અનુયાયીઓ

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

ખાદ્ય તેલના ભાવો ને અંકુશમાં લેવા રાજ્‍ય સરકાર પ્રતિબધ્‍ધઃ પુરવઠા મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ વેપારીઓ, મિલરો, તેલીબીયાનો સંગ્રહ ન કરે તે માટે તેલના જથ્‍થા ઉપર નિયંત્રણ લાદવા રાજ્‍યમાં સ્‍ટોક લીમીટ દાખલ. કાળાબજારીયાઓને નિયંત્રણમાં રાખવા માટે રાજ્‍ય સરકાર સહેજ પણ અચકાશે નહીં. ખેડુતો તેલીબીયાનો સંગ્રહ કરી શકશે. તેના પર કોઇ બાન નહીં. કેન્‍દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓના કારણે રૂપિયાનું અવમૂલ્‍યન થયું છેઃ આયાતી તેલોના ભાવ પણ વધ્‍યા છે.


ખાદ્ય તેલના ભાવો ને અંકુશમાં લેવા રાજ્‍ય સરકાર પ્રતિબધ્‍ધઃ
પુરવઠા મંત્રીશ્રી નરોત્તમભાઇ પટેલ
વેપારીઓ, મિલરો, તેલીબીયાનો સંગ્રહ ન કરે તે માટે તેલના જથ્‍થા ઉપર નિયંત્રણ લાદવા રાજ્‍યમાં સ્‍ટોક લીમીટ દાખલ.
કાળાબજારીયાઓને નિયંત્રણમાં રાખવા માટે રાજ્‍ય સરકાર સહેજ પણ અચકાશે નહીં.
ખેડુતો તેલીબીયાનો સંગ્રહ કરી શકશે. તેના પર કોઇ બાન નહીં.
કેન્‍દ્ર સરકારની ખોટી આર્થિક નીતિઓના કારણે રૂપિયાનું અવમૂલ્‍યન થયું છેઃ આયાતી તેલોના ભાવ પણ વધ્‍યા છે.
કેન્‍દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલી કપાસની નિકાસબંધી ના કારણે જીનીંગ અને પિલાણ ઘટયું હોવાથી ભાવ વધારો થઇ રહ્યો છે.
સમગ્ર દેશમાં તમામ વસ્‍તુઓના ભાવ વધી રહ્યા છે. તેની સાથો સાથ ખાદ્યતેલના પણ ભાવ વધી રહ્યા છે. કેન્‍દ્ર સરકાની ભાવ નિરંકુશ કરવાની કુનિતિને કારણે દેશની પ્રજા મોંઘવારીના સકંજામાં સપડાઇ છે. ત્‍યારે રાજ્‍યમાં ખાદ્યતેલના ભાવો ને અંકુશમાં રાખવા રાજ્‍ય સરકાર પ્રતિબધ્‍ધ છે. મુખ્‍યમંત્રીશ્રી, નરેન્‍દ્રભાઇ મોદીના સીધામાર્ગદર્શન હેઠળ રાજ્‍યમાં ખાદ્યતેલના ભાવો ને નિયંત્રણમાં રાખવા માટે રાજ્‍ય સરકારે વેપારીઓ મિલરો તેલીબીયાનો સંગ્રહ ન કરી શકે તે માટે ખાદ્યતેલના જથ્‍થા ઉપર સ્‍ટોકલીમીટ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. એમ અન્ન, નાગરિક પુરવઠા મંત્રીશ્રી, નરોત્તમભાઇ પટેલે જણાવ્‍યું છે.
મંત્રીશ્રી પટેલે ઉમેર્યું હતું કે, કેન્‍દ્ર સરકાર દ્વારા તાજેતરમાં કપાસ ઉપર નિકાસબંધી દાખલ કરી છે. જેના પરિણામે ગુજરાતના ખેડુતોને બહુ મોટું નુકશાન થઇ રહ્યું છે. કપાસની નિકાસબંધીને કારણે કપાસનું જીનીંગ અને પિલાણ ઘટયું છે. જેના કારણે ભાવ વધારો થઇ રહ્યો છે. ખાદ્યતેલના ભાવ વધારાને અંકુશમાં રાખવા માટે જે સ્‍ટોક લીમીટ દાખલ કરાઇ છે. તદ્‌અનુસાર તેલીબીયાના જથ્‍થાબંધ વેપારીઓ ૨૦૦૦ ક્‍વીંટલ અને છુટક વેપારીઓ ૧૦૦ ક્‍વીંટલ સંગ્રહ કરી શકશે. તે જ રીતે મિલરો કાચો માલ વાર્ષિક જરૂરીયાતનો ૧/૬ઠ્ઠો ભાગ એટલે કે ર માસ જેટલો જથ્‍થો અને પાકો માલ ખાદ્યતેલ વાર્ષિક જરૂરીયાતના ૧/૧૨ એટલે કે 1 માસ નો જથ્‍થો સંગ્રહ કરી શકશે. તે જ રીતે તેલના વેપારીઓ છુટક વેપારી ૪૫ ક્‍વીંટલ એટલે કે ૩૦૦ ડબા અને જથ્‍થાબંધ વેપારીઓ ૬૦૦ ક્‍વીંટલ એટલે કે ૪૦૦૦ ડબાનો સંગ્રહ કરી શકશે. રાજ્‍યમાં કાળાબજારીયાઓને અંકુશમાં લેવા માટે પણ રાજ્‍ય સરકારે સઘન આયોજન કર્યું છે. ભાવોને અંકુશમાં લેવા માટે કાળાબજાર કરતા તેલીયા રાજાઓ ઉપર પી.બી.એમ. એક્‍ટ હેઠળ પણ કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે માટે રાજ્‍ય સરકાર સહેજ પણ પાછી પાની નહીં કરે. સ્‍ટોક લીમીટ અન્‍વયે ખેડુતોને પોતાના સ્‍થાન ઉપર તેલીબીયાનો જથ્‍થો રાખી શકશે. તેના ઉપર કોઇપણ પ્રકારનો બાન રખાયો નથી.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, વધતી જતી મોંઘવારીની રાજ્‍યના ગરીબો ઉપર અસર ન થાય તે માટે રાજ્‍ય સરકારે ૧૨૦૦૦ મે.ટન પામોલીન તેલનો જથ્‍થો પ્રોક્‍યુર કરવાનું નક્કી કર્યુ છે. જે તહેવારોમાં બી.પી.એલ., અંત્‍યોદય કુટુંબો માટે વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત ખાદ્યતેલના ભાવોના અનુસંધાને વધારાનો ૬૦૦૦ મે.ટન જથ્‍થો પણ ખરીદવાનો રાજ્‍ય સરકારે નિર્ણય લીધો છે. જે તહેવારો સિવાય પણ જરૂરીયાત પ્રમાણે ગરીબ કુટુંબોને વિતરણ કરવામાં આવશે. આગામી ઉનાળાના સમયમાં ઉનાળુ મગફળીનું વાવેતર ઘણું સારૂ થયું છે. અને તેનું દોઢ બે માસમાં સારૂ ઉત્‍પાદન મળશે તેના થકી ચોક્કસ તેલના ભાવો ઘટશે તેવો મને વિશ્વાસ છે.

ટિપ્પણીઓ નથી: