ગાંધીનગર
ખારીકટ કેનાલમાં વસ્ત્રાલ આર.ટી.ઓ. કચેરી પાસે ગેરકાયદેસર રીતે ટેન્કર
દ્વારા પ્રદૂષિત પાણી નિકાલ કરવામાં આવે છે તેવી માહિતીના આધારે તપાસ
કરતા જોવા મળેલ કે, ખારીકટ કેનાલના કિનારે ટેન્કર દ્વારા ગેરકાયદેસર રીતે
પ્રદૂષિત પાણી નિકાલ કરવામાં આવી રહ્યું હતું.
આ અંગે વિસ્તૃત તપાસ કરીને ટેન્કર ચાલક, ટેન્કર માલિક તથા જે ઔઘોગિક
એકમમાંથી પ્રદૂષિત પાણી આવ્યું હતું તેમની સામે કાર્યવાહી હાથ ધરવામાં
આવી હતી. આ ગેરકાયદેસર કૃત્ય રામોલની હદમાં હોઇ રામોલ પોલીસ સ્ટેશનમાં
એફ.આઇ.આર. નોંધાવી પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે તેમ ગુજરાત પ્રદુષણ
નિયંત્રણ બોર્ડની યાદીમાં જણાવાયું છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો