦૦ વાગે કલેકટર કચેરીના સભાખંડમાં યોજવામાં આવશે. આ અંગે જિલ્લાના સંબંધિત અધિકારીઓને પૂરતી માહિતી સાથે સ્‍વયં ઉપસ્‍થિત રહેવા નિવાસી અધિક કલેકટર શ્રી પી.બી.બ્રહ્મભટૃ તરફથી એક અખબારી યાદીમાં જણાવાયું છે.
વલસાડ જિલ્લામાં પ્‍લાસ્‍ટીકના વ્‍યવસાય સાથે સંકળાયેલા વેપારીઓ, પેઢીઓ, ઉત્‍પાદકો, ઇસમો અને વપરાશકારો માટે માર્ગદર્શન સૂચનાઓ :
ર૦ માઇક્રોનના બદલે હવે ૪૦ માઇક્રોનની કેરીબેગના વપરાશ અંગે વન-પર્યાવરણ મંત્રાલયનો સુધારો જારી કરાયો
(વલસાડ માહિતી બ્‍યૂરો): વલસાડઃ તાઃ ૫: કેન્‍દ્ર સરકારના ધી રીસાયકલ્‍ડ પ્‍લાસ્‍ટીક મેન્‍યુફ્રેક્‍ચર ઍન્‍ડ યુસેઝ રૂલ્‍સ-૧૯૯૯ની જોગવાઇ મુજબ કોઇપણ વિક્રેતા ખાદ્ય પદાર્થના સંગ્રહ, હેરફેર, વિતરણ કે પેકીંગ પુનઃચક્રિત પ્‍લાસ્‍ટિકમાંથી બનાવેલી કેરીબેગ, થેલીઓ, ઝભલાઓ કે કન્‍ટેઇનરનો ઉપયોગ કરી શકતા નથી. તેમજ પુનઃચક્રિત પ્‍લાસ્‍ટિકમાંથી બનાવેલી થેલીઓ, કન્‍ટેઇનર વગેરેમાં ફાસ્‍ટફૂડ, તૈયાર રાંધેલો ખોરાક, પ્રવાહી કે પાવડર સ્‍વરૂપમાં રહેલા ખોરાક સહિત કોઇપણ ખાદ્યપદાર્થનો સંગ્રહ, વેપાર, હેરફેર કે નિકાલ કરી શકાતો નથી. વલસાડ જિલ્લામાં આ રૂલ્‍સની અસરકાર અમલવારી અર્થે ભારતના ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો બીજો)ની કલમ-૧૪૪થી મળેલી સત્તાની રૂએ વલસાડ જિલ્લાના જિલ્લા મેજિસ્‍ટ્રેટ શ્રી એલ.સી.પટેલે એક જાહેરનામુ જારી કરીને વિગતવાર માર્ગદર્શક સૂચનાઓ બહાર પાડી છે. આ જાહેરનામાના મુદૃા નં.પમાં કેરીબેગની જાડાઇ રીસાયકલ્‍ડ અથવા તો નવા પ્‍લાસ્‍ટિકમાંથી બનાવેલી કેરીબેગની જાડાઇ ર૦ માઇક્રોનથી ઓછી હોવી જોઇએ નહીં તેમ જણાવાયું છે. ભારત સરકારના વન અને પર્યાવરણ વિભાગ, નવી દિલ્‍હી દ્વારા પણ ર૦ માઇક્રોનના બદલે ૪૦ માઇક્રોન કરવામાં આવ્‍યા હોઇ, મુદૃા નં.પમાં કેરીબેગની જાડાઇ રીસાયકલ્‍ડ અથવા તો નવા પ્‍લાસ્‍ટિકમાંથી બનાવેલી કેરીબેગની જાડાઇ ૪૦ માઇક્રોનથી ઓછી હોવી જોઇએ નહીં તેમ સુધારો કરવામાં આવ્‍યો છે. આ સિવાય અગાઉ જિલ્લા મેજિસ્‍ટ્રેટ દ્વારા જારી કરાયેલી તમામ સૂચનાઓ અને વિગતો યથાવત રાખવામાં આવી છે, એમ પણ એક અખબારી યાદીમાં વધુમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: