અનુયાયીઓ

ગુરુવાર, 21 જૂન, 2012

૨૨મીએ સ્વામી વિવેકાનંદજીના જીવનકથન અને સાહિત્ય પ્રદર્શન યોજાશે

૨૨મીએ સ્વામી વિવેકાનંદજીના જીવનકથન અને સાહિત્ય પ્રદર્શન યોજાશે
વડોદરા
શહેરના મધ્યવર્તી પુસ્તકાલય અને રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મોમોરિયલ
વડોદરાના સંયુક્ત ઉપક્રમે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના
વિભાગ દ્વારા તા.૨૨/૬/૨૦૧૨ના રોજ સવારે ૯-૩૦ કલાકે સ્વામી વિવેકાનંદના
જીવનકથન અને તેમના સાહિત્યના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.
મધ્યવર્તી પુસ્તકાલય ખાતે રામકૃષ્ણ મિશનના સ્વામી નિખિલેશ્વરાનંદ દીપ
પ્રગટાવી કાર્યક્રમને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે ધારાસભ્યશ્રી ભૂપેન્દ્રભાઇ
લાખાવાલા, ગ્રંથાલય નિયામકશ્રી દિલીપ જી. સોની વગેરે ઉપસ્થિત રહેશે, એમ
મધ્યવર્તી પુસ્તકાલય વડોદરાના સભ્ય ગ્રંથપાલ ર્ડા. વર્ષા મહેતાએ એક
અખબારી યાદીમાં જણાવ્યું છે.


સયાજીગંજમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો
વડોદરા
સયાજીગંજમાં આવેલા એફ.એમ.અમીન પેટ્રોલ પંપની પાછળના ભાગે વિટકોસ બસના
ગેરેજની કંપાઉન્ડ વોલ પાસેથી એક અજાણ્યો પુરુષ બીમારીને કારણે મૃત
હાલતમાં મળી આવ્યો છે. મૃતક આશરે ૪૦ વર્ષની વયનો છે. જે મધ્યમ બાંધાનો
અને શ્યામ વર્ણનો છે. જેણે આખી બાંયનો શર્ટ અને નેવી બ્લ્યૂ રંગનું પેન્ટ
પહેર્યું છે. આ અજાણ્યા પુરુષના મૃતદેહનું એસ.એસ.જી. હોસ્પિટલમાં પોસ્ટ
મોર્ટમ બાદ કોલ્ડ રૂમમાં રાખવામાં આવ્યો છે. જેના વાલીવારસોને સયાજીગંજ
પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

ટિપ્પણીઓ નથી: