અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

ગૌપાલનની ભારતીય સંસ્કૃાતિની અને અર્થતંત્રની આગવી પરંપરાને આગળ ધપાવીએ શ્રી ભૂપેન્દ્રયસિંહ ચુડાસમા ગાય આધારિત અર્થતંત્ર થકી આવકના નવા સ્ત્રો તો ઉભા થવાની તકો છે. ડો. વલ્લ ભભાઇ કથીરીયા ‘‘ગાય આધારિત અર્થતંત્ર-ર૧મી સદીની અનિવાર્યતા’’ પરિસંવાદમાં વિદ્વાનોએ

રાજકોટ
ગુજરાત ગૌસેવા આયોગ અને જિલ્લાય ઉદ્યોગ કેન્દ્રી રાજકોટ દ્વારા ગાય
આધારિત અર્થતંત્ર ર૧મી સદીની અનિવાર્યતા વિષય ઉપર એક પરિસંવાદ પંડિત
દીનદયાળ ઉપાધ્યાિય સરકારી મેડીકલ કોલેજ ઓડીટોરીયમ રાજકોટ ખાતે યોજાયો
હતો. પરિસંવાદને ગુજરાત આયોજન પંચના ઉપાધ્યઅક્ષ શ્રી ભૂપેન્દ્ર સિંહજી
ચૂડાસમાએ દિપ પ્રગટાવી ખુલ્લોઆ મુકયો હતો.
આ પ્રસંગે આયોજન પંચના ઉપાધ્યદક્ષ શ્રી ભૂપેન્દ્રદસિંહજી ચુડાસમાએ
જણાવ્યુય હતુ કે કુદરતે માનવ જીવન માટે હવા અને પાણીની ભેટ આપી છે અને
ત્રીજી ભેટ આપી છે તે ગાય છે. પહેલાના સમયમાં ગામડાઓમાં દરેક ઘર આંગણે
ગાય હતી અને તેના આધારિત સુખી અર્થતંત્ર હતું. આ સૈકાઓ જુનુ અર્થતંત્ર
આજે લુપ્તન થતું જાય છે. આની ચિંતા કરી રાજયના મુખ્યતમંત્રી શ્રી
નરેન્દ્રંભાઇએ રાજયના ઉદ્યોગ, કૃષિ શિક્ષણ અને પશુપાલનના વિકાસ સાથે દેશી
ગાયોના જતનને વધુને વધુ વેગ મળે અને તેના દ્વારા આર્થિક ઉપાર્જન અને
તંદુરસ્તછ ગુજરાતનું નિમાર્ણ કરી શકાય તે માટે ગુજરાત ગૌસેવા આયોગની રચના
કરી છે. જેના અધ્યરક્ષ તરીકે ડો. વલ્લકભાઇ કથીરીયા આજે ગૌવંશની માનવ
જીવનમાં કેટલી ઉપયોગીતા છે. તે પ્રત્યેર લોકોને જાગૃત કરી રહ્યા છે. તેમ
જણાવી તેમણે આપણે સૌ ગાય આધારિત આવકના સ્ત્રો્ત ઉભા કરીએ અને ગૌચેતના
જગાવીને ગૌ સંસ્કૃણતિ આધારિત સામાજિક પરિવર્તનમાં સહયોગી બનીએ તેમ
જણાવ્યુઅ હતું.
ગૌસેવા આયોગના અધ્ય ક્ષશ્રી ડો. વલ્લપભભાઇ કથીરીયાએ ગૌસેવા આયોગની ભૂમીકા
સમજાવી જણાવ્યું કે રાજયમાં વધુને વધુ લોકો ગૌ પાલન કરી તેનું જતન કરતા
થાય અને તેના થકી ર૧મી સદીનું અર્થકારણ ગૌ આધારિત બને તે માટે
લોકજાગૃતીના અમારા પ્રયાસો છે. ગ્રામ્યહ લોકો, ખેડુતો, સ્વૈ ચ્છિગક
સંસ્થાયઓ, સખીમંડળો અને ઉદ્યોગકારો ગાયના દૂધ ગૌમુત્ર, ગોબરમાંથી આર્થિક
ઉપાર્જન મેળવી શકાય છે તેની વિસ્તૃ ત જાણકારી આપી તેમણે આ માટે ગૌચર
સુધારણાનો પણ અમારો પ્રયાસ છે તેમ જણાવ્યુ હતું.
આ પરિસંવાદમાં જી.એન.એફ.સી.ના ડાયરેકટર અને વલસાડના કૃષિ વૈજ્ઞાનિક શ્રી
અશોકભાઇ શાહ તથા અખિલ ભારતીય ગૌસેવા પ્રમુખ શ્રી શંકર લાલજી અને
કર્ણાટકના પંચગવ્યલ ઉદ્યોગપતિ ડો. એસ.કે.મીતલે ગાયોને પશુપાલન વ્યચવસાય
તરીકે વિકસાવવા અને તેનું જતન કરવા સાથે ગાયનું દૂધ, ગૌમુત્ર અને ગોબરનો
માનવ તંદુરસ્તીા અને કૃષિની ફળદ્રુપતા વધારવા અનેકગણા ઉપયોગી સાબીત થયા
છે તેમ જણાવ્યુ હતું. સેકડો સસ્ત ન પશુ પ્રાણીઓ દુધાળા છે તેમાંથી ફકત
ગાયને જ સમાજે માતા તરીકે સ્થાનન આપ્યુંદ છે. ત્યા્રે ર૧મી સદિનું ગાય
આધારિત અર્થતંત્ર આપણે સૌ નિર્માણ કરીએ અને સમાજ રાષ્ટ્રહને તંદુરસ્તં
અને સુસંસ્કૃયત બનાવીએ તેમ તેઓએ સંશોધન રજુ કરી જણાવ્યુર હતું.
આર્યુવેદિક યુનિવર્સિટી જામનગરના પ્રા. ડો. હિતેષભાઇ જાનીએ ગાયનું દૂધ ઘી
અને ગૌમુત્ર કેન્સવર અને ક્ષય જેવા રોગો થતા અટકાવવામાં પણ શ્રેષ્ઠં
સાબીત થયેલ હોવાનું જણાવી બ્રાઝિલ દેશે ભારતની અને તેમાંય ગુજરાતની દેશી
ગીર ગાય અને સાંઢને પાળી તેના થકી આજે તે દેશ આર્થિક સમૃધ્ધન બન્યોા છે
તો આપણે આપણીજ દેશી ગાયોને ઉછેરી તેના થકી આપણું આરોગ્ય્ અને આર્થિક
અર્થતંત્ર સમૃધ્ધા બનાવીએ તેમ જણાવ્યુંદ હતું.
આ સેમીનારના આયોજનમાં રાજકોટની ચેમ્બછર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડ સ્ટ્રીુઝ,
ગ્રેટર ચેમ્બ‍ર, રાજકોટ એન્જીઆ. એશો., જી.આઇ.ડી.સી. એશો. લોધીકા, રાજકોટ
બીલ્ડુર્સ એશો. રાજકોટ જિલ્લાત ગ્રામ વિકાસ એજન્સીા નાબાર્ડ, ગુજરાત
એગ્રો. ઇન્ઙ. કોર્પોરેશન, જેડા, રાજકોટ ડેરી, સરગમ કલબ, બોલબાલા ટ્રસ્ટન,
કુમકુમ ગ્રુપ, ચેમ્પીગયન એગ્રો. પ્રોડકટસ, વસુંધરા ટ્રસ્ટજ સહભાગી બન્યાજ
હતા.
આ પરિસંવાદમાં જિલ્લાટ ઉદ્યોગ કેન્દ્રર રાજકોટના જનરલ મેનેજરશ્રી
આર.ડી.બારહટે ગાયના દૂધ, ઘી, ગૌમુત્ર અને ગોબરમાંથી આર્થિક ઉપાર્જન કરતા
ગૃહ ઉદ્યોગકારો તથા નાના ઉદ્યોગકારોને જિલ્લાં ઉદ્યોગ કેન્દ્રો તરફથી
મળતી નાણાકીય સહાય અંગેની વિસ્તૃનત જાણકારી આપી આભારવિધિ કરી હતી.
કાર્યક્રમમાં જિલ્લાો ગ્રામ વિકાસ એજન્સી ના નિયામકશ્રી કે.કે.વાગડીયા,
પ્રાંત અધિકારી રાજકોટ શ્રી દિક્ષીત, ચેમ્બાર્સ ઓફ કોર્મસ રાજકોટના
સમિરભાઇ શાહ, ગ્રેટર ચેમ્બવર્સ ઓફ કોમર્સના પ્રમુખશ્રી ધનસુખભાઇ વોરા,
રાજકોટ એન્જિ નીયરીંગ એશોશીએશનના પ્રમુખશ્રી ભાવેશભાઇ પટેલ, રાજકોટ
બીલ્ડભર્સ એશોશીએશનના પ્રમુખશ્રી હિતેશભાઇ બગડાઇ, ભાડવાના એવોર્ડ વિજેત
પ્રગતીશીલ ખેડુત શ્રી રાઘવેન્દ્રીસિંહજી જાડેજા તથા ઉદ્યોગપતીઓ, સહકારી
આગેવાનો, વેપારીઓ અને સ્વૈતચ્છિદક સંસ્થાહના પ્રતિનિધિઓ ઉપસ્થિનત રહ્યા
હતા.

ટિપ્પણીઓ નથી: