અનુયાયીઓ

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

વલસાડ જિલ્લાનો માહે એપ્રિલ માસનો સ્‍વાગત ઑન લાઇન કાર્યક્રમ અરજદારોએ તેમની અરજી તા.૧૦/૪/ર૦૧ર સુધીમાં મોકલી આપવી :




 રાજ્‍યના નાગરિકોના ગ્રામ કે તાલુકા કક્ષાના પ્રશ્નો કે ફરિયાદોના અસરકારક અને ન્‍યાયિક રીતે નિકાલ કરવાના ભાગરૂપે રાજ્‍યના મુખ્‍યમંત્રીશ્રીએ ઑન લાઇન સ્‍વાગત કાર્યક્રમ અમલી બનાવ્‍યો છે. જે મુજબ જિલ્લા સ્‍વાગત કાર્યક્રમ, તાલુકા સ્‍વાગત કાર્યક્રમ અને છેક ગ્રામ્‍યકક્ષા સુધી ગ્રામ સ્‍વાગત કાર્યક્રમની રચના કરવામાં આવી છે.
જે મુજબ માહે એપ્રિલ, ર૦૧ર માસ દરમિયાન યોજાનારા સ્‍વાગત કાર્યક્રમમાં પોતાની અરજીઓ, ફરિયાદ કે પ્રશ્નો રજુ કરી, તેનો નિકાલ મેળવવા ઇચ્‍છતા વલસાડ જિલ્લાના અરજદારોએ તેમના પ્રશ્નો, રજુઆત અંગેની અરજી તા.૧૦/૪/ર૦૧ર સુધીમાં તલાટી-કમ-મંત્રીને રજુ કરવા જણાવાયું છે. આ અરજીના મથાળે મારી અરજી તાલુકા સ્‍વાગત કાર્યક્રમમાં લેવી તે મુજબની નોંધ લખવી. ઉલ્લેખનિય છે કે, તલાટી-કમ-મંત્રીને મળતી આવી અરજીઓ પૈકી જે અરજીઓનો નિકાલ ગ્રામ કક્ષાએ કરવાનો થતો હોય તો તે સ્‍થાનિક કક્ષાએ નિકાલ કરવામાં આવે છે. અન્‍યથા તાલુકા કક્ષાની અરજીઓ તાલુકાના કાર્યક્રમમાં અને જિલ્લા કક્ષાની અરજીઓ જિલ્લા કક્ષાના સ્‍વાગત કાર્યક્રમમાં મોકલવાની પ્રથા અમલી બનાવવામાં આવી છે. તા.રપ/૪/ર૦૧રનાં રોજ તાલુકા કક્ષાનો સ્‍વાગત કાર્યક્રમ અને તા.ર૬/૪/ર૦૧રનાં રોજ જિલ્લા કક્ષાનો સ્‍વાગત કાર્યક્રમ યોજવામાં આવનાર છે. તાલુકા કે જિલ્લા કક્ષાના કાર્યક્રમ માટે સંબંધિત અરજદારોને રૂબરૂ ઉપસ્‍થિત રહેવા માટે જાણ કરવામાં આવશે. જે મુજબ અરજદારોને ઉપસ્‍થિત રહેવા જણાવાયું છે. આ કાર્યક્રમમાં કૉર્ટ કેસ, સબ જ્‍યુડીશ બાબતો, માહિતી અધિકાર અધિનિયમ હેઠળની અરજીઓ, સેવાકીય બાબતો, કોઇ ખાતાની નિમણૂંકની બાબતો, અરજદારની સહી વગરની અરજીઓ વગેરેના નિકાલ સંબંધી કાર્યવાહી હાથ ધરાશે નહીં, જેની નોંધ લેવા પણ નિવાસી અધિક કલેકટર શ્રી પી.બી.બ્રહ્મભટૃની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: