અનુયાયીઓ

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

રાજકોટ શહેરનો એપ્રિલ માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ


રાજકોટ શહેરનો એપ્રિલ માસનો તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ

રાજકોટ
એપ્ખ્યમંત્રીશ્રીનો તાલુકા સ્વાગત ફરીયાદ નિવારણ કાર્યક્રમ તાલુકા ક્ક્ષાએ રાખવાનું નકકી થઇ આવેલ છે જે મુજબ રાજકોટ શહેરનો માહે એપ્રિલ-૧૨નો તાલુકા સ્વાગત કાર્યક્રમ અધિક મામલતદાર કચેરી, રાજકોટ શહેર ખાતે તા. ર૫-૦૪-૧૨ના રોજ બપોરના ૧ર-૦૦ કલાકે રાખવામાં આવેલ છે. જે કાર્યક્રમમાં લોકોના વ્યકિતગત લેખિતમાં  તલાટીશ્રી,તાલુકા કક્ષાના પ્રશ્ન બાબતે અગાઉ અરજી કરેલ હોય, નિર્ણય આવેલ ન હોય તેવા કોઇ બાકી પ્રશ્નો પરત્વે પોતાનો પ્રશ્ન/રજૂઆત/ફરિયાદ કરવા ઇચ્છતા હોય, તેમણે આધાર-પુરાવા સાથે બે નકલમાં લેખિતમાં પ્રશ્ન તા. ૧૦-૦૪-૧૨ સુધીમાં અધિક મામલતદાર કચેરી, રાજકોટ શહેર ખાતે રજુ કરવા અધિક મામલતદાર અને એકઝી.મેજીસ્ટ્રેટ, રાજકોટ દ્વારા જણાવાયું છે.

સીનીયર સીટીઝનો માટે નિશુલ્‍ક નિદાન-કેમ્‍પ
રાજકોટ 
આરોગ્‍ય અને પરિવાર કલ્‍યાણ વિભાગ અંતર્ગત પદ્મકુંવરબા હોસ્‍પીટલ, રાજકોટ ખાતે ચાલતા એનપીસીડીસીએસ તથા એનપીએચસીઇ કાર્યક્રમ અંતર્ગત વીશ્વ આરોગ્‍ય દિવસ (તા. ૭ એપ્રિલ-૨૦૧૨) નિમિત્તે સીનીયર સીટીઝન્‍સ (૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના) માટે નિશુલ્‍ક નિદાન કેમ્‍પ સરકારશ્રી દ્વારા આરોગ્‍યનું ચાલુ વર્ષનું થીમ ‘વધતી ઉંમર અને આરોગ્‍ય’ તથા સુત્ર ‘સારુ આરોગ્‍ય ઉંમરને જીવન બક્ષે છે’ નક્કી કરવામાં આવેલ છે. જે અન્‍વયે ઓ.પી.ડી. રૂમ નં. પ, પદ્મકુંવરબા હોસ્‍પીટલ, રાજકોટ ખાતે તા. ૭/૪/૧૨ના રોજ સવારે ૯-૦૦ કલાક થી બપોરે ૧૨-૩૦ કલાક સુધી ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વ્‍યકિતઓ માટે નિશુલ્‍ક હેલ્‍થ ચેક-અપ કેમ્‍પનું આયોજન કરવામાં આવેલ છે.
ઉકત કેમ્‍પમાં ડાયાબિટીસ, હૃદય રોગ જેવા તમામ બિનચેપી રોગો માટે બી.પી., ઇ.સી.જી., લોહી-પેશાબની તપાસ ફ્રીમાં કરી આપવામાં આવશે. જેથી સબંધિત તમામ ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્‍યકિતઓએ આ કેમ્‍પનો લાભ લેવાની અપીલ કરવામાં આવે છે.

રાજકોટ જિલ્‍લાના ચાર જળાશયોમાં આનુસાંગીક કામો રૂ. ૧૭૧.૧૨ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે.
રાજકોટ
 આજી-ર સિંચાઇ યોજના, આજી-૩ સિંચાઇ યોજના, ફોફળ-ર સિંચાઇ યોજના અને ન્‍યારી-ર સિંચાઇ યોજનાના આનુસાંગીક તથા કેનાલ રીપેરીંગ સહિતના કામો અંદાજે રૂ. ૧૭૧.૧૨ લાખના ખર્ચે હાથ ધરવામાં આવશે. આ સિંચાઇ યોજનાઓના કામોમાં મુખ્‍ય કેનાલનું રીપરીંગ, સ્‍ટ્રકચર્સનું રેસ્‍ટોરેશન તથા રીપેરીંગ, સ્‍પીલવે તથા બ્રીજનું રીપેરીંગ સ્‍પીલવલે રેડીયલ ગેઇટસમાં નવા રબ્‍બર સીલ અને અન્‍ય કામોનો સમાવેશ થાય છે. આ કામો કાર્યપાલક ઇજનેરશ્રી રાજકોટ સિંચાઇ વિભાગ દ્વારા કરવામાં આવશે.

રાજકોટમાં તા. ૧૮મીથી લશ્‍કરી ભરતી મેળો
રાજકોટ 
 રાજકોટ શહેરમાં સીટી પોલીસ હેડકવાટર્સ ખાતે આગામી તા. ૧૮ એપ્રિલ થી તા. રપ એપ્રિલ સુધી સૌરાષ્‍ટ્ર ઉપરાંત દિવ અને ગુજરાતના યુવાનો માટે લશ્‍કરી ભરતી મેળો યોજાશે. સોલ્‍જર જનરલ ડયુટી, ટેકનિકલ કલાર્ક, નર્સિંગ આસીસ્‍ટન્‍ટ અને ટ્રેડમેનમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં નિયત શારીરિક અને શૈક્ષણિક લાયકાત ધરાવતા યુવાનોને દેશસેવાનો મોકો મળશે. વધુ વિગતો માટે જિલ્‍લા રોજગાર અધિકારીનો સંપર્ક સાધી શકાય છે.

આર.ટી.ઓ.માં ભરણાની મુદત વધી
રાજકોટ 
- આથી રાજકોટ જિલ્‍લાની તમામ મોટરીંગ પબ્‍લીકને જાણ કરવામાં આવે છે કે ચાલુ નાણાંકિય વર્ષ ૨૦૧૨-૧૩ માટે એડવાન્‍સ મોટર વાહન વેરો ભરવા માંગતા વાહન માલીકોને સરકારશ્રીએ મુંબઇ મોટર વાહન કર અધિનીયમ-૧૯પ૮ હેઠળના કર ભરણાની મુદત તા. ર૦/૪/’૧૨ (વીસમી એપ્રિલ ૨૦૧૨) સુધી લંબાવવામાં આવેલ છે. તેની તમામ કર દાતાઓએ નોંધ લેવા પ્રાદેશિક વાહન વ્‍યવહાર અધિકારી, રાજકોટની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ ખાતે ૧૮ થી ૨૫ એપ્રિલ-૨૦૧૨ દરમ્‍યાન ભારતીય સૈન્‍યમાં વિવિધ કેટેગરીની જગ્‍યાઓની ભરતી રેલી
અમરેલી જિલ્‍લાના ઉમેદવારોએ તા.૨૪ એપ્રિલના રોજ ઉપસ્‍થિત રહેવું
અમરેલી 
 સૈન્‍યમાં સોલ્‍જર જનરલ ડ્યુટી, સોલ્‍જર ટેકનીકલ, સોલ્‍જર ટેકનીકલ (એન.એ.), સોલ્‍જર ક્લાર્ક/સ્‍ટોર કીપર ટેકનીકલ, સોલ્‍જર ટેકનીકલ નર્સીંગ આસિસ્‍ટન્‍ટ, સોલ્‍જર ટ્રેડ્સમેન કેટેગરીની જગ્‍યાઓની ભરતી ટૂંક સમયમાં થનાર છે.
આર્મી રિક્રુટિંગ ઓફિસ જામનગર દ્વારા સૌરાષ્‍ટ્ર –કચ્‍છ, દીવ પ્રદેશના ઉમેદવારો માટે સીટી પોલિસ હેડક્વાર્ટસ, રેસકોર્સ ગ્રાઉન્‍ડ-રાજકોટ ખાતે આગામી તા. ૧૮ થી ૨૪ એપ્રિલ – ર૦૧૨ દરમ્‍યાન લશ્‍કરી ભરતી મેળો યોજાશે. આ ભરતી મેળામાં સૌરાષ્‍ટ્ર – કચ્‍છ, દીવ પ્રદેશના ઉમેદવારોને આવરી લેવામાં આવશે.
ઉમેદવારોએ પસંદગી માટે  શારીરિક ક્ષમતા, દાકતરી તપાસ તથા સામાન્‍ય પ્રવેશના માપદંડો માંથી પાસ થવાનું રહેશે. તમામ કેટેગરી માટેની શારીરિક કસોટીની પરીક્ષાઓમાં ૧૮મી એપ્રિલે સુરેન્દ્રનગર, ૧૯મી એપ્રિલના રોજ રાજકોટ જિલ્‍લાના ઉમેદવારોએ શારિરીક કસોટી માટે ઉપસ્‍થિત રહેવાનું રહેશે. તા. ૨૦મી એપ્રિલના રોજ જુનાગઢ જિલ્‍લાના ઉમેદવારો, જામનગર તથા પોરબંદર અને કચ્‍છ જિલ્‍લાના ઉમેદવારોએ તા.૨૧લી એપ્રિલના રોજ હાજર રહેવાનું રહેશે. ભાવનગર તથા દીવ (યુટી)ના ઉમેદવારોએ તા.૨૩મીના રોજ ઉપસ્‍થિત રહેવા અને ૨૪મી એપ્રિલના રોજ અમરેલી જિલ્‍લાના ઉમેદવારોએ સ્‍ક્રીનીંગ અને શારીરિક કસોટી માટે ઉપસ્‍થિત રહેવાનું રહેશે.
આ તમામ કેટેગરી માટે એન.સી.સી. સર્ટીફિકેટ ધારક, સર્વિસમેનના પુત્રો, માજી સૈનિકોના પુત્રો અને સૌરાષ્‍ટ્રના તમામ જિલ્‍લાના સ્‍ટેટ અને નેશનલ લેવલના સ્‍પોર્ટમેન માટે તા.૨૫મી એપ્રિલના રોજ શારીરિક કસોટી યોજાશે. શારીરિક કસોટી માટે તમામ જિલ્‍લાના ઉમેદવારોએ નિયત તારીખે સવારે ૪.૩૦ કલાકે હાજર રહેવાનું રહેશે.
સોલ્‍જર ટેકનીકલ કેટેગરી માટેની અરજી કરનારે જો પરિક્ષાના પરિણામ બાકી હોય તો પ્રિન્‍સીપાલ કે હેડમાસ્‍તર દ્વારા આપવામાં આવેલું પ્રોવિઝનલ સર્ટીફિકેટ લાવવાનું રહેશે. કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ એડમિટ કાર્ડ આપવામાં આવેલ હોય તેવા તમામ ઉમેદવારો (સો. ટેક્નિ (એન.એ) સિવાય) માટે, આર્મી રિક્રુટીંગ ઓફિસ જામનગર  દ્વારા તા.૨૯મી જુલાઇના રોજ કોમન એન્‍ટ્રન્‍સ ટેસ્‍ટ યોજાનાર છે.
ભરતી સંબંધિત વિવિધ કેટેગરી માટે આવશ્યક લાયકાત, અભ્‍યાસ, શારીરિક માપદંડ તથા અન્‍ય માહિતી અને વિગતો માટે આર્મી રિક્રુટીંગ ઓફિસ જામનગર (૦૨૮૮) ૨૯૧૧૩૧૦ અથવા નજીકની જિલ્‍લા રોજગાર કચેરી (૦૨૯૭૨) ૨૨૩૩૯૪નો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.

કૃષિ, સહકારમંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણીનો અમરેલી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ
અમરેલી
 રાજયના કૃષિ, સહકાર અને પશુપાલન વિભાગના મંત્રીશ્રી દિલીપભાઈ સંઘાણી આગામી તા. ૬ઠ્ઠી તથા ૭મી એપ્રિલના રોજ અમરેલી જિલ્‍લાના પ્રવાસમાં આવનાર છે. મંત્રીશ્રી તા.૬ઠ્ઠીના રોજ ૧૦.૦૦ કલાકે અ.જિ.મ. સ.બેં.લિ. ખાતે બેઠકમાં ઉપસ્‍થિત રહેશે. તા. ૭મીના રોજ ૧૭-૦૦ કલાકે ગજેરાપરા-અમરેલી,૧૮.૦૦ કલાકે ચાંપાથળ ખાતે વિમા સહાય યોજના અંતર્ગત ખેડૂતોને અકસ્‍માત વિમા ચેક વિતરણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે. ૧૯.૦૦ કલાકે તરકતળાવ ખાતે સમરસ ગામ નિમિત્તે કાર્યકર્તાઓ સાથે શુભેચ્‍છા મુલાકાત પ્રસંગે ઉપસ્‍થિત રહેશે.
છાટબાર

ટિપ્પણીઓ નથી: