ગાંધીનગર
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિ વિભાગની ગુજરાત રાજય સંગીત નાટક
અકાદમી દ્વારા ગુરૂદેવ રવિન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી
નિમિત્તે તા.૨૩/૦૬/૧૨ થી તા. ૨૫/૦૬/૧૨ અને તા. ૨૭/૦૬/૧૨ ના રોજ રાત્રે
૯-૦૦ કલાકે જયશંકર સુંદરી નાટય ગૃહ, અમદાવાદ ખાતે નાટયોત્સવનું આયોજન
કરાયું છે એમ સચિવશ્રી ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીની યાદીમાં જણાવાયું
છે.
આ નાટયોત્સવ દરમ્યાન તા. ૨૩/૦૬/૧૨ ના રોજ ડાકધર, તા. ૨૪/૦૬/૧૨ ના રોજ
એકલા ચલો રે, તા. ૨૫/૦૬/૧૨ ના રોજ ચિરકુમાર સભા અને તા. ૨૭/૦૬/૧૨ ના રોજ
નષ્ટ નીડ જેવા નાટકો યોજાશે રસ ધરાવતા નાટયપ્રેમીઓને નાટક નિહાળવા
હાર્દિક નિમંત્રણ છે. આ અંગેના નિમંત્રણ કાર્ડ ગુજરાત રાજય સંગીત નાટક
અકાદમી, ગાંધીનગર ખાતે તેમજ લલિત કલાભવન, પં. રવિશંકર રાવળ કલાભવન, લો
ગાર્ડન, અમદાવાદ ખાતે થી મળી શકશે.
રાજયના સુરત, ભરૂચ અને તાપી જિલ્લામાં વરસાદ
ગાંધીનગર,
છેલ્લા ચોવીસ કલાક દરમિયાન (તા. ૨૦/૬/૧૨ના રોજ સવારે ૭-૦૦ કલાકે પૂરા થતા
ચોવીસ કલાક) રાજયના સુરત, ભરૂચ અને તાપી જિલ્લામાં વરસાદ વરસ્યો છે. સુરત
જિલ્લાના બારડોલીમાં ૩૮ મી.મી, કામરેજમાં ૩૬મી.મી., મહુવામાં ૩૭ મી.મી,
ભરૂચ જિલ્લાના હાંસોટમાં ૬૭ મી.મી, અંકલેશ્વરમાં ૧૩ મી.મી, તાપી જિલ્લાના
વાલોડમાં ૨૮ મી.મી., રાજકોટ જિલ્લાના ગોંડલમાં ૧૮ મી.મી. તથા આણંદ
જિલ્લાના ખંભાતમાં ૧૫ મી.મી. વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.
આ ઉપરાંત ૭ જિલ્લાના ૨૨ તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે. આ સિવાય
રાજયના અન્ય ભાગોમાં વરસાદ નથી એમ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા
જણાવાયું છે.
વિધાનસભા અને સચિવાલયમાં ફરજ બજાવતા કર્મચારીઓ-અધિકારીઓ માટે આંતર
વિભાગીય રમત ગમત સ્પર્ધાઓ યોજાશે
ગાંધીનગર,
રાજય સરકારના સામાન્ય વહીવટ વિભાગની સચિવાલય કલ્યાણ સમિતિના ઉપક્રમે
વિધાનસભા અને સચિવાલયના કર્મચારીઓ-અધિકારીઓ માટે ક્રિકેટ, વોલીબોલ,
કબડ્ડીની સાંધિક રમતો તેમજ બેડમિન્ટન, ટેબલટેનીસ, ચેસ, કેરમ, તરણ,
એથલેટીકસ, ગીતસંગીત સ્પર્ધા, વકતૃત્વ સ્પર્ધા અને વિકલાંગ માટેની
એથલેટીકસ જેવી વિવિધ આંતર વિભાગીય રમત ગમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં
આવ્યું છે.
આ રમત ગમત સ્પર્ધામાં વિધાનસભા અને સચિવાલય સંવર્ગની મંજૂર થયેલ જગ્યાઓ
પર સીધી ભરતી, બઢતીથી નિમણૂંક પામેલા કર્મચારીઓ-અધિકારીઓ ભાગ લઇ શકશે
સાંધિક રમતોમાં (ક્રિકેટ, વોલીબોલ, કબડ્ડી)ની સ્પર્ધામાં ગાંધીનગર સ્થિત
ખાતાની વડી કચેરીના કર્મચારીઓ અને તેમના સબંધિત વહીવટ વિભાગની ટીમો
સંયુકત પણે ભાગ લઇ શકશે પરંતું ક્રિકેટની રમતમાં ખાતાના વડાની કચેરીના
૫ાંચ અને વોલીબોલ-કબડ્ડીની રમતમાં ત્રણ ખેલાડીઓ ભાગ લઇ શકશે.
વિકલાંગો માટેની સ્પર્ધાઓ માટે ખેલાડીઓને પ્રવેશ ફીમાંથી મુકિત આપવામાં
આવી છે. ભાગ લેવા ઈચ્છુક રમતવીરોએ પોતાના વિભાગના મહેકમ અધિકારીના સહી
સિક્કા સાથે અરજી મોકલવાની રહેશે જે સામાન્ય વહીવટ વિભાગની કલ્યાણ શાખાને
૫ મી જુલાઇ ૨૦૧૨ સુધીમાં પહોંચાડવાની રહેશે.
આ અંગેની વધુ વિગતો માટે સામાન્ય વહીવટ વિભાગની કલ્યાણ સમિતિ બ્લોકનં.૭
નવા સચિવાલય ગાંધીનગરનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.
નિવૃત્ત આઇ.એ.એસ શ્રી સી.એલ.મીનાની ગુજરાત સીવીલ સર્વિસીઝ ટ્રીબ્યુનલમાં નિમણૂંક
ગાંધીનગર
રાજય સરકારે નિવૃત્ત આઇએ.એસ શ્રી સી.એલ.મીનાની પ્રમુખ ગુજરાત સીવીલ
સર્વીસીઝ ટ્રીબ્યુનલ ગાંધીનગર તરીકે નિમણૂંક કરીછે. શ્રી સી.એલ.મીનાની
નિમણૂંક શ્રી જે.મહાપાત્રની જગ્યાએ કરવામાં આવી છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો