અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

કાલાવડ તાલુકાના જાલણસર ગામની ગૃહિણીઓએ મોતી કામ કરી સ્વાવવલંબન પ્રાપ્ત કર્યુ

અહેવાલ-પારૂલ આડેસરા, માહિતી મદદનીશ, જામનગર

કાલાવડ તાલુકાના જાલણસર ગામે રાજય સરકારની મિશન મંગલમ યોજના તળે જય
ચાંમુડા અને જય રાંદલમાં સખી મંડળ કાર્યરત છે. જેમા ૨૨ ગૃહિણીઓ જોડાયેલી
છે. આ બધી જ ગૃહિણીઓ બપોરે ફુરસદના સમયે મંગલસુત્ર માટેના મોતી બનાવવાનું
કામ કરીને મહીને બે થી ત્રણ હજારની આવક મેળવી રહી છે.
જય ચાંમુડા સખી મંડળના સીતા બા જાડેજા કહે છે. છેલ્લા ત્રણેક વર્ષથી હું
સખી મંડળમાં જોડાઇ છુ. તેનાથી અમે બચતની વૃતિ કેળવી. સખી મંડળ થકી હું
મોતી કામ શીખીને આજે પગભર બની છુ. મારા પતિ ખેતી કામ કરે છે. મોંઘવારીમાં
ઘર ચલાવવુ મુશ્કેખલ બન્યુગ હોય તેવામાં મોટાભાગનુ ઘર મારા મોતી કામ ઉપર જ
ચાલે છે. જયારે જય રાંદલમાં સખી મંડળના દક્ષાબેન ગોંડલિયા મોતીકામની આવક
પોતાના બાળકોને ભણાવવામાં ખર્ચે છે.
જાલણસરના મોટા ભાગના ગ્રામજનો ખેતી કામ કરે છે. જાલણસરમાં માત્ર ૨૨ ઘરો જ
છે. તે પૈકી ૨૨ બહેનોને સખી મંડળમાં જોડવામાં જેમનો સિંહ ફાળો છે તેવા
આંગણવાડી વર્કર રસિકબા ગોહિલ કહે છે મહિલાઓ બચત વૃતિ કેળવી ને પગભર બને
તે માટે રાજય સરકારની મિશન મંગલમ યોજના અમારા ગામની બહેનોને લાભકારી બની
છે.
આ મંડળની બહેનોને કાલાવડના ઇમીટેશન જવેલરીના વેપારી કામ આપે છે. પહેલા બે
ત્રણ બહેનો એ આ કામ શરૂ કર્યુ હતું. હવે ૨૨ જેટલી બહેનો મોતી કામ કરીને
પોતાની આજીવિકા રળે છે.
કાલાવડ તાલુકાના સખી મંડળની બહેનોને મિશન મંગલમ યોજનાના કાલાવડ તાલુકા
લાઇવલી હુડ મેનેજરશ્રી પરેશભાઇ કોડિયા, આસી. પ્રોજેકટ મેનેજરશ્રી
ડિમ્પવલબેન ગાલોલિયા, કલ્ટ્ ઉપર કો-ઓર્ડિનેરશ્રી દિવ્યા બેન ગધેથરિયા
માર્ગદર્શન આપી રહયા છે.

ટિપ્પણીઓ નથી: