અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

પ્રદુષણયુકત પાણી નદી-તળાવો જળસ્‍તોત્રોમાં છોડવા પર પ્રતિબંધ

રાજકોટ
રાજકોટ ગ્રામ્યણ જિલ્લાતના ગોંડલ તથા ધોરાજી અને મુખ્યપત્વેો જેતપુર
તાલુકામાં જેતપુર ખાતે આવેલ ડાઇંગ એન્ડો પ્રીન્ટીંિગ ફેકટરીઓ દ્વારા
કેમીકલયુકત પાણી નદી, તળાવ, ભૂગર્ભમાં છોડી તેમજ ખેતી કે કોઇક સ્થઅળ
સરકારી કે ખાનગી જમીનમાં અનઅધિકૃત વોશીંગ ઘાટ બનાવી તેમાં સાડી, કપડાની
ધોલાઇ કરી પ્રદૂષણ ફેલાવવામાં આવી રહેલ છે જેના કારણે જેતપુર, ધોરાજી અને
ગોંડલ અને જુનાગઢ જિલ્લા ના તાલુકાઓના ભૂગર્ભના પાણી પણ પીવાલાયક રહેલ
નથી. નામ. હાઇકોર્ટે અલગ-અલગ ચુકાદાઓથી ગેરકાયદેસર વોશીંગ ઘાટ તોડી પાડવા
અને ફેકટરીઓના કલોઝર સહીતના પગલા લેવા આદેશ કરેલ છે. તેમજ જેતપુર ડાઇંગ
એન્ડ્ પ્રીન્ટીંેગ એસોસીએશનએ કોમન એફલુએન્ટા ટ્રીટમેન્ટ. પ્લાેન્ટ તૈયાર
કરી તેમાં શુધ્ધિઅકરણ થયેલ પાણી જ નિકાલ કરવા નામ. હાઇકોર્ટનો આદેશ હોય
જેતપુર ડાઇંગ એન્ડ પ્રીન્ટીં્ગ એસોસીએશન તરફથી જેતપુર તાલુકાના દેરડી
ગામે આવા પ્લાહન્ટેનું બાંધકામ શરૂ કરવામાં આવેલ છે. જેમાં સ્થાએનિક ગામ
લોકો તરફથી અવરોધ ઉભો કરવામાં આવી રહેલ છે. વળી વહિવટી તંત્ર દ્વારા
અનાધિકૃત વોશીંગ ઘાટ તોડી પડાયા હોવા છતાં ફરીને આવા વોશીંગ ઘાટો બનાવી
કેટલાક લોકો-ફેકટરી-એકમો પ્રદૂષણ ફેલાવી રહ્યા હોવાનું જણાયેલ છે. આથી
જનસમુદાયની જીંદગી, તંદુરસ્તીી અને સલામતિ તથા જાહેર આરોગ્યહની જળવણી
અર્થે રાજકોટ જિલ્લારના અધિક જિલ્લાન મેજીસ્ટ્રે ટશ્રી એ.બી.ગોરે ફોજદારી
કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ (૧૯૭૪નો ર-જો અધિનિયમ)ની કલમ-૧૪૪ થી મળેલ સત્તાની
રૂએ જાહેરનામું પ્રસિધ્ધજ કરી ફરમાવેલ છે કે રાજકોટ ગ્રામ્ય જિલ્લામમાં
કોઇપણ વ્યાકિત, કારખાનેદાર, સંસ્થાજ કે ઔદ્યોગિક એકમે ખાનગી, સરકારી
પંચાયતની કે ખેતીની જમીનમાં નદી, તળાવ જેવા જળસ્ત્રો તમાં કે ભૂગર્ભમાં
સાડી પ્રિન્ટીં ગ કે કપડાના પ્રિન્ટીં ગથી કે કપડા ધોવાથી ઉદભવતું
કેમીકલયુકત પ્રદુષણયુકત પાણી કે કોઇપણ પ્રકારના ઐદ્યોગિક વપરાશના કારણે
ઉત્પાન્ન થતું કેમીકલયુકત પાણી છોડવું નહીં. કોઇપણ વ્યાકિતએ ખાનગી,
સરકારી, પંચાયતની, ખેતીની કે બીનખેતી થયેલ જમીનમાં પ્રિન્ટીં ગ થયેલ
સાડીઓ કે કપડાઓની ઘોલાઇ માટે બિનઅધિકૃત વોશીંગ ઘાટ બાંધવા કે કોઇને
બાંધવા દેવા નહીં. જેતપુર તાલુકાના દેરડી ખાતે જેતપુર ડાઇંગ એન્ડવ
પ્રિન્ટીંેગ એસોસીએશન દ્વારા બાંધવામાં આવી રહેલ કોમન એફલુઅન્ટ
ટ્રીટમેન્ટદ પ્લાપન્ટનના બાંધકામમાં અડચણ થાય તેવી કાર્યવાહી કે પ્રવૃતિ
કરવી નહીં.
આ હુકમ તા.૨૧-૬-૨૦૧૨ થી તા.૧૯.૦૮.૨૦૧૨ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ
કરનાર શિક્ષાને પાત્ર થશે.

ટિપ્પણીઓ નથી: