અનુયાયીઓ

શુક્રવાર, 6 એપ્રિલ, 2012

જિલ્લા ઉઘોગ કેન્દ્રની યોજનાઓનો લાભ અપાવવાના બહાને છેતરપિંડી કરતા વચેટીયાઓથી સાવધાન રહેવા ચેતવણી


જિલ્લા ઉઘોગ કેન્દ્રની યોજનાઓનો લાભ અપાવવાના બહાને છેતરપિંડી કરતા વચેટીયાઓથી સાવધાન રહેવા ચેતવણી 
વડોદરા
જિલ્લા ઉઘોગ કેન્દ્રના નામે વડોદરાના નામે અમૂક ઈશમો જિલ્લા ઉઘોગ કેન્દ્ર મારફત ચાલતી કુટીર ઉઘોગ વિભાગની માનવ કલ્યાણ યોજના, વાજપાઈ બેંકેબલ યોજના પી.એમ.ઈ.જી પેકેજ યોજનાના લોન કેસ અંગે લાભાર્થીઓ પાસે કચેરીઓનું કામ કરાવી આપવા ખોટા પ્રલોભનો આપી નાણાંકીય રકમ પડાવે છે. જેથી નાગરિકોને જણવવામાં આવે છે કે આવા ઈસમોનો સંપર્ક નહીં સાધતા જિલ્લા ઉઘોગ કેન્દ્રની યોજનાકીય કામગીરી અને માર્ગદર્શન અંગે કચેરીના સંબંધિત અધિકારીનો સંપર્ક સાધવા નાગરિકોને જણાવાયું છે. કચેરી તરફથી માહિતી અને ફોર્મ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે છે તેમજ શહેર - તાલુકા કક્ષાએથી એ.ટી.વી.ટી.કાર્યક્રમ અંતર્ગત જનસેવા કેન્દ્રનો સંપર્ક કર્યેથી યોજનાની માહિતી ફોર્મ મળી શકશે. તેમજ તૈયાર કચેરી અરજીઓ પણ સ્વીકારવામાં આવે છે. વધુ જણાવવાનું કે, માનવ કલ્યાણ યોજના અંગેની કીટસ પણ બી.પી.એલ અરજદારને આવકની મર્યાદામાં આવતાં હોય તેને વિનામૂલ્યે મફત આપવામાં આવે છે તેથી અરજદારોએ (લાભાર્થીએ) બેંકેબલ યોજના/માનવ કલ્યાણ યોજનાના અરજી કોઈ એજન્ટ કે દલાલ વચેટીયાનો સંપર્ક કરી અત્રે અરજી કરવી નહીં આ અંગેની જિલ્લા ઉઘોગ કન્દ્રમાં જાણ થશે તો આવી અરજી માન્ય કરવામાં આવશે નહીં અરજદાર પોતે જ આ બાબતે અત્રેની કચેરીએ અરજી કરવાની રહેશે. પાછળથી અરજદારની દલીલ ગ્રાહય રખાશે નહીં.
અત્રેની કચેરીમાં અમલી યોજનાની અરજી અન્વયે મુંઝવણ પ્રશ્ન તથા જરૂરી માર્ગદર્શન માટે અત્રેની કચેરીના નાયબ ઉઘોગ કમિશનર/અધિકારીશ્રીનો સીધો સંપર્ક કરવા નાયબ ઉઘોગ કમિશનર અને જનરલ મેનેજર, જિલ્લા ઉઘોગ કેન્દ્ર વડોદરાની યાદીમાં જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: