અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામના પાઠવતા મુખ્ય મંત્રીશ્રી

કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામના પાઠવતા મુખ્ય મંત્રીશ્રી

મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આવતીકાલે અષાઢી બીજથી શરૂ થતાં
કચ્છીઓના નવા વર્ષ નિમિત્તે કચ્છી માડુઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી
છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું છે કે કચ્છ જિલ્લો હિન્દુસ્તાનનો સૌથી ઝડપી
વિકાસ કરતો જિલ્લો બન્યો છે અને પ્રવાસન તથા ઔઘોગિક ક્ષેત્રે હરણફાળ
ભરવા ઉપરાંત કૃષિક્રાંતિના ક્ષેત્રે પણ નવી ક્ષિતિજો સર કરી રહ્યો છે
તેનું શ્રેય કચ્છીઓના ખમીરને ફાળે જાય છે અને રાજ્ય સરકાર પણ કચ્છની
પ્રગતિના નવા સોપાનો માટે પ્રતિબધ્ધ છે.

મુખ્યમંત્રીશ્રી કચ્છી નૂતનવર્ષ અષાઢી બીજના અવસરે કચ્છીમાડુઓ વચ્ચે
કચ્છમાં સમગ્ર દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં કચ્છીઓના ઉત્સાહ ઉમંગમાં
સહભાગી થશે ઃ

માંડવી નગર સેવાસદન આયોજીત અષાઢી બીજ મહેરામણ મહોત્સવ-સાંસ્કૃતિક
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે
મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદી
કચ્છીમાડુઓના નૂતનવર્ષ અષાઢી બીજનો અવસર કચ્છીમાડુઓ વચ્ચે કચ્છ જિલ્લામાં
મનાવશે અને કચ્છની ધીન્ગી ધરાના ખમીરવંતા કચ્છીમાડુઓને નૂતનવર્ષના વધામણા
પાઠવશે.
શ્રી નરેન્દ્રભાઇ મોદી તા.ર૧ જુન-ર૦૧રના ગુરૂવારે સમગ્ર દિવસ દરમિયાન
કચ્છ જિલ્લામાં કચ્છી નૂતનવર્ષના અવસરે વિવિધ જનકલ્યાણ કાર્યક્રમોમાં
ઉપસ્થિત રહેશે.

બપોરે ૧ર-૦૦ કલાકે અંજાર તાલુકાના ભીમાસરમાં ઇન્ડિયન સ્ટીલ કોર્પોરેશનના
નવિન પ્લાન્ટનું લોકાર્પણ કરીને બપોર બાદ નખત્રાણા તાલુકાના જીયાપરમાં
શ્રી સેવા ઇન્ટરનેશનલના ડીઝાઇન એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરના ઉદ્દધાટન
કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રીશ્રી મોડી સાંજે માંડવી નગર સેવાસદન આયોજીત કચ્છી સંસ્કૃતિને
ઉજાગર કરતા અષાઢી બીજ મહેરામણ મહોત્સવના સાંસ્કૃતિક કાર્યક્રમમાં
કચ્છીમાડુઓના ઉત્સાહ અને ઉમંગમાં સહભાગી થશે.

ટિપ્પણીઓ નથી: